અર્બુદા સેનાના સ્નેહમિલનમાં MP ભરતસિંહ ડાભીએ PM મોદીને અપાયું આમંત્રણ


  • Published By :
  • Published Date : 2022-11-11 22:26:18

ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે કારણ કે ચૌધરી સમાજના વિપુલ ચૌધરી સામે ગુજરાત સરકારે કાર્યવાહી કરી છે. સમગ્ર બાબતો વચ્ચે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચરાડા સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે. 

ભાજપ રમી શકે છે મોટો દાવ

વિપુલ ચૌધરી પર કથિત 800 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ચૌધરી સમાજનું માનવું છે કે વિપુલ ચૌધરી પર કાર્યવાહી કરીને ભાજપ વિપુલ ચૌધરીને ફસાવી રહી છે. ચૌધરી સમાજની અબુર્દા સેનાને સાંસદ ભરત ડાભી સમર્થન આપી રહ્યા છે. ત્યારે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે કાર્યક્રમમાં આવે તો પોતાના શબ્દોનો જાદુ ચલાવીને મતોમાં વધારો કરી શકે છે. 

માનસિંહ પટેલની જન્મ જયંતી નિમિતે સ્નેહમિલન

દૂધસાગર ડેરીની સ્થાપના કરનાર અને પાંખ આપનાર સ્વ. માનસિંહ ચૌધરીની જન્મ જયંતી નીમિતે એટલે કે 15 નવેમ્બરે સ્નેહ મિલનનું આયોજન રખાયું છે. અર્બુદા સેના હાલ ભાજપથી નારાજ ચાલી રહી છે ત્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. જો કે આ આમંત્રણ છે પ્રધાનમંત્રી આવશે કે નહીં તે વાત બાદની છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.