Ahmedabadમાં વધ્યા હત્યાના બનાવ, છેલ્લા 12 કલાકમાં 3 લોકોના થયા મોત, જાણો ક્યાં બની ઘટના?


  • Published By :
  • Published Date : 2023-10-31 16:45:51

ગુજરાતના અનેક લોકોમાં કાયદા વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો તેવા અનેક કિસ્સાઓ આપણી સામે અવારનવાર આવી રહ્યા છે. આ રાજ્યને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. હત્યા, લૂંટ જેવા કિસ્સાઓ બનતી હતા પરંતુ બહુ ઓછા..! ત્યારે હવે પરિસ્થિતિ બદલાઈ છે. અમદાવાદમાં ધોળા દિવસે લોકોની હત્યા થઈ રહી છે. અમદાવાદ શહેરના દધીચિ બ્રિજ રિવરફ્રન્ટ પર ફાયરિંગ સાથે હત્યાનો બનાવ બન્યો છે તેવી માહિતી સામે આવી છે. આ યુવાનની હત્યા મોડી રાત્રે અથવા તો વહેલી સવારે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

2016 પઠાણકોટ હુમલાના હેન્ડલર શાહિદ લતીફની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી  મારીને હત્યા - ChiniMandi

માતાની હત્યાની તપાસમાં 1 માસ પહેલાં પુત્રીની હત્યાની ખબર પડી |  investigation of the murder of the mother the murder of the daughter came  to light 1 month ago

જાહેરમાં કરાઈ યુવકની ગોળી મારીને હત્યા!

અમદાવાદમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જ હત્યાના અનેક બનાવો સામે આવ્યા છે. પોલીસની કામગીરી પર પણ આ અંગે અનેક સવાલો થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ હત્યાનો બનાવ બન્યો હતો. ચાંદખેડા વિસ્તારમાં નવરાત્રીની રાતે યુવકની લાશ મળી આવી હતી. આ મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે અને આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ અમદાવાદમાં બન્યો છે. દધિચિ બ્રિજ રિવરફ્રન્ટ પર એક વ્યક્તિને ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો છે. જે યુવાનની જાહેરમાં હત્યા કરાઈ છે તેનું નામ સ્મિત ગોહિલ છે તેની માહિતી સામે આવી છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

AHMEDABAD: Another Controversial Decision By AMC, Sports Complex On  Sabarmati Riverfront To Be Handed Over To Adani | અમદાવાદઃ AMC નો વધુ એક  વિવાદાસ્પદ નિર્ણય, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા ...

હત્યાના અનેક બનાવો આવી રહ્યા છે સામે 

છેલ્લા 12 કલાકમાં અમદાવાદમાં ત્રણ લોકોની હત્યા થઈ હોય તેવી માહિતી સામે આવી છે. એક તો આ ઘટના બની જેમાં એક યુવકની હત્યા થઈ ગઈ અને યુવકનું મોત થઈ ગયું. તે ઉપરાંત વટવામાં પણ એક મહિલાની હત્યા કરવામાં આવી. ગળું દબાવીને મહિલાની હત્યા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ કેસમાં મહિલાના પતિએ બે ભાઈ અને ભાભી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.