મુનમુન દત્તાનો જર્મનીમાં થયો નાનકડો અકસ્માત


  • Published By :
  • Published Date : 2022-11-21 17:20:45

થોડા દિવસો પેહલા બાપૂજીનો રોલ ભજવનાર અમિત ભટ્ટને સેટ પર ઈજા પહોંચી હતી. ત્યારે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા ઈજાગ્રસ્ત થયા છે. મુનમુન હાલ જર્મનીના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન બબીતાને ઈજા પહોંચી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી એક્ટ્રેસે આ અંગની માહિતી આપી હતી. 



સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલે મુખ્યત્વે તમામ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાઈ છે. આ શો ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલનારો શો બન્યો છે. તમામ કલાકારોને દુનિયાભરના દર્શકો પસંદ કરી રહ્યા છે. આ શોને દરેક વયના લોકો પસંદ કરે છે. ત્યારે અમિત ભટ્ટ બાદ મુનમુન દત્તા ઈજાગ્રસ્ત થયા છે. મુનમુન દત્તા હાલ જર્મીના પ્રવાસે છે. ત્યારે તેમને ડાબા પગમાં ઈજા પહોંચી છે. સોશિયલ મીડિયા પર મુનમુનએ આ માહિતી આપી છે. પોસ્ટ કરી એક્ટ્રેસે લખ્યું કે જર્મનીમાં એક નાનકડો એક્સિડન્ટ થયો છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.