દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 4 હજારથી વધુ કેસ, 6 મહિના બાદ નોંધાયા આટલા કેસ


  • Published By :
  • Published Date : 2023-04-05 11:23:56

દેશમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો દેશમાં 4435 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 15 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે. હજી સુધી 5 લાખ 30 હજાર 916 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 44179712 લોકોએ કોરોનાને માત આપી છે. 


એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 23 હજારને પાર!

એક સમયે કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. હજારની અંદર કોરોના કેસ નોંધાઈ રહ્યા હતા. પરંતુ ફરી એક વખત કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં કોરોનાની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4435 કેસ સામે આવ્યા છે. 4 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે. 


ગુજરાતમાં વધી રહ્યા છે કોરોના કેસ!

ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ તો ગઈ કાલે કોરોનાના 317 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. કોરોનાની ઝપેટમાં રાજસ્થાનના બે દિગ્ગજ નેતાઓ આવી ગયા છે. અશોક ગેહલોત અને વસુંધરા રાજે કોરોના પોઝિટિવ નોંધાયા છે. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર એક્ટિવ થઈ છે. વધતા કેસ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.        



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.