લોકસભા ચૂંટણી: કોંગ્રેસ દરેક જિલ્લામાં કરશે પદયાત્રા, મુકુલ વાસનિકે AAP સાથે ગઠબંધન મુદ્દે કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2023-08-27 19:50:52

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. મુકુલ વાસનિકગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતના કાર્યકરો અને નેતાની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા છે. આજે તેમણે ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ઉપરાંત અગ્રણી પાર્ટી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુકુલ વાસનિકે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 


આપ સાથે કોંગ્રેસ ગઠબંધન કરશે?


ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધન અંગે વાસનિકે જણાવ્યુ કે હજી આ મારી પ્રથમ મુલાકાત છે અહીંના નેતાઓ સાથે ચર્ચા કરવા આવ્યા છીએ. પ્રદેશ નેતાગીરી સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય નેતૃત્વ સાથે વિચાર વિમર્શ કરી આ અંગે નિર્ણય કરવામાં આવશે. મુકુલ વાસનિકે અમદાવાદમાં મિડીયા સાથે ચર્ચા કરતા વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ અને સંગઠનને મજબૂત કરવા અમે પ્રયત્ન કરીશું. 


શક્તિસિંહ ગોહિલ નેતૃત્વમાં કોંગ્રેસ કરશે પદયાત્રા


મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમા આગામી લોકસભા ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યુ. લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ લોકો સુધી પહોંચવા જિલ્લાદીઠ પદયાત્રા કરશે. તમામ જિલ્લા સેન્ટર પર જન અધિકાર પદયાત્રા યોજશે. નાગરિકો અને કાર્યકરો સાથે સ્થાનિક મુદ્દાઓને લઇ સંવાદ બેઠકો યોજશે. આ સંવાદ બેઠક બાદ પદયાત્રા સ્વરુપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કરવામાં આવશે. તમામ જિલ્લાની પદયાત્રાઓમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. આવતીકાલે નડિયાદથી આ જન અધિકાર પદયાત્રાનો શુભારંભ થશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.