અર્બુદા સેનાના સ્નેહમિલનમાં MP ભરતસિંહ ડાભીએ PM મોદીને અપાયું આમંત્રણ


  • Published By :
  • Published Date : 2022-11-11 22:26:18

ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે કારણ કે ચૌધરી સમાજના વિપુલ ચૌધરી સામે ગુજરાત સરકારે કાર્યવાહી કરી છે. સમગ્ર બાબતો વચ્ચે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચરાડા સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે. 

ભાજપ રમી શકે છે મોટો દાવ

વિપુલ ચૌધરી પર કથિત 800 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ચૌધરી સમાજનું માનવું છે કે વિપુલ ચૌધરી પર કાર્યવાહી કરીને ભાજપ વિપુલ ચૌધરીને ફસાવી રહી છે. ચૌધરી સમાજની અબુર્દા સેનાને સાંસદ ભરત ડાભી સમર્થન આપી રહ્યા છે. ત્યારે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે કાર્યક્રમમાં આવે તો પોતાના શબ્દોનો જાદુ ચલાવીને મતોમાં વધારો કરી શકે છે. 

માનસિંહ પટેલની જન્મ જયંતી નિમિતે સ્નેહમિલન

દૂધસાગર ડેરીની સ્થાપના કરનાર અને પાંખ આપનાર સ્વ. માનસિંહ ચૌધરીની જન્મ જયંતી નીમિતે એટલે કે 15 નવેમ્બરે સ્નેહ મિલનનું આયોજન રખાયું છે. અર્બુદા સેના હાલ ભાજપથી નારાજ ચાલી રહી છે ત્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. જો કે આ આમંત્રણ છે પ્રધાનમંત્રી આવશે કે નહીં તે વાત બાદની છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.