Amreliમાં સાંસદ અને ધારાસભ્યને કરવો પડ્યો જનતાના રોષનો સામનો, જાહેરમાં લોકોએ નેતાને ઝાટક્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-09 11:58:38

અવાર-નવાર એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ધારાસભ્યને, સાંસદને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડતું હોય છે. સ્થાનિકોને પડતી મુશ્કેલીનું સોલ્યુશન નહીં આવતા લોકો ગુસ્સે ભરાઈ જાય છે અને જ્યારે મોકો મળે ત્યારે પોતાનો વિરોધ દર્શાવે છે. આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં આ પ્રકારની ઘટના બની હોય. કોઈ વખત ધારાસભ્યને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડે છે તો કોઈ વખત સાંસદને લોકોના રોષનો ભોગ બનવું પડતું હોય છે. ત્યારે અમરેલીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્થાનિક લોકોએ સાંસદ અને ધારાસભ્યની એક સાથે ઝાટકણી કાઢી છે.  

સાંસદ અને ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો 

લાઠી તાલુકાના હજીરાધાર ગામે આવી પહોંચેલી ભારત સંકલ્પ યાત્રામાં સાંસદ અને ધારાસભ્યને લોકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોએ ભારે હોબાળો કર્યો હતો.ભારત સંકલ્પ યાત્રા હજીરાધાર ગામે આવી પહોંચી ત્યારે સાંસદ નારણભાઇ કાછડીયા અને ધારાસભ્ય જનકભાઇ તળાવીયા હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક લોકો ઉભા થઈ ગયા અને વિરોધ શરૂ કર્યો. સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં જ હોબાળો મચી ગયો હતો! 

આ પહેલી વાર નથી આવા તો અનેક દ્રશ્યો આવા સામે આવ્યા છે 

સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં નેતાને, ધારાસભ્ય અને સાંસદને વિરોધનો સામનો કરવો પડે છે. અમરેલીમાં જ્યારે યાત્રા પહોંચી ત્યારે કંટાળેલા લોકોએ ત્યાં આવેલા નેતાઓને ઘેરી લીધા. જે નેતાઓને ધેર્યા તે સાંસદ અને ધારાસભ્ય હતા. લોકો કંટાળી અને ત્યાં આવેલા નેતા સામે આક્રોશ સાથે રજૂઆત કરતા હોય ફરી એકવાર કંઈક એવો જ સીન થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકો એકઠા થઈ ગયા સાંસદ નારણ કાછડીયા અને બાબરાનાં ધારાસભ્યોને જાહેરમાં ઝાટક્યાં. મહત્વનું છે કે આવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકોનો ભરાયેલો રોષ ભભૂકી રહ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.