મુકેશ અંબાણી કાર માર્કેટમાં પણ કરશે એન્ટ્રી, MG Motors ખરીદવાની તૈયારીમાં, વર્ષના અંત સુધીમાં પુરી થશે ડીલ


  • Published By :
  • Published Date : 2023-05-12 19:47:28

દેશના અગ્રણી બિઝનેસ મેન મુકેશ અંબાણી હવે ઓટોમોબાઈલ ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છે. મળતી જાણકારી મુજબ મુકેશ અંબાણી દેશની જાણીતી મોટર કંપની એમજી મોટર (MG Motor)નો બિઝનેસ ખરીદવા જઈ રહ્યા છે. આ રીતે અંબાણી પેટ્રોકેમિકલ બાદ નવા ઓટોમોબાઈલ બિઝનેસમાં પણ પ્રવેશી રહ્યા છે. મળતા સમાચારો મુજબ MG Motorની ચીનની પેરેન્ટ કંપની SAIC તેનો બહુમતી હિસ્સો વેચવા માગે છે. જે માટે તે દેશના અગ્રણી બિઝનેસ હાઉસ સાથે ચર્ચા કરી રહી છે. 


SAIC કંપની આ ગ્રુપ સાથે કરી રહી છે ચર્ચા


SAIC તેનો ભારતમાં કાર્યરત ઓટો મોબાઈલ બિઝનેશનો મેજોરીટી હિસ્સો વેચવા માગે છે. આ માટે કંપની દેશની અગ્રણી કંપનીઓ જેવી કે હીરો ગ્રુપ, પ્રેમજી ઈન્વેસ્ટ અને જેએસડબલ્યુ ગ્રુપનો પણ સમાવેશ થાય છે. જો કે આમાં રિલાયન્સ ગ્રુપ સૌથી આગળ છે. આ માલે એમ જી મોટર આ વર્ષના અંત સુધીમાં ડીલ પુરી કરી શકે છે. મુકેશ અંબાણી જે એમજી મોટરને ખરીદવાની તૈયારીમાં છે.  


શા માટે એમજી મોટરમાં હિસ્સો વેચી રહી છે કંપની?


એમજી મોટરની પેરેન્ટ કંપની SAIC તેનો મેજોરીટી હિસ્સો વેચી રહી છે, તેનો અર્થએ કે કંપની એમજી મોટર ઈન્ડિયા પોતાનો 50 ટકાથી પણ વધુ હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. જો આ ડિલ પુરી થઈ જાય છે તો એમ જી મોટરના ભારત સ્થિત ઓટો મોબાઈલ બિઝનેશ પર રિલાયન્સ ગ્રુપનો કબજો થઈ જશે. હકીકતમાં એમજી મોટરને તેના બિઝનેશને આગળ વધારવા માટે નાણાંની જરૂર છે. આ માટે તે પોતાની  કંપનીનો મોટાભાગનો હિસ્સો વેચવા માગે છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.