રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ! માનસિક રીતે અસ્થિર પિતાએ લીધો માસુમ બાળકીનો જીવ, છરીથી કર્યો હતો બે સંતાન અને પત્ની પર હુમલો


  • Published By :
  • Published Date : 2023-03-08 12:03:40

એક તરફ લોકો જ્યારે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ રાજકોટમાં ખુની ખેલ ખેલાયો છે. ધૂળેટીના દિવસે રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા પરિવાર પર હુમલો થયો છે. આ હુમલામાં ત્રણ મહિનાની પુત્રીનું મોત થયું છે જ્યારે તેમની પત્ની અને ચાર વર્ષના પુત્રને ઈજાઓ પહોંચી છે. બાળકીએ પોતાના પતિને કારણે જીવ ગુમાવ્યો છે. પિતાએ જ પરિવાર પર હુમલો કર્યો છે. 


મગજથી અસ્થિર પિતાએ લીધો બાળકીનો જીવ  

રાજકોટમાં રહેતા પરિવાર પર પિતાએ જ હુમલો કરતા આ ઘટના અંગે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. હુમલાને કારણે ત્રણ મહિનાની દીકરીનું મોત થયું છે. મૃતકની માતાએ કહ્યું કે મારો પતિ મગજથી અસ્થિર છે. દીકરી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. જેમાં નિર્દોષ બાળકીનું મોત નિપજ્યું છે.


ઘાતક હુમલામાં પત્ની અને પુત્ર થયા ઈજાગ્રસ્ત 

આ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ અંગે પ્રાથમિક વિગતો આપતા પોલીસે જણાવ્યું કે ઈન્દિરા સર્કલ પાસે આવેલા અજંતા એપોર્ટમેન્ટમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પતિએ ચપ્પા વડે પોતાના જ પરિવાર પર હુમલો કર્યો. ઘાતકી હુમલો થતાં તેની પત્ની તેમજ તેના પુત્રને ઈજા પહોંચી છે જ્યારે ત્રણ માસની દીકરીનું મોત થયું છે. 


માતાજીના કહેવા પર પતિએ પરિવાર પર કર્યો હુમલો!

મૃતકના માતાએ નિવેદન આપ્યું કે  જેમાં તેઓ કહી રહ્યા છે કે મારો પતિ માનસિક રીતે અસ્થિર છે. તેણે માતાજી આવતાં હુમલો કર્યો છે. માતાજીએ એમ કહ્યું કે પરિવારના બધાને મારી નાખ, એટલે છરી વડે હુમલો કર્યો છે. આ નિવેદન બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. અને મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી પતિ પ્રેમસંગ નેપાળીની અટકાયત કરી દીધી છે. હુમલામાં ઈજાગ્રસ્ત પત્ની અને પુત્રની સારવાર ચાલી રહી છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.