સેલ્ફી દ્વારા AMCના અધિકારીઓએ હાજરી પૂરાવી કરાઈ ફરજિયાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 14:30:46

16 સપ્ટેમ્બરથી મ્યુનિસિપલ અધિકારી તેમજ કર્મચારીઓ માટે નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ કરેલા નિર્ણય અંતર્ગત કોર્પોરેશનના વર્ગ 1,2 અને વર્ગ 3 તેમજ કોર્પોરેશનના કર્મચારીઓએ ઓનલાઈન હાજરી પૂરાવી પડશે. નોકરી સ્થળેથી પોતાની સેલ્ફી લઈ  smart city 311 પર મૂકવી પડશે. તે ઉપરાંત ફિલ્ડ પર કામ કરી રહેલા કર્મચારીઓએ ઓનલાઈન કામગીરીનો રિપોર્ટ રજૂ કરવો પડશે. તે ઉપરાંત જતી વખતે પણ સેલ્ફી લઈ હાજરી ભરાવી પડશે.

SMART CITY APP

એપ્લિકેશન દ્વારા થશે અધિકારીઓની એન્ટ્રી 

અનેક વખત AMCના કર્મચારીઓ સમયસર હાજર નથી થતા તેમજ વહેલા નીકળી જતા હોવાની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીને મળતા કર્મચારી માટે નવો નિયમ લાગૂ કરાયો છે. ઘણી વાર અધિકારી પોતાની ઓફિસે ન મળતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે પોતાના વર્કિંગ અવર્સ દરમિયાન અધિકારીઓ હાજર રહે તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો છે. Smart city 311 એપ્લિકેશન પર સેલ્ફી લઈ પોતાની વિગતો ભરવાની રહેશે. વર્ગ 4ના અધિકારો માટે અલગથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવેથી અધિકારીઓ અને કર્મચારીઓ આ એપ્લિકેશમાં પન્ચિંગ અને પંચઆઉટ કરી સેલ્ફી લઈ હાજરી પૂરાવાની રહેશે. આ નિર્ણયથી 25 હજાર અધિકારીઓને સીધી અસર થવાની છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.