Ahmedabadમાં વધ્યા હત્યાના બનાવ, છેલ્લા 12 કલાકમાં 3 લોકોના થયા મોત, જાણો ક્યાં બની ઘટના?


  • Published By :
  • Published Date : 2023-10-31 16:45:51

ગુજરાતના અનેક લોકોમાં કાયદા વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો તેવા અનેક કિસ્સાઓ આપણી સામે અવારનવાર આવી રહ્યા છે. આ રાજ્યને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. હત્યા, લૂંટ જેવા કિસ્સાઓ બનતી હતા પરંતુ બહુ ઓછા..! ત્યારે હવે પરિસ્થિતિ બદલાઈ છે. અમદાવાદમાં ધોળા દિવસે લોકોની હત્યા થઈ રહી છે. અમદાવાદ શહેરના દધીચિ બ્રિજ રિવરફ્રન્ટ પર ફાયરિંગ સાથે હત્યાનો બનાવ બન્યો છે તેવી માહિતી સામે આવી છે. આ યુવાનની હત્યા મોડી રાત્રે અથવા તો વહેલી સવારે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

2016 પઠાણકોટ હુમલાના હેન્ડલર શાહિદ લતીફની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી  મારીને હત્યા - ChiniMandi

માતાની હત્યાની તપાસમાં 1 માસ પહેલાં પુત્રીની હત્યાની ખબર પડી |  investigation of the murder of the mother the murder of the daughter came  to light 1 month ago

જાહેરમાં કરાઈ યુવકની ગોળી મારીને હત્યા!

અમદાવાદમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જ હત્યાના અનેક બનાવો સામે આવ્યા છે. પોલીસની કામગીરી પર પણ આ અંગે અનેક સવાલો થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ હત્યાનો બનાવ બન્યો હતો. ચાંદખેડા વિસ્તારમાં નવરાત્રીની રાતે યુવકની લાશ મળી આવી હતી. આ મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે અને આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ અમદાવાદમાં બન્યો છે. દધિચિ બ્રિજ રિવરફ્રન્ટ પર એક વ્યક્તિને ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો છે. જે યુવાનની જાહેરમાં હત્યા કરાઈ છે તેનું નામ સ્મિત ગોહિલ છે તેની માહિતી સામે આવી છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

AHMEDABAD: Another Controversial Decision By AMC, Sports Complex On  Sabarmati Riverfront To Be Handed Over To Adani | અમદાવાદઃ AMC નો વધુ એક  વિવાદાસ્પદ નિર્ણય, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા ...

હત્યાના અનેક બનાવો આવી રહ્યા છે સામે 

છેલ્લા 12 કલાકમાં અમદાવાદમાં ત્રણ લોકોની હત્યા થઈ હોય તેવી માહિતી સામે આવી છે. એક તો આ ઘટના બની જેમાં એક યુવકની હત્યા થઈ ગઈ અને યુવકનું મોત થઈ ગયું. તે ઉપરાંત વટવામાં પણ એક મહિલાની હત્યા કરવામાં આવી. ગળું દબાવીને મહિલાની હત્યા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ કેસમાં મહિલાના પતિએ બે ભાઈ અને ભાભી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી