Amreliમાં સાંસદ અને ધારાસભ્યને કરવો પડ્યો જનતાના રોષનો સામનો, જાહેરમાં લોકોએ નેતાને ઝાટક્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-09 11:58:38

અવાર-નવાર એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ધારાસભ્યને, સાંસદને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડતું હોય છે. સ્થાનિકોને પડતી મુશ્કેલીનું સોલ્યુશન નહીં આવતા લોકો ગુસ્સે ભરાઈ જાય છે અને જ્યારે મોકો મળે ત્યારે પોતાનો વિરોધ દર્શાવે છે. આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં આ પ્રકારની ઘટના બની હોય. કોઈ વખત ધારાસભ્યને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડે છે તો કોઈ વખત સાંસદને લોકોના રોષનો ભોગ બનવું પડતું હોય છે. ત્યારે અમરેલીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્થાનિક લોકોએ સાંસદ અને ધારાસભ્યની એક સાથે ઝાટકણી કાઢી છે.  

સાંસદ અને ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો 

લાઠી તાલુકાના હજીરાધાર ગામે આવી પહોંચેલી ભારત સંકલ્પ યાત્રામાં સાંસદ અને ધારાસભ્યને લોકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોએ ભારે હોબાળો કર્યો હતો.ભારત સંકલ્પ યાત્રા હજીરાધાર ગામે આવી પહોંચી ત્યારે સાંસદ નારણભાઇ કાછડીયા અને ધારાસભ્ય જનકભાઇ તળાવીયા હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક લોકો ઉભા થઈ ગયા અને વિરોધ શરૂ કર્યો. સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં જ હોબાળો મચી ગયો હતો! 

આ પહેલી વાર નથી આવા તો અનેક દ્રશ્યો આવા સામે આવ્યા છે 

સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં નેતાને, ધારાસભ્ય અને સાંસદને વિરોધનો સામનો કરવો પડે છે. અમરેલીમાં જ્યારે યાત્રા પહોંચી ત્યારે કંટાળેલા લોકોએ ત્યાં આવેલા નેતાઓને ઘેરી લીધા. જે નેતાઓને ધેર્યા તે સાંસદ અને ધારાસભ્ય હતા. લોકો કંટાળી અને ત્યાં આવેલા નેતા સામે આક્રોશ સાથે રજૂઆત કરતા હોય ફરી એકવાર કંઈક એવો જ સીન થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકો એકઠા થઈ ગયા સાંસદ નારણ કાછડીયા અને બાબરાનાં ધારાસભ્યોને જાહેરમાં ઝાટક્યાં. મહત્વનું છે કે આવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકોનો ભરાયેલો રોષ ભભૂકી રહ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.