દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 4 હજારથી વધુ કેસ, 6 મહિના બાદ નોંધાયા આટલા કેસ


  • Published By :
  • Published Date : 2023-04-05 11:23:56

દેશમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો દેશમાં 4435 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 15 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે. હજી સુધી 5 લાખ 30 હજાર 916 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 44179712 લોકોએ કોરોનાને માત આપી છે. 


એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 23 હજારને પાર!

એક સમયે કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. હજારની અંદર કોરોના કેસ નોંધાઈ રહ્યા હતા. પરંતુ ફરી એક વખત કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં કોરોનાની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4435 કેસ સામે આવ્યા છે. 4 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે. 


ગુજરાતમાં વધી રહ્યા છે કોરોના કેસ!

ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ તો ગઈ કાલે કોરોનાના 317 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. કોરોનાની ઝપેટમાં રાજસ્થાનના બે દિગ્ગજ નેતાઓ આવી ગયા છે. અશોક ગેહલોત અને વસુંધરા રાજે કોરોના પોઝિટિવ નોંધાયા છે. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર એક્ટિવ થઈ છે. વધતા કેસ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.