Amreliમાં સાંસદ અને ધારાસભ્યને કરવો પડ્યો જનતાના રોષનો સામનો, જાહેરમાં લોકોએ નેતાને ઝાટક્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-09 11:58:38

અવાર-નવાર એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ધારાસભ્યને, સાંસદને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડતું હોય છે. સ્થાનિકોને પડતી મુશ્કેલીનું સોલ્યુશન નહીં આવતા લોકો ગુસ્સે ભરાઈ જાય છે અને જ્યારે મોકો મળે ત્યારે પોતાનો વિરોધ દર્શાવે છે. આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં આ પ્રકારની ઘટના બની હોય. કોઈ વખત ધારાસભ્યને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડે છે તો કોઈ વખત સાંસદને લોકોના રોષનો ભોગ બનવું પડતું હોય છે. ત્યારે અમરેલીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્થાનિક લોકોએ સાંસદ અને ધારાસભ્યની એક સાથે ઝાટકણી કાઢી છે.  

સાંસદ અને ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો 

લાઠી તાલુકાના હજીરાધાર ગામે આવી પહોંચેલી ભારત સંકલ્પ યાત્રામાં સાંસદ અને ધારાસભ્યને લોકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોએ ભારે હોબાળો કર્યો હતો.ભારત સંકલ્પ યાત્રા હજીરાધાર ગામે આવી પહોંચી ત્યારે સાંસદ નારણભાઇ કાછડીયા અને ધારાસભ્ય જનકભાઇ તળાવીયા હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક લોકો ઉભા થઈ ગયા અને વિરોધ શરૂ કર્યો. સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં જ હોબાળો મચી ગયો હતો! 

આ પહેલી વાર નથી આવા તો અનેક દ્રશ્યો આવા સામે આવ્યા છે 

સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં નેતાને, ધારાસભ્ય અને સાંસદને વિરોધનો સામનો કરવો પડે છે. અમરેલીમાં જ્યારે યાત્રા પહોંચી ત્યારે કંટાળેલા લોકોએ ત્યાં આવેલા નેતાઓને ઘેરી લીધા. જે નેતાઓને ધેર્યા તે સાંસદ અને ધારાસભ્ય હતા. લોકો કંટાળી અને ત્યાં આવેલા નેતા સામે આક્રોશ સાથે રજૂઆત કરતા હોય ફરી એકવાર કંઈક એવો જ સીન થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકો એકઠા થઈ ગયા સાંસદ નારણ કાછડીયા અને બાબરાનાં ધારાસભ્યોને જાહેરમાં ઝાટક્યાં. મહત્વનું છે કે આવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકોનો ભરાયેલો રોષ ભભૂકી રહ્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.