અર્બુદા સેનાના સ્નેહમિલનમાં MP ભરતસિંહ ડાભીએ PM મોદીને અપાયું આમંત્રણ


  • Published By :
  • Published Date : 2022-11-11 22:26:18

ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે કારણ કે ચૌધરી સમાજના વિપુલ ચૌધરી સામે ગુજરાત સરકારે કાર્યવાહી કરી છે. સમગ્ર બાબતો વચ્ચે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચરાડા સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે. 

ભાજપ રમી શકે છે મોટો દાવ

વિપુલ ચૌધરી પર કથિત 800 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ચૌધરી સમાજનું માનવું છે કે વિપુલ ચૌધરી પર કાર્યવાહી કરીને ભાજપ વિપુલ ચૌધરીને ફસાવી રહી છે. ચૌધરી સમાજની અબુર્દા સેનાને સાંસદ ભરત ડાભી સમર્થન આપી રહ્યા છે. ત્યારે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે કાર્યક્રમમાં આવે તો પોતાના શબ્દોનો જાદુ ચલાવીને મતોમાં વધારો કરી શકે છે. 

માનસિંહ પટેલની જન્મ જયંતી નિમિતે સ્નેહમિલન

દૂધસાગર ડેરીની સ્થાપના કરનાર અને પાંખ આપનાર સ્વ. માનસિંહ ચૌધરીની જન્મ જયંતી નીમિતે એટલે કે 15 નવેમ્બરે સ્નેહ મિલનનું આયોજન રખાયું છે. અર્બુદા સેના હાલ ભાજપથી નારાજ ચાલી રહી છે ત્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. જો કે આ આમંત્રણ છે પ્રધાનમંત્રી આવશે કે નહીં તે વાત બાદની છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.