મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટન્સી છિનતા ચાહકોમાં રોષ, રોહિત શર્માએ આપી આ પહેલી મોટી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-12-17 20:29:51

15મી ડિસેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને જવાબદારી સોંપી ત્યારથી ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્માના પ્રશંસકો ફ્રેન્ચાઈઝી દ્વારા લેવામાં આવેલા આ પગલાથી ખૂબ નારાજ છે અને તેમનો ગુસ્સો ઈન્ટરનેટ પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. રોહિતને કેપ્ટનશિપ પરથી હટાવ્યા બાદ ફેન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે મોરચો ખોલી દીધો છે. તાજેતરમાં, એક વિડિયો સામે આવ્યો હતો જેમાં એક ચાહકે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી અને કેપને આગ લગાવી દીધી હતી અને ફેન્સે ફ્રેન્ચાઈઝીના ફેમ બેઝથી  પોતાને અલગ કરી દીધા છે.


રોહિત શર્માને જાણ કરાઈ હતી


હાર્દિક પંડ્યા માત્ર કેપ્ટન બનવાની શરતે મુંબઈ ઈન્ડિયન્સમાં આવ્યો હતો. આ અંગે રોહિત શર્માને પણ જાણ કરવામાં આવી હતી. વર્લ્ડ કપ 2023 દરમિયાન જ રોહિત શર્માને આ અંગે કહેવામાં આવ્યું હતું કે IPL રિટેન્શન દરમિયાન હાર્દિક પંડ્યાને આ શરતે મુંબઈ ઈન્ડિયન્સમાં લાવવામાં આવી રહ્યો છે કે તે ટીમની કમાન સંભાળશે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રોહિત શર્મા હાર્દિકની કપ્તાનીમાં રમવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહે છે કે રોહિત શર્મા અંતિમ નિર્ણય શું લે છે.


MIના ઓફિશિયલ પેજને અનફોલો કર્યું


હવે રોહિત શર્માની પહેલી મોટી પ્રતિક્રિયા જોવા મળી છે. રોહિત શર્માએ ટ્વિટર પર મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ પેજને અનફોલો કરી દીધું છે. જે બાદ હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે આ ટીમ પણ છોડી શકે છે. વર્ષ 2013માં રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ જ સિઝનમાં, ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ વખત ટાઇટલ જીત્યું. તે પછી રોહિત શર્માએ પાછું વળીને જોયું નથી અને 2015, 2017, 2019 અને 2020માં ટીમને ફરીથી ટાઈટલ અપાવ્યું હતું. IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેણે ટાઈટલ ડિફેન્ડ કર્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ આ તમામ સિદ્ધિઓ હાંસલ કરી હતી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .