મુંબઈ એરપોર્ટ કસ્ટમ વિભાગે 61 કિલો સોનું જપ્ત કરી 7 લોકો ઝડપ્યા


  • Published By :
  • Published Date : 2022-11-13 19:03:41

મુંબઈ કસ્ટમ વિભાગે રવિવારે મુંબઈ એરપોર્ટ પર એક જ દિવસમાં 32 કરોડની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું છે. આ કેસમાં મુંબઈ કસ્ટમ વિભાગે 7 લોકોની ધરપકડ કરી છે. કસ્ટમ વિભાગે 2 મહિલાઓની પણ ધરપકડ કરી છે. 


28 કરોડનું સોનું કમર પર સંતાડ્યું

આ કાર્યવાહી કસ્ટમ વિભાગે એક જ દિવસની અંદર કરી છે, જેમાં પહેલા કેસમાં 4 ભારતીય નાગરીક તાંજાનિયાથી આવ્યા હતા. આ લોકોએ કમર પર પટ્ટો લગાવ્યો હતો જેમાં સોનું છૂપાવ્યું હતું. ચારેય લોકો પાસેથી 28 કરોડ રૂપિયાનું 53 કિલો સોનું મળી આવ્યું છે. આ તમામ લોકોને 14 દિવસ જ્યુડિશ્યલ કસ્ટડીમાં રખાયા છે. 

બીજા કેસમાં જાસુસી એજન્સીના આધાર પર મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ વિસ્તારા ફ્લાઈટથી દુબઈથી આવેલા ત્રણ યાત્રીઓને ઝડપી પાડ્યા છે. ત્રણેય લોકો પાસેથી 3.88 કરોડનું 8 કિલો સોનું મળી આવ્યું છે. મીણના પેસ્ટથી સોનું પેન્ટમાં સંતાડવામાં આવ્યું હતું. આ ત્રણેય આરોપીઓમાંથી એક સિનિયર સિટિઝન પણ હતા. તમામ લોકોને જ્યુડિશ્યલ કસ્ટડીમાં રખાયા છે અને તપાસ ચાલી રહી છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.