મોહરમની રજા રદ, આવતીકાલે શાળાઓ ચાલુ રાખવા શિક્ષણ વિભાગનો પરિપત્ર, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-07-28 22:46:11

મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર મોહરમ આવતીકાલે છે, તેથી શાળાઓમાં મોહરમની રજા જાહેર કરાઈ ચુકી છે, પરંતું કેન્દ્ર સરકારે આવતીકાલે  શાળાઓ ચાલુ રાખવા નોટીફિકેશન બહાર પાડ્યું છે. કેન્દ્રના નોટીફિકેશન બાદ રાજ્યનાં શિક્ષણ વિભાગે આજે પરિપત્ર જાહેર કર્યો છે. નવી શિક્ષણ નીતિનાં 3 વર્ષ પૂર્ણ થતા હોવાથી પીએમ મોદી 'અખિલ ભારતીય શિક્ષા સમાગમ'નું ઉદઘાટન કરશે. જેને લઈને 9 થી 12 સુધી તમામ શાળાઓમાં આ કાર્યક્રમ દર્શાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે તો 24 જુલાઈનાં રોજ પરિપત્ર કરી શાળાઓ 29 જુલાઈએ ચાલુ રાખવા જાણ કરી હતી, જો કે શિક્ષણ વિભાગ તરફથી 28 જુલાઈએ પરિપત્ર જાહેર કરાયો છે. 


પત્રમાં શું આદેશ કરાયો?


નિયામક દ્વારા તમામ DEOઓને પત્ર લખી આવતીકાલે શાળા ચાલુ રાખવા આદેશ આપી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારનાં નોટીફિકેશન બાદ રાજ્યનાં શિક્ષણ વિભાગે આજે પરિપત્ર જાહેર કર્યો છે. નવી શિક્ષણ નીતિનાં 3 વર્ષ પૂર્ણ થતા હોવાથી પીએમ મોદી 'અખિલ ભારતીય શિક્ષા સમાગમ'નું ઉદઘાટન કરશે. 29 જુલાઈએ 9 થી 12 દરમિયાન શાળાઓ ચાલુ રાખી વિદ્યાર્થીઓ, શિક્ષકોને જીવંત પ્રસારણ નિહાળવા, ત્યારબાદ બપોરે 2 વાગે સુધી પત્રક ભરી સોફ્ટ કોપી ઇ-મેઇલ કરવા આદેશ કરાયો છે. આવતીકાલે મોહરમ હોવાથી અનેક સ્કૂલોમાં અગાઉથી જ રજા જાહેર કરાઈ ચુકી છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.