રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ! માનસિક રીતે અસ્થિર પિતાએ લીધો માસુમ બાળકીનો જીવ, છરીથી કર્યો હતો બે સંતાન અને પત્ની પર હુમલો


  • Published By :
  • Published Date : 2023-03-08 12:03:40

એક તરફ લોકો જ્યારે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ રાજકોટમાં ખુની ખેલ ખેલાયો છે. ધૂળેટીના દિવસે રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા પરિવાર પર હુમલો થયો છે. આ હુમલામાં ત્રણ મહિનાની પુત્રીનું મોત થયું છે જ્યારે તેમની પત્ની અને ચાર વર્ષના પુત્રને ઈજાઓ પહોંચી છે. બાળકીએ પોતાના પતિને કારણે જીવ ગુમાવ્યો છે. પિતાએ જ પરિવાર પર હુમલો કર્યો છે. 


મગજથી અસ્થિર પિતાએ લીધો બાળકીનો જીવ  

રાજકોટમાં રહેતા પરિવાર પર પિતાએ જ હુમલો કરતા આ ઘટના અંગે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. હુમલાને કારણે ત્રણ મહિનાની દીકરીનું મોત થયું છે. મૃતકની માતાએ કહ્યું કે મારો પતિ મગજથી અસ્થિર છે. દીકરી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. જેમાં નિર્દોષ બાળકીનું મોત નિપજ્યું છે.


ઘાતક હુમલામાં પત્ની અને પુત્ર થયા ઈજાગ્રસ્ત 

આ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ અંગે પ્રાથમિક વિગતો આપતા પોલીસે જણાવ્યું કે ઈન્દિરા સર્કલ પાસે આવેલા અજંતા એપોર્ટમેન્ટમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પતિએ ચપ્પા વડે પોતાના જ પરિવાર પર હુમલો કર્યો. ઘાતકી હુમલો થતાં તેની પત્ની તેમજ તેના પુત્રને ઈજા પહોંચી છે જ્યારે ત્રણ માસની દીકરીનું મોત થયું છે. 


માતાજીના કહેવા પર પતિએ પરિવાર પર કર્યો હુમલો!

મૃતકના માતાએ નિવેદન આપ્યું કે  જેમાં તેઓ કહી રહ્યા છે કે મારો પતિ માનસિક રીતે અસ્થિર છે. તેણે માતાજી આવતાં હુમલો કર્યો છે. માતાજીએ એમ કહ્યું કે પરિવારના બધાને મારી નાખ, એટલે છરી વડે હુમલો કર્યો છે. આ નિવેદન બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. અને મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી પતિ પ્રેમસંગ નેપાળીની અટકાયત કરી દીધી છે. હુમલામાં ઈજાગ્રસ્ત પત્ની અને પુત્રની સારવાર ચાલી રહી છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.