વાયરલ વીડિયોને કારણે એમ.એસ.યુનિવર્સિટી આવી વિવાદોમાં


  • Published By :
  • Published Date : 2022-12-25 17:18:46

એમ.એસ.યુનિવર્સિટી એક વાયરલ વીડિયોને ફરી એક વખત વિવાદમાં આવી છે. એક એવો વીડિયો વાયરલ થયો હતો જેમાં સંસ્કૃત મહાવિદ્યાલય બહાર બે લોકો નમાજ પડી રહ્યા છે. કેમ્પલની બહાર એક યુવક અને યુવતી નમાજ પઢી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદએ વિરોધ કર્યો હતો. અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર કોણે નમાઝ અદા કરી? MSU નો વીડિયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદે આપી આંદોલનની ચીમકી


વીડિયો વાયરલ થતા વિશ્વ હિંદુ પરિષદે કર્યો વિરોધ

આજકાલ એવા અનેક વીડિયો સામે આવે છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક અને યુવતી સંસ્કૃત મહાવિદ્યાલય બહાર નમાજ પઢી રહ્યા હતા. આ વીડિયો સામે આવતા વિશ્વ હિન્દુ પરિષદે આનો વિરોધ કર્યો છે. આ મામલે કાર્તિક જોશીએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉપરાંત આ વાયરલ વીડિયો અંગે તપાસ કરવા પણ અપીલ કરી છે. વાયરલ વીડિયો પાછળથી લેવાયો છે. જેને કારણે લોકોના ચહેરા વીડિયોમાં દેખાઈ નથી રહ્યા. 


વિશ્વ હિંદુ પરિષદે ઘટનાને લઈ ઉઠાવ્યા અનેક પ્રશ્ન 

આ ઘટનાને લઈ વિશ્વ હિંદુ પરિષદના સહમંત્રીએ આ વીડિયો અંગે તપાસ કરવાની માગ કરી છે. કાર્તિક જોશીએ કહ્યું કે વીડિયોમાં જે લોકો નમાઝ અદા કરી રહ્યા છે તે યુનિવર્સિટીના નથી. યુનિવર્સિટી બહારના તત્વો કેવી રીતે પ્રવેશ કરી શકે. નમાજ અદા કરવા શા માટે સંસ્કૃત યુનિવર્સિટીને જ પસંદ કરી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે