રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ! માનસિક રીતે અસ્થિર પિતાએ લીધો માસુમ બાળકીનો જીવ, છરીથી કર્યો હતો બે સંતાન અને પત્ની પર હુમલો


  • Published By :
  • Published Date : 2023-03-08 12:03:40

એક તરફ લોકો જ્યારે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ રાજકોટમાં ખુની ખેલ ખેલાયો છે. ધૂળેટીના દિવસે રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા પરિવાર પર હુમલો થયો છે. આ હુમલામાં ત્રણ મહિનાની પુત્રીનું મોત થયું છે જ્યારે તેમની પત્ની અને ચાર વર્ષના પુત્રને ઈજાઓ પહોંચી છે. બાળકીએ પોતાના પતિને કારણે જીવ ગુમાવ્યો છે. પિતાએ જ પરિવાર પર હુમલો કર્યો છે. 


મગજથી અસ્થિર પિતાએ લીધો બાળકીનો જીવ  

રાજકોટમાં રહેતા પરિવાર પર પિતાએ જ હુમલો કરતા આ ઘટના અંગે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. હુમલાને કારણે ત્રણ મહિનાની દીકરીનું મોત થયું છે. મૃતકની માતાએ કહ્યું કે મારો પતિ મગજથી અસ્થિર છે. દીકરી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. જેમાં નિર્દોષ બાળકીનું મોત નિપજ્યું છે.


ઘાતક હુમલામાં પત્ની અને પુત્ર થયા ઈજાગ્રસ્ત 

આ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ અંગે પ્રાથમિક વિગતો આપતા પોલીસે જણાવ્યું કે ઈન્દિરા સર્કલ પાસે આવેલા અજંતા એપોર્ટમેન્ટમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પતિએ ચપ્પા વડે પોતાના જ પરિવાર પર હુમલો કર્યો. ઘાતકી હુમલો થતાં તેની પત્ની તેમજ તેના પુત્રને ઈજા પહોંચી છે જ્યારે ત્રણ માસની દીકરીનું મોત થયું છે. 


માતાજીના કહેવા પર પતિએ પરિવાર પર કર્યો હુમલો!

મૃતકના માતાએ નિવેદન આપ્યું કે  જેમાં તેઓ કહી રહ્યા છે કે મારો પતિ માનસિક રીતે અસ્થિર છે. તેણે માતાજી આવતાં હુમલો કર્યો છે. માતાજીએ એમ કહ્યું કે પરિવારના બધાને મારી નાખ, એટલે છરી વડે હુમલો કર્યો છે. આ નિવેદન બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. અને મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી પતિ પ્રેમસંગ નેપાળીની અટકાયત કરી દીધી છે. હુમલામાં ઈજાગ્રસ્ત પત્ની અને પુત્રની સારવાર ચાલી રહી છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.