કચ્છના મુન્દ્રા પોર્ટમાં DRIનો સપાટો, રૂ. 26.80 કરોડનો એન્ટિક સામાન ઝડપ્યો, કન્ટેનર જપ્ત કરી તપાસ શરૂ


  • Published By :
  • Published Date : 2023-09-11 22:41:14

કચ્છના મુન્દ્રા પોર્ટ પર  DRIએ પાડેલા દરોડામાં રૂ. 26.80 કરોડનો એન્ટિક સામાન ઝડપાયો છે. DRIની તપાસમાં મિસડિક્લેર કરેલા કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો એન્ટિક સામાન ઝડપાયો છે. આ કન્ટેનરમાંથી જૂના પૂતળા, વાસણો, ચિત્રો, ફર્નિચર અને અન્ય મૂલ્યવાન ચીજો મળી આવી છે. 19મી સદીની અનેક વસ્તુઓ સોના ચાંદી અને અન્ય મૂલ્યવાન પથ્થરોથી બનેલી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુન્દ્રા પોર્ટ પરથી વિન્ટેજ આર્ટિકલ, પ્રાચીન વસ્તુઓ સહિત ઐતિહાસિક કલાકૃતિઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.


બાતમીના આધારે કન્ટેનરની તપાસ


ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ચોક્કસ બાતમીના આધારે UAEથી આયાત કરવામાં આવી રહેલા એક કન્ટેનરની તપાસ હાથ ધરી હતી. UAEથી આવેલા આ કન્ટેનરમાં કિંમતી સામાન નીકળ્યો હતો. જેને કસ્ટમ્સ સમક્ષ વિગતવાર તપાસ માટે "અનકમ્પેઈન્ડ બગેજ ફોર પર્સનલ ઈફેક્ટ" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. DRIની આ તપાસ દરમિયાન કન્ટેનરમાં જૂની મૂર્તિઓ, વિન્ટેજ વાસણો, પેઇન્ટિંગ્સ, એન્ટિક ફર્નિચર અને અન્ય મૂલ્યવાન હેરિટેજ સામાન હોવાનું જણાયું હતું. જે પૈકી કેટલાક લેખો 19મી સદીના છે. આમાંના કેટલાક લેખો કિંમતી પથ્થરો, સોના-ચાંદીના બનેલા હતા અથવા સોના/ચાંદીના કોટિંગવાળા હતા. જપ્ત કરાયેલી મોટાભાગની વસ્તુઓ યુરોપિયન દેશો, ખાસ કરીને યુકે અને નેધરલેન્ડની છે. ઉલ્લેખનિય છે કે ડ્ર્ગ્સની તસ્કરી માટે બદનામ મુદ્રા પોર્ટ પરથી બહુમૂલ્ય એન્ટિક ચીજો મળી આવતા સૌને આશ્ચર્ય થયું છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.