દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 4 હજારથી વધુ કેસ, 6 મહિના બાદ નોંધાયા આટલા કેસ


  • Published By :
  • Published Date : 2023-04-05 11:23:56

દેશમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો દેશમાં 4435 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 15 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે. હજી સુધી 5 લાખ 30 હજાર 916 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 44179712 લોકોએ કોરોનાને માત આપી છે. 


એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 23 હજારને પાર!

એક સમયે કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. હજારની અંદર કોરોના કેસ નોંધાઈ રહ્યા હતા. પરંતુ ફરી એક વખત કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં કોરોનાની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4435 કેસ સામે આવ્યા છે. 4 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે. 


ગુજરાતમાં વધી રહ્યા છે કોરોના કેસ!

ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ તો ગઈ કાલે કોરોનાના 317 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. કોરોનાની ઝપેટમાં રાજસ્થાનના બે દિગ્ગજ નેતાઓ આવી ગયા છે. અશોક ગેહલોત અને વસુંધરા રાજે કોરોના પોઝિટિવ નોંધાયા છે. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર એક્ટિવ થઈ છે. વધતા કેસ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.        



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.