મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટન્સી છિનતા ચાહકોમાં રોષ, રોહિત શર્માએ આપી આ પહેલી મોટી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-12-17 20:29:51

15મી ડિસેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને જવાબદારી સોંપી ત્યારથી ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્માના પ્રશંસકો ફ્રેન્ચાઈઝી દ્વારા લેવામાં આવેલા આ પગલાથી ખૂબ નારાજ છે અને તેમનો ગુસ્સો ઈન્ટરનેટ પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. રોહિતને કેપ્ટનશિપ પરથી હટાવ્યા બાદ ફેન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે મોરચો ખોલી દીધો છે. તાજેતરમાં, એક વિડિયો સામે આવ્યો હતો જેમાં એક ચાહકે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી અને કેપને આગ લગાવી દીધી હતી અને ફેન્સે ફ્રેન્ચાઈઝીના ફેમ બેઝથી  પોતાને અલગ કરી દીધા છે.


રોહિત શર્માને જાણ કરાઈ હતી


હાર્દિક પંડ્યા માત્ર કેપ્ટન બનવાની શરતે મુંબઈ ઈન્ડિયન્સમાં આવ્યો હતો. આ અંગે રોહિત શર્માને પણ જાણ કરવામાં આવી હતી. વર્લ્ડ કપ 2023 દરમિયાન જ રોહિત શર્માને આ અંગે કહેવામાં આવ્યું હતું કે IPL રિટેન્શન દરમિયાન હાર્દિક પંડ્યાને આ શરતે મુંબઈ ઈન્ડિયન્સમાં લાવવામાં આવી રહ્યો છે કે તે ટીમની કમાન સંભાળશે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રોહિત શર્મા હાર્દિકની કપ્તાનીમાં રમવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહે છે કે રોહિત શર્મા અંતિમ નિર્ણય શું લે છે.


MIના ઓફિશિયલ પેજને અનફોલો કર્યું


હવે રોહિત શર્માની પહેલી મોટી પ્રતિક્રિયા જોવા મળી છે. રોહિત શર્માએ ટ્વિટર પર મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ પેજને અનફોલો કરી દીધું છે. જે બાદ હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે આ ટીમ પણ છોડી શકે છે. વર્ષ 2013માં રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ જ સિઝનમાં, ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ વખત ટાઇટલ જીત્યું. તે પછી રોહિત શર્માએ પાછું વળીને જોયું નથી અને 2015, 2017, 2019 અને 2020માં ટીમને ફરીથી ટાઈટલ અપાવ્યું હતું. IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેણે ટાઈટલ ડિફેન્ડ કર્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ આ તમામ સિદ્ધિઓ હાંસલ કરી હતી.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .