સેલ્ફી દ્વારા AMCના અધિકારીઓએ હાજરી પૂરાવી કરાઈ ફરજિયાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 14:30:46

16 સપ્ટેમ્બરથી મ્યુનિસિપલ અધિકારી તેમજ કર્મચારીઓ માટે નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ કરેલા નિર્ણય અંતર્ગત કોર્પોરેશનના વર્ગ 1,2 અને વર્ગ 3 તેમજ કોર્પોરેશનના કર્મચારીઓએ ઓનલાઈન હાજરી પૂરાવી પડશે. નોકરી સ્થળેથી પોતાની સેલ્ફી લઈ  smart city 311 પર મૂકવી પડશે. તે ઉપરાંત ફિલ્ડ પર કામ કરી રહેલા કર્મચારીઓએ ઓનલાઈન કામગીરીનો રિપોર્ટ રજૂ કરવો પડશે. તે ઉપરાંત જતી વખતે પણ સેલ્ફી લઈ હાજરી ભરાવી પડશે.

SMART CITY APP

એપ્લિકેશન દ્વારા થશે અધિકારીઓની એન્ટ્રી 

અનેક વખત AMCના કર્મચારીઓ સમયસર હાજર નથી થતા તેમજ વહેલા નીકળી જતા હોવાની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીને મળતા કર્મચારી માટે નવો નિયમ લાગૂ કરાયો છે. ઘણી વાર અધિકારી પોતાની ઓફિસે ન મળતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે પોતાના વર્કિંગ અવર્સ દરમિયાન અધિકારીઓ હાજર રહે તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો છે. Smart city 311 એપ્લિકેશન પર સેલ્ફી લઈ પોતાની વિગતો ભરવાની રહેશે. વર્ગ 4ના અધિકારો માટે અલગથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવેથી અધિકારીઓ અને કર્મચારીઓ આ એપ્લિકેશમાં પન્ચિંગ અને પંચઆઉટ કરી સેલ્ફી લઈ હાજરી પૂરાવાની રહેશે. આ નિર્ણયથી 25 હજાર અધિકારીઓને સીધી અસર થવાની છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.