મુંબઈ એરપોર્ટ કસ્ટમ વિભાગે 61 કિલો સોનું જપ્ત કરી 7 લોકો ઝડપ્યા


  • Published By :
  • Published Date : 2022-11-13 19:03:41

મુંબઈ કસ્ટમ વિભાગે રવિવારે મુંબઈ એરપોર્ટ પર એક જ દિવસમાં 32 કરોડની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું છે. આ કેસમાં મુંબઈ કસ્ટમ વિભાગે 7 લોકોની ધરપકડ કરી છે. કસ્ટમ વિભાગે 2 મહિલાઓની પણ ધરપકડ કરી છે. 


28 કરોડનું સોનું કમર પર સંતાડ્યું

આ કાર્યવાહી કસ્ટમ વિભાગે એક જ દિવસની અંદર કરી છે, જેમાં પહેલા કેસમાં 4 ભારતીય નાગરીક તાંજાનિયાથી આવ્યા હતા. આ લોકોએ કમર પર પટ્ટો લગાવ્યો હતો જેમાં સોનું છૂપાવ્યું હતું. ચારેય લોકો પાસેથી 28 કરોડ રૂપિયાનું 53 કિલો સોનું મળી આવ્યું છે. આ તમામ લોકોને 14 દિવસ જ્યુડિશ્યલ કસ્ટડીમાં રખાયા છે. 

બીજા કેસમાં જાસુસી એજન્સીના આધાર પર મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ વિસ્તારા ફ્લાઈટથી દુબઈથી આવેલા ત્રણ યાત્રીઓને ઝડપી પાડ્યા છે. ત્રણેય લોકો પાસેથી 3.88 કરોડનું 8 કિલો સોનું મળી આવ્યું છે. મીણના પેસ્ટથી સોનું પેન્ટમાં સંતાડવામાં આવ્યું હતું. આ ત્રણેય આરોપીઓમાંથી એક સિનિયર સિટિઝન પણ હતા. તમામ લોકોને જ્યુડિશ્યલ કસ્ટડીમાં રખાયા છે અને તપાસ ચાલી રહી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.