સેલ્ફી દ્વારા AMCના અધિકારીઓએ હાજરી પૂરાવી કરાઈ ફરજિયાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 14:30:46

16 સપ્ટેમ્બરથી મ્યુનિસિપલ અધિકારી તેમજ કર્મચારીઓ માટે નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ કરેલા નિર્ણય અંતર્ગત કોર્પોરેશનના વર્ગ 1,2 અને વર્ગ 3 તેમજ કોર્પોરેશનના કર્મચારીઓએ ઓનલાઈન હાજરી પૂરાવી પડશે. નોકરી સ્થળેથી પોતાની સેલ્ફી લઈ  smart city 311 પર મૂકવી પડશે. તે ઉપરાંત ફિલ્ડ પર કામ કરી રહેલા કર્મચારીઓએ ઓનલાઈન કામગીરીનો રિપોર્ટ રજૂ કરવો પડશે. તે ઉપરાંત જતી વખતે પણ સેલ્ફી લઈ હાજરી ભરાવી પડશે.

SMART CITY APP

એપ્લિકેશન દ્વારા થશે અધિકારીઓની એન્ટ્રી 

અનેક વખત AMCના કર્મચારીઓ સમયસર હાજર નથી થતા તેમજ વહેલા નીકળી જતા હોવાની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીને મળતા કર્મચારી માટે નવો નિયમ લાગૂ કરાયો છે. ઘણી વાર અધિકારી પોતાની ઓફિસે ન મળતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે પોતાના વર્કિંગ અવર્સ દરમિયાન અધિકારીઓ હાજર રહે તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો છે. Smart city 311 એપ્લિકેશન પર સેલ્ફી લઈ પોતાની વિગતો ભરવાની રહેશે. વર્ગ 4ના અધિકારો માટે અલગથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવેથી અધિકારીઓ અને કર્મચારીઓ આ એપ્લિકેશમાં પન્ચિંગ અને પંચઆઉટ કરી સેલ્ફી લઈ હાજરી પૂરાવાની રહેશે. આ નિર્ણયથી 25 હજાર અધિકારીઓને સીધી અસર થવાની છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.