Ahmedabadમાં વધ્યા હત્યાના બનાવ, છેલ્લા 12 કલાકમાં 3 લોકોના થયા મોત, જાણો ક્યાં બની ઘટના?


  • Published By :
  • Published Date : 2023-10-31 16:45:51

ગુજરાતના અનેક લોકોમાં કાયદા વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો તેવા અનેક કિસ્સાઓ આપણી સામે અવારનવાર આવી રહ્યા છે. આ રાજ્યને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. હત્યા, લૂંટ જેવા કિસ્સાઓ બનતી હતા પરંતુ બહુ ઓછા..! ત્યારે હવે પરિસ્થિતિ બદલાઈ છે. અમદાવાદમાં ધોળા દિવસે લોકોની હત્યા થઈ રહી છે. અમદાવાદ શહેરના દધીચિ બ્રિજ રિવરફ્રન્ટ પર ફાયરિંગ સાથે હત્યાનો બનાવ બન્યો છે તેવી માહિતી સામે આવી છે. આ યુવાનની હત્યા મોડી રાત્રે અથવા તો વહેલી સવારે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

2016 પઠાણકોટ હુમલાના હેન્ડલર શાહિદ લતીફની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી  મારીને હત્યા - ChiniMandi

માતાની હત્યાની તપાસમાં 1 માસ પહેલાં પુત્રીની હત્યાની ખબર પડી |  investigation of the murder of the mother the murder of the daughter came  to light 1 month ago

જાહેરમાં કરાઈ યુવકની ગોળી મારીને હત્યા!

અમદાવાદમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જ હત્યાના અનેક બનાવો સામે આવ્યા છે. પોલીસની કામગીરી પર પણ આ અંગે અનેક સવાલો થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ હત્યાનો બનાવ બન્યો હતો. ચાંદખેડા વિસ્તારમાં નવરાત્રીની રાતે યુવકની લાશ મળી આવી હતી. આ મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે અને આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ અમદાવાદમાં બન્યો છે. દધિચિ બ્રિજ રિવરફ્રન્ટ પર એક વ્યક્તિને ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો છે. જે યુવાનની જાહેરમાં હત્યા કરાઈ છે તેનું નામ સ્મિત ગોહિલ છે તેની માહિતી સામે આવી છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

AHMEDABAD: Another Controversial Decision By AMC, Sports Complex On  Sabarmati Riverfront To Be Handed Over To Adani | અમદાવાદઃ AMC નો વધુ એક  વિવાદાસ્પદ નિર્ણય, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા ...

હત્યાના અનેક બનાવો આવી રહ્યા છે સામે 

છેલ્લા 12 કલાકમાં અમદાવાદમાં ત્રણ લોકોની હત્યા થઈ હોય તેવી માહિતી સામે આવી છે. એક તો આ ઘટના બની જેમાં એક યુવકની હત્યા થઈ ગઈ અને યુવકનું મોત થઈ ગયું. તે ઉપરાંત વટવામાં પણ એક મહિલાની હત્યા કરવામાં આવી. ગળું દબાવીને મહિલાની હત્યા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ કેસમાં મહિલાના પતિએ બે ભાઈ અને ભાભી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.