મુકેશ અંબાણીએ કરી Jio 5Gની જાહેરાત, જાણો ક્યારે મળશે સર્વિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 16:12:37

રિલાયન્સ જીઓની 5G સેવાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોની ઈચ્છા અંતે પુરી થઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ  (RIL)ની 45મી એન્યુઅલ જનરલ મીટિંગમાં કંપનીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જીઓની 5G સર્વિસની જાહેરાત કરી હતી. RILના રોકાણકારોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે બ્રોડબ્રેન્ડની સ્પીડ હવે પહેલાની તુલનામાં ઘણી ફાસ્ટ હશે. કંપની ઓછામાં ઓછી કિંમતે તેની 5G સેવા આપશે. તે સાથે જ કનેક્ટેડ સોલ્યૂશન પણ આપવામાં આવશે. આ સર્વિસ દ્વારા દેશભરમાં 100 મિલિયન ઘરોને કનેક્ટ કરવામાં આવશે.


એડવાન્સ SA ટેકનોલોજી પર આધારીત  5G સેવા


કંપનીની  5G સેવા અંગે માહિતી આપતા મુકેશ અંબાણીએ જમાવ્યું કે જીઓની 5G સર્વિસ અદ્યતન SA ટેકનોલોજી પર આધારીત હશે. દેશની અન્ય ટેલીકોમ કંપનીઓ જુના સોલ્યુશનનો ઉપયોગ કરીને તેમની  5G સર્વિસ લોન્ચ કરી રહી છે, જ્યારે JIO સ્ટેંડએલોન 5G સર્વિસનો ઉપયોગ કરશે.


મેટ્રો શહેરોમાંથી થશે પ્રારંભ


આ  5G નેટવર્ક માટે કંપની 2 લાખ કરોડ ખર્ચ કરશે. દિવાળીના સમયે જીઓ 5G લોન્ચ કરવામાં આવશે. આ સર્વિસને સૌથી પહેલા મેટ્રો શહેરોમાં લોન્ચ કરવામાં આવશે.  વર્ષ 2023ના ડિસેમ્બર સુધીમાં દરેક શહેરમાં જીઓ 5G લોન્ચ કરવામાં આવશે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી