મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટન્સી છિનતા ચાહકોમાં રોષ, રોહિત શર્માએ આપી આ પહેલી મોટી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-12-17 20:29:51

15મી ડિસેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને જવાબદારી સોંપી ત્યારથી ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્માના પ્રશંસકો ફ્રેન્ચાઈઝી દ્વારા લેવામાં આવેલા આ પગલાથી ખૂબ નારાજ છે અને તેમનો ગુસ્સો ઈન્ટરનેટ પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. રોહિતને કેપ્ટનશિપ પરથી હટાવ્યા બાદ ફેન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે મોરચો ખોલી દીધો છે. તાજેતરમાં, એક વિડિયો સામે આવ્યો હતો જેમાં એક ચાહકે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી અને કેપને આગ લગાવી દીધી હતી અને ફેન્સે ફ્રેન્ચાઈઝીના ફેમ બેઝથી  પોતાને અલગ કરી દીધા છે.


રોહિત શર્માને જાણ કરાઈ હતી


હાર્દિક પંડ્યા માત્ર કેપ્ટન બનવાની શરતે મુંબઈ ઈન્ડિયન્સમાં આવ્યો હતો. આ અંગે રોહિત શર્માને પણ જાણ કરવામાં આવી હતી. વર્લ્ડ કપ 2023 દરમિયાન જ રોહિત શર્માને આ અંગે કહેવામાં આવ્યું હતું કે IPL રિટેન્શન દરમિયાન હાર્દિક પંડ્યાને આ શરતે મુંબઈ ઈન્ડિયન્સમાં લાવવામાં આવી રહ્યો છે કે તે ટીમની કમાન સંભાળશે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રોહિત શર્મા હાર્દિકની કપ્તાનીમાં રમવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહે છે કે રોહિત શર્મા અંતિમ નિર્ણય શું લે છે.


MIના ઓફિશિયલ પેજને અનફોલો કર્યું


હવે રોહિત શર્માની પહેલી મોટી પ્રતિક્રિયા જોવા મળી છે. રોહિત શર્માએ ટ્વિટર પર મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ પેજને અનફોલો કરી દીધું છે. જે બાદ હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે આ ટીમ પણ છોડી શકે છે. વર્ષ 2013માં રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ જ સિઝનમાં, ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ વખત ટાઇટલ જીત્યું. તે પછી રોહિત શર્માએ પાછું વળીને જોયું નથી અને 2015, 2017, 2019 અને 2020માં ટીમને ફરીથી ટાઈટલ અપાવ્યું હતું. IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેણે ટાઈટલ ડિફેન્ડ કર્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ આ તમામ સિદ્ધિઓ હાંસલ કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.