Amreliમાં સાંસદ અને ધારાસભ્યને કરવો પડ્યો જનતાના રોષનો સામનો, જાહેરમાં લોકોએ નેતાને ઝાટક્યા! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-09 11:58:38

અવાર-નવાર એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ધારાસભ્યને, સાંસદને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડતું હોય છે. સ્થાનિકોને પડતી મુશ્કેલીનું સોલ્યુશન નહીં આવતા લોકો ગુસ્સે ભરાઈ જાય છે અને જ્યારે મોકો મળે ત્યારે પોતાનો વિરોધ દર્શાવે છે. આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં આ પ્રકારની ઘટના બની હોય. કોઈ વખત ધારાસભ્યને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડે છે તો કોઈ વખત સાંસદને લોકોના રોષનો ભોગ બનવું પડતું હોય છે. ત્યારે અમરેલીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્થાનિક લોકોએ સાંસદ અને ધારાસભ્યની એક સાથે ઝાટકણી કાઢી છે.  

સાંસદ અને ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો 

લાઠી તાલુકાના હજીરાધાર ગામે આવી પહોંચેલી ભારત સંકલ્પ યાત્રામાં સાંસદ અને ધારાસભ્યને લોકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોએ ભારે હોબાળો કર્યો હતો.ભારત સંકલ્પ યાત્રા હજીરાધાર ગામે આવી પહોંચી ત્યારે સાંસદ નારણભાઇ કાછડીયા અને ધારાસભ્ય જનકભાઇ તળાવીયા હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક લોકો ઉભા થઈ ગયા અને વિરોધ શરૂ કર્યો. સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં જ હોબાળો મચી ગયો હતો! 

આ પહેલી વાર નથી આવા તો અનેક દ્રશ્યો આવા સામે આવ્યા છે 

સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં નેતાને, ધારાસભ્ય અને સાંસદને વિરોધનો સામનો કરવો પડે છે. અમરેલીમાં જ્યારે યાત્રા પહોંચી ત્યારે કંટાળેલા લોકોએ ત્યાં આવેલા નેતાઓને ઘેરી લીધા. જે નેતાઓને ધેર્યા તે સાંસદ અને ધારાસભ્ય હતા. લોકો કંટાળી અને ત્યાં આવેલા નેતા સામે આક્રોશ સાથે રજૂઆત કરતા હોય ફરી એકવાર કંઈક એવો જ સીન થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકો એકઠા થઈ ગયા સાંસદ નારણ કાછડીયા અને બાબરાનાં ધારાસભ્યોને જાહેરમાં ઝાટક્યાં. મહત્વનું છે કે આવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકોનો ભરાયેલો રોષ ભભૂકી રહ્યો છે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.