અવધેશ રાય હત્યા કેસમાં બાહુબલી મુખ્તાર અન્સારી દોષિત, વારાણસીની MP/MLA કોર્ટ સંભળાવશે આજે સજા


  • Published By :
  • Published Date : 2023-06-05 13:50:57

ઉત્તર પ્રદેશના વધુ એક માફિયા-નેતા મુખ્તાર અન્સારીની મુશ્કેલીઓ વધી છે, વારાણસીની MP/MLA કોર્ટે ડોન મુખ્તાર અન્સારીને 32 વર્ષ જુના એક કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આજે સોમવારે ચુકાદો આપતા વારાણસી કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત જાહેર કર્યો છે. મુખ્તાર અંસારીને કોર્ટ લંચ બાદ સજા સંભળાવશે. પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી હાલ બાંદા જેલમાં બંધ છે.


સમગ્ર મામલો શું છે?


અત્રે ઉલ્લેખનીય છે કે, 3 ઓગસ્ટ 1991ના રોજ વારાણસીમાં અજય રાયના ઘરની બહાર અવધેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અવધેશ રાય કોંગ્રેસના નેતા અજય રાયના ભાઈ હતા. આ હત્યાકાંડ પછી પૂર્વ ધારાસભ્ય અજય રાયે પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ સહિત મુખ્તાર અંસારી, ભીમ સિંહ, કમલેશ સિંહ, રાકેશ વિરુદ્ધ ચેતગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જોકે, 5 આરોપીઓ પૈકી અબ્દુલ અને કમલેશના મોત થયા છે. કોર્ટનો નિર્ણય આવતા પહેલા અજય રાયે કહ્યું કે, "તેમની 32 વર્ષની રાહ આજે પૂરી થઈ રહી છે અને તેમને આશા છે કે તેમને ન્યાય મળશે." દરમિયાન, નિર્ણયને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કોર્ટ સંકુલને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.