વાયરલ વીડિયોને કારણે એમ.એસ.યુનિવર્સિટી આવી વિવાદોમાં


  • Published By :
  • Published Date : 2022-12-25 17:18:46

એમ.એસ.યુનિવર્સિટી એક વાયરલ વીડિયોને ફરી એક વખત વિવાદમાં આવી છે. એક એવો વીડિયો વાયરલ થયો હતો જેમાં સંસ્કૃત મહાવિદ્યાલય બહાર બે લોકો નમાજ પડી રહ્યા છે. કેમ્પલની બહાર એક યુવક અને યુવતી નમાજ પઢી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદએ વિરોધ કર્યો હતો. અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર કોણે નમાઝ અદા કરી? MSU નો વીડિયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદે આપી આંદોલનની ચીમકી


વીડિયો વાયરલ થતા વિશ્વ હિંદુ પરિષદે કર્યો વિરોધ

આજકાલ એવા અનેક વીડિયો સામે આવે છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક અને યુવતી સંસ્કૃત મહાવિદ્યાલય બહાર નમાજ પઢી રહ્યા હતા. આ વીડિયો સામે આવતા વિશ્વ હિન્દુ પરિષદે આનો વિરોધ કર્યો છે. આ મામલે કાર્તિક જોશીએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉપરાંત આ વાયરલ વીડિયો અંગે તપાસ કરવા પણ અપીલ કરી છે. વાયરલ વીડિયો પાછળથી લેવાયો છે. જેને કારણે લોકોના ચહેરા વીડિયોમાં દેખાઈ નથી રહ્યા. 


વિશ્વ હિંદુ પરિષદે ઘટનાને લઈ ઉઠાવ્યા અનેક પ્રશ્ન 

આ ઘટનાને લઈ વિશ્વ હિંદુ પરિષદના સહમંત્રીએ આ વીડિયો અંગે તપાસ કરવાની માગ કરી છે. કાર્તિક જોશીએ કહ્યું કે વીડિયોમાં જે લોકો નમાઝ અદા કરી રહ્યા છે તે યુનિવર્સિટીના નથી. યુનિવર્સિટી બહારના તત્વો કેવી રીતે પ્રવેશ કરી શકે. નમાજ અદા કરવા શા માટે સંસ્કૃત યુનિવર્સિટીને જ પસંદ કરી. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.