મુકેશ અંબાણીએ કરી Jio 5Gની જાહેરાત, જાણો ક્યારે મળશે સર્વિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 16:12:37

રિલાયન્સ જીઓની 5G સેવાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોની ઈચ્છા અંતે પુરી થઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ  (RIL)ની 45મી એન્યુઅલ જનરલ મીટિંગમાં કંપનીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જીઓની 5G સર્વિસની જાહેરાત કરી હતી. RILના રોકાણકારોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે બ્રોડબ્રેન્ડની સ્પીડ હવે પહેલાની તુલનામાં ઘણી ફાસ્ટ હશે. કંપની ઓછામાં ઓછી કિંમતે તેની 5G સેવા આપશે. તે સાથે જ કનેક્ટેડ સોલ્યૂશન પણ આપવામાં આવશે. આ સર્વિસ દ્વારા દેશભરમાં 100 મિલિયન ઘરોને કનેક્ટ કરવામાં આવશે.


એડવાન્સ SA ટેકનોલોજી પર આધારીત  5G સેવા


કંપનીની  5G સેવા અંગે માહિતી આપતા મુકેશ અંબાણીએ જમાવ્યું કે જીઓની 5G સર્વિસ અદ્યતન SA ટેકનોલોજી પર આધારીત હશે. દેશની અન્ય ટેલીકોમ કંપનીઓ જુના સોલ્યુશનનો ઉપયોગ કરીને તેમની  5G સર્વિસ લોન્ચ કરી રહી છે, જ્યારે JIO સ્ટેંડએલોન 5G સર્વિસનો ઉપયોગ કરશે.


મેટ્રો શહેરોમાંથી થશે પ્રારંભ


આ  5G નેટવર્ક માટે કંપની 2 લાખ કરોડ ખર્ચ કરશે. દિવાળીના સમયે જીઓ 5G લોન્ચ કરવામાં આવશે. આ સર્વિસને સૌથી પહેલા મેટ્રો શહેરોમાં લોન્ચ કરવામાં આવશે.  વર્ષ 2023ના ડિસેમ્બર સુધીમાં દરેક શહેરમાં જીઓ 5G લોન્ચ કરવામાં આવશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.