વાયરલ વીડિયોને કારણે એમ.એસ.યુનિવર્સિટી આવી વિવાદોમાં


  • Published By :
  • Published Date : 2022-12-25 17:18:46

એમ.એસ.યુનિવર્સિટી એક વાયરલ વીડિયોને ફરી એક વખત વિવાદમાં આવી છે. એક એવો વીડિયો વાયરલ થયો હતો જેમાં સંસ્કૃત મહાવિદ્યાલય બહાર બે લોકો નમાજ પડી રહ્યા છે. કેમ્પલની બહાર એક યુવક અને યુવતી નમાજ પઢી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદએ વિરોધ કર્યો હતો. અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર કોણે નમાઝ અદા કરી? MSU નો વીડિયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદે આપી આંદોલનની ચીમકી


વીડિયો વાયરલ થતા વિશ્વ હિંદુ પરિષદે કર્યો વિરોધ

આજકાલ એવા અનેક વીડિયો સામે આવે છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક અને યુવતી સંસ્કૃત મહાવિદ્યાલય બહાર નમાજ પઢી રહ્યા હતા. આ વીડિયો સામે આવતા વિશ્વ હિન્દુ પરિષદે આનો વિરોધ કર્યો છે. આ મામલે કાર્તિક જોશીએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉપરાંત આ વાયરલ વીડિયો અંગે તપાસ કરવા પણ અપીલ કરી છે. વાયરલ વીડિયો પાછળથી લેવાયો છે. જેને કારણે લોકોના ચહેરા વીડિયોમાં દેખાઈ નથી રહ્યા. 


વિશ્વ હિંદુ પરિષદે ઘટનાને લઈ ઉઠાવ્યા અનેક પ્રશ્ન 

આ ઘટનાને લઈ વિશ્વ હિંદુ પરિષદના સહમંત્રીએ આ વીડિયો અંગે તપાસ કરવાની માગ કરી છે. કાર્તિક જોશીએ કહ્યું કે વીડિયોમાં જે લોકો નમાઝ અદા કરી રહ્યા છે તે યુનિવર્સિટીના નથી. યુનિવર્સિટી બહારના તત્વો કેવી રીતે પ્રવેશ કરી શકે. નમાજ અદા કરવા શા માટે સંસ્કૃત યુનિવર્સિટીને જ પસંદ કરી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.