Ahmedabadમાં વધ્યા હત્યાના બનાવ, છેલ્લા 12 કલાકમાં 3 લોકોના થયા મોત, જાણો ક્યાં બની ઘટના?


  • Published By :
  • Published Date : 2023-10-31 16:45:51

ગુજરાતના અનેક લોકોમાં કાયદા વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો તેવા અનેક કિસ્સાઓ આપણી સામે અવારનવાર આવી રહ્યા છે. આ રાજ્યને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. હત્યા, લૂંટ જેવા કિસ્સાઓ બનતી હતા પરંતુ બહુ ઓછા..! ત્યારે હવે પરિસ્થિતિ બદલાઈ છે. અમદાવાદમાં ધોળા દિવસે લોકોની હત્યા થઈ રહી છે. અમદાવાદ શહેરના દધીચિ બ્રિજ રિવરફ્રન્ટ પર ફાયરિંગ સાથે હત્યાનો બનાવ બન્યો છે તેવી માહિતી સામે આવી છે. આ યુવાનની હત્યા મોડી રાત્રે અથવા તો વહેલી સવારે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

2016 પઠાણકોટ હુમલાના હેન્ડલર શાહિદ લતીફની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી  મારીને હત્યા - ChiniMandi

માતાની હત્યાની તપાસમાં 1 માસ પહેલાં પુત્રીની હત્યાની ખબર પડી |  investigation of the murder of the mother the murder of the daughter came  to light 1 month ago

જાહેરમાં કરાઈ યુવકની ગોળી મારીને હત્યા!

અમદાવાદમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જ હત્યાના અનેક બનાવો સામે આવ્યા છે. પોલીસની કામગીરી પર પણ આ અંગે અનેક સવાલો થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ હત્યાનો બનાવ બન્યો હતો. ચાંદખેડા વિસ્તારમાં નવરાત્રીની રાતે યુવકની લાશ મળી આવી હતી. આ મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે અને આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ અમદાવાદમાં બન્યો છે. દધિચિ બ્રિજ રિવરફ્રન્ટ પર એક વ્યક્તિને ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો છે. જે યુવાનની જાહેરમાં હત્યા કરાઈ છે તેનું નામ સ્મિત ગોહિલ છે તેની માહિતી સામે આવી છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

AHMEDABAD: Another Controversial Decision By AMC, Sports Complex On  Sabarmati Riverfront To Be Handed Over To Adani | અમદાવાદઃ AMC નો વધુ એક  વિવાદાસ્પદ નિર્ણય, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા ...

હત્યાના અનેક બનાવો આવી રહ્યા છે સામે 

છેલ્લા 12 કલાકમાં અમદાવાદમાં ત્રણ લોકોની હત્યા થઈ હોય તેવી માહિતી સામે આવી છે. એક તો આ ઘટના બની જેમાં એક યુવકની હત્યા થઈ ગઈ અને યુવકનું મોત થઈ ગયું. તે ઉપરાંત વટવામાં પણ એક મહિલાની હત્યા કરવામાં આવી. ગળું દબાવીને મહિલાની હત્યા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ કેસમાં મહિલાના પતિએ બે ભાઈ અને ભાભી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.