મુંબઈ એરપોર્ટ કસ્ટમ વિભાગે 61 કિલો સોનું જપ્ત કરી 7 લોકો ઝડપ્યા


  • Published By :
  • Published Date : 2022-11-13 19:03:41

મુંબઈ કસ્ટમ વિભાગે રવિવારે મુંબઈ એરપોર્ટ પર એક જ દિવસમાં 32 કરોડની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું છે. આ કેસમાં મુંબઈ કસ્ટમ વિભાગે 7 લોકોની ધરપકડ કરી છે. કસ્ટમ વિભાગે 2 મહિલાઓની પણ ધરપકડ કરી છે. 


28 કરોડનું સોનું કમર પર સંતાડ્યું

આ કાર્યવાહી કસ્ટમ વિભાગે એક જ દિવસની અંદર કરી છે, જેમાં પહેલા કેસમાં 4 ભારતીય નાગરીક તાંજાનિયાથી આવ્યા હતા. આ લોકોએ કમર પર પટ્ટો લગાવ્યો હતો જેમાં સોનું છૂપાવ્યું હતું. ચારેય લોકો પાસેથી 28 કરોડ રૂપિયાનું 53 કિલો સોનું મળી આવ્યું છે. આ તમામ લોકોને 14 દિવસ જ્યુડિશ્યલ કસ્ટડીમાં રખાયા છે. 

બીજા કેસમાં જાસુસી એજન્સીના આધાર પર મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ વિસ્તારા ફ્લાઈટથી દુબઈથી આવેલા ત્રણ યાત્રીઓને ઝડપી પાડ્યા છે. ત્રણેય લોકો પાસેથી 3.88 કરોડનું 8 કિલો સોનું મળી આવ્યું છે. મીણના પેસ્ટથી સોનું પેન્ટમાં સંતાડવામાં આવ્યું હતું. આ ત્રણેય આરોપીઓમાંથી એક સિનિયર સિટિઝન પણ હતા. તમામ લોકોને જ્યુડિશ્યલ કસ્ટડીમાં રખાયા છે અને તપાસ ચાલી રહી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.