મુકેશ અંબાણી કાર માર્કેટમાં પણ કરશે એન્ટ્રી, MG Motors ખરીદવાની તૈયારીમાં, વર્ષના અંત સુધીમાં પુરી થશે ડીલ


  • Published By :
  • Published Date : 2023-05-12 19:47:28

દેશના અગ્રણી બિઝનેસ મેન મુકેશ અંબાણી હવે ઓટોમોબાઈલ ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છે. મળતી જાણકારી મુજબ મુકેશ અંબાણી દેશની જાણીતી મોટર કંપની એમજી મોટર (MG Motor)નો બિઝનેસ ખરીદવા જઈ રહ્યા છે. આ રીતે અંબાણી પેટ્રોકેમિકલ બાદ નવા ઓટોમોબાઈલ બિઝનેસમાં પણ પ્રવેશી રહ્યા છે. મળતા સમાચારો મુજબ MG Motorની ચીનની પેરેન્ટ કંપની SAIC તેનો બહુમતી હિસ્સો વેચવા માગે છે. જે માટે તે દેશના અગ્રણી બિઝનેસ હાઉસ સાથે ચર્ચા કરી રહી છે. 


SAIC કંપની આ ગ્રુપ સાથે કરી રહી છે ચર્ચા


SAIC તેનો ભારતમાં કાર્યરત ઓટો મોબાઈલ બિઝનેશનો મેજોરીટી હિસ્સો વેચવા માગે છે. આ માટે કંપની દેશની અગ્રણી કંપનીઓ જેવી કે હીરો ગ્રુપ, પ્રેમજી ઈન્વેસ્ટ અને જેએસડબલ્યુ ગ્રુપનો પણ સમાવેશ થાય છે. જો કે આમાં રિલાયન્સ ગ્રુપ સૌથી આગળ છે. આ માલે એમ જી મોટર આ વર્ષના અંત સુધીમાં ડીલ પુરી કરી શકે છે. મુકેશ અંબાણી જે એમજી મોટરને ખરીદવાની તૈયારીમાં છે.  


શા માટે એમજી મોટરમાં હિસ્સો વેચી રહી છે કંપની?


એમજી મોટરની પેરેન્ટ કંપની SAIC તેનો મેજોરીટી હિસ્સો વેચી રહી છે, તેનો અર્થએ કે કંપની એમજી મોટર ઈન્ડિયા પોતાનો 50 ટકાથી પણ વધુ હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. જો આ ડિલ પુરી થઈ જાય છે તો એમ જી મોટરના ભારત સ્થિત ઓટો મોબાઈલ બિઝનેશ પર રિલાયન્સ ગ્રુપનો કબજો થઈ જશે. હકીકતમાં એમજી મોટરને તેના બિઝનેશને આગળ વધારવા માટે નાણાંની જરૂર છે. આ માટે તે પોતાની  કંપનીનો મોટાભાગનો હિસ્સો વેચવા માગે છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.