વાયરલ વીડિયોને કારણે એમ.એસ.યુનિવર્સિટી આવી વિવાદોમાં


  • Published By :
  • Published Date : 2022-12-25 17:18:46

એમ.એસ.યુનિવર્સિટી એક વાયરલ વીડિયોને ફરી એક વખત વિવાદમાં આવી છે. એક એવો વીડિયો વાયરલ થયો હતો જેમાં સંસ્કૃત મહાવિદ્યાલય બહાર બે લોકો નમાજ પડી રહ્યા છે. કેમ્પલની બહાર એક યુવક અને યુવતી નમાજ પઢી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદએ વિરોધ કર્યો હતો. અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર કોણે નમાઝ અદા કરી? MSU નો વીડિયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદે આપી આંદોલનની ચીમકી


વીડિયો વાયરલ થતા વિશ્વ હિંદુ પરિષદે કર્યો વિરોધ

આજકાલ એવા અનેક વીડિયો સામે આવે છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક અને યુવતી સંસ્કૃત મહાવિદ્યાલય બહાર નમાજ પઢી રહ્યા હતા. આ વીડિયો સામે આવતા વિશ્વ હિન્દુ પરિષદે આનો વિરોધ કર્યો છે. આ મામલે કાર્તિક જોશીએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉપરાંત આ વાયરલ વીડિયો અંગે તપાસ કરવા પણ અપીલ કરી છે. વાયરલ વીડિયો પાછળથી લેવાયો છે. જેને કારણે લોકોના ચહેરા વીડિયોમાં દેખાઈ નથી રહ્યા. 


વિશ્વ હિંદુ પરિષદે ઘટનાને લઈ ઉઠાવ્યા અનેક પ્રશ્ન 

આ ઘટનાને લઈ વિશ્વ હિંદુ પરિષદના સહમંત્રીએ આ વીડિયો અંગે તપાસ કરવાની માગ કરી છે. કાર્તિક જોશીએ કહ્યું કે વીડિયોમાં જે લોકો નમાઝ અદા કરી રહ્યા છે તે યુનિવર્સિટીના નથી. યુનિવર્સિટી બહારના તત્વો કેવી રીતે પ્રવેશ કરી શકે. નમાજ અદા કરવા શા માટે સંસ્કૃત યુનિવર્સિટીને જ પસંદ કરી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.