મુંબઈ એરપોર્ટ કસ્ટમ વિભાગે 61 કિલો સોનું જપ્ત કરી 7 લોકો ઝડપ્યા


  • Published By :
  • Published Date : 2022-11-13 19:03:41

મુંબઈ કસ્ટમ વિભાગે રવિવારે મુંબઈ એરપોર્ટ પર એક જ દિવસમાં 32 કરોડની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું છે. આ કેસમાં મુંબઈ કસ્ટમ વિભાગે 7 લોકોની ધરપકડ કરી છે. કસ્ટમ વિભાગે 2 મહિલાઓની પણ ધરપકડ કરી છે. 


28 કરોડનું સોનું કમર પર સંતાડ્યું

આ કાર્યવાહી કસ્ટમ વિભાગે એક જ દિવસની અંદર કરી છે, જેમાં પહેલા કેસમાં 4 ભારતીય નાગરીક તાંજાનિયાથી આવ્યા હતા. આ લોકોએ કમર પર પટ્ટો લગાવ્યો હતો જેમાં સોનું છૂપાવ્યું હતું. ચારેય લોકો પાસેથી 28 કરોડ રૂપિયાનું 53 કિલો સોનું મળી આવ્યું છે. આ તમામ લોકોને 14 દિવસ જ્યુડિશ્યલ કસ્ટડીમાં રખાયા છે. 

બીજા કેસમાં જાસુસી એજન્સીના આધાર પર મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ વિસ્તારા ફ્લાઈટથી દુબઈથી આવેલા ત્રણ યાત્રીઓને ઝડપી પાડ્યા છે. ત્રણેય લોકો પાસેથી 3.88 કરોડનું 8 કિલો સોનું મળી આવ્યું છે. મીણના પેસ્ટથી સોનું પેન્ટમાં સંતાડવામાં આવ્યું હતું. આ ત્રણેય આરોપીઓમાંથી એક સિનિયર સિટિઝન પણ હતા. તમામ લોકોને જ્યુડિશ્યલ કસ્ટડીમાં રખાયા છે અને તપાસ ચાલી રહી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.