દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 4 હજારથી વધુ કેસ, 6 મહિના બાદ નોંધાયા આટલા કેસ


  • Published By :
  • Published Date : 2023-04-05 11:23:56

દેશમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો દેશમાં 4435 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 15 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે. હજી સુધી 5 લાખ 30 હજાર 916 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 44179712 લોકોએ કોરોનાને માત આપી છે. 


એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 23 હજારને પાર!

એક સમયે કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. હજારની અંદર કોરોના કેસ નોંધાઈ રહ્યા હતા. પરંતુ ફરી એક વખત કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં કોરોનાની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4435 કેસ સામે આવ્યા છે. 4 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે. 


ગુજરાતમાં વધી રહ્યા છે કોરોના કેસ!

ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ તો ગઈ કાલે કોરોનાના 317 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. કોરોનાની ઝપેટમાં રાજસ્થાનના બે દિગ્ગજ નેતાઓ આવી ગયા છે. અશોક ગેહલોત અને વસુંધરા રાજે કોરોના પોઝિટિવ નોંધાયા છે. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર એક્ટિવ થઈ છે. વધતા કેસ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.        



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.