મુંબઈ: હાજી અલી દરગાહ પર આતંકવાદી હુમલાની ધમકી


  • Published By :
  • Published Date : 2022-11-04 17:53:46

મુંબઈમાં હાજી અલી દરગાહ પર આતંકવાદી હુમલાની ધમકી ગઈ કાલે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને આપવામાં આવી હતી. સઘન તપાસ કરતાં સ્થળ પરથી કંઈ મળ્યું ન હતું. પૂછપરછમાં, ફોન કરનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું.

kaskar's name comes up in yet another extortion case

નકલી પોલીસ મુસાફરોને લૂંટતા હતા

તે જ સમયે નકલી પોલીસકર્મીઓએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટેક્સીના ચાર મુસાફરોને લૂંટી લીધા હતા. આ ઘટના મંગળવારે રાત્રે ખેરવાડી જંક્શન નજીક બની હતી, જ્યારે મુસાફરો ફ્લાઇટ માટે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ હોવાનો દાવો કરતા લોકોના એક જૂથે ટેક્સીને રોકી હતી. મુસાફરોને વાહનમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા હતા અને તેમને બીજા વાહનમાં બેસવા માટે કહેવામાં આવ્યું હતું.

Talking on walkie-talkie, fake cop steals gold jewels | Deccan Herald

કારને ગોરેગાંવ લઈ જવામાં આવી હતી, જ્યાં બદમાશોએ મુસાફરોનો સામાન, રોકડ, કિંમતી ચીજવસ્તુઓ અને મોબાઈલ ફોન લૂંટી લીધા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. વરિષ્ઠ નિરીક્ષક રાજેન્દ્ર મલિકે જણાવ્યું કે ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.