કચ્છના મુન્દ્રા પોર્ટમાં DRIનો સપાટો, રૂ. 26.80 કરોડનો એન્ટિક સામાન ઝડપ્યો, કન્ટેનર જપ્ત કરી તપાસ શરૂ


  • Published By :
  • Published Date : 2023-09-11 22:41:14

કચ્છના મુન્દ્રા પોર્ટ પર  DRIએ પાડેલા દરોડામાં રૂ. 26.80 કરોડનો એન્ટિક સામાન ઝડપાયો છે. DRIની તપાસમાં મિસડિક્લેર કરેલા કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો એન્ટિક સામાન ઝડપાયો છે. આ કન્ટેનરમાંથી જૂના પૂતળા, વાસણો, ચિત્રો, ફર્નિચર અને અન્ય મૂલ્યવાન ચીજો મળી આવી છે. 19મી સદીની અનેક વસ્તુઓ સોના ચાંદી અને અન્ય મૂલ્યવાન પથ્થરોથી બનેલી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુન્દ્રા પોર્ટ પરથી વિન્ટેજ આર્ટિકલ, પ્રાચીન વસ્તુઓ સહિત ઐતિહાસિક કલાકૃતિઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.


બાતમીના આધારે કન્ટેનરની તપાસ


ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ચોક્કસ બાતમીના આધારે UAEથી આયાત કરવામાં આવી રહેલા એક કન્ટેનરની તપાસ હાથ ધરી હતી. UAEથી આવેલા આ કન્ટેનરમાં કિંમતી સામાન નીકળ્યો હતો. જેને કસ્ટમ્સ સમક્ષ વિગતવાર તપાસ માટે "અનકમ્પેઈન્ડ બગેજ ફોર પર્સનલ ઈફેક્ટ" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. DRIની આ તપાસ દરમિયાન કન્ટેનરમાં જૂની મૂર્તિઓ, વિન્ટેજ વાસણો, પેઇન્ટિંગ્સ, એન્ટિક ફર્નિચર અને અન્ય મૂલ્યવાન હેરિટેજ સામાન હોવાનું જણાયું હતું. જે પૈકી કેટલાક લેખો 19મી સદીના છે. આમાંના કેટલાક લેખો કિંમતી પથ્થરો, સોના-ચાંદીના બનેલા હતા અથવા સોના/ચાંદીના કોટિંગવાળા હતા. જપ્ત કરાયેલી મોટાભાગની વસ્તુઓ યુરોપિયન દેશો, ખાસ કરીને યુકે અને નેધરલેન્ડની છે. ઉલ્લેખનિય છે કે ડ્ર્ગ્સની તસ્કરી માટે બદનામ મુદ્રા પોર્ટ પરથી બહુમૂલ્ય એન્ટિક ચીજો મળી આવતા સૌને આશ્ચર્ય થયું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.