છત્તીસગઢમાં ST-SC યુવાનોનું નગ્ન વિરોધ પ્રદર્શન, વિધાનસભાનો ઘેરાવ કરવા જતા પોલીસે કરી અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-07-18 16:42:26

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મંગળવારે એસસી અને એસટી સમુદાયના યુવાનોએ સંપુર્ણપણે નગ્ન થઈને વિરોધ પ્રદર્શન કરતા હોબાળો મચી ગયો છે. તેમણે નકલી જાતી સર્ટિફિકેટ બનાવીને સરકારી નોકરી કરી રહેલા લોકો સામે કાર્યવાહીની માગ કરતા વિરોધ પ્રદર્શિત કર્યું હતું.  દેખાવકારો નગ્ન થઈને વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા. જો કે પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે છત્તીશગઢમાં બનાવટી જાતિ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી કરનારા લોકોના કારણે મામલો ગરમાયો છે. આરોપ છે કે અનેક બિન અનામત વર્ગના લોકો પણ બનાવટી જાતિ સર્ટીફિકેટ બનાવીને સરકારી નોકરી મેળવી છે. 


કેટલાય દિવસોથી ધરણા કરી રહ્યા છે યુવાનો


છત્તીશગઢમાં થોડા દિવસોથી યુવાનો ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે, મંગળવારે ધરણા- પ્રદર્શનોમાં સામેલ થયેલા અનુસુચિત જાતિ અને જનજાતિ વર્ગના યુવાનો આ મામલે અધિકારીઓને નગ્ન પ્રદર્શનની ચિમકી આપી હતી. જો કે સરકારે કોઈ કાર્યવાહી ન કરતા અંતે તેમણે નિર્વસ્ત્ર બનીને સરકારને ઉંઘમાંથી જગાડવાનું કામ કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા આ યુવાનોનો આરોપ છે કે બનાવટી એસ સી અને એસ ટી સર્ટીફિકેટના આધારે રાજ્યમાં 267 લોકો નોકરી કરી રહ્યા છે. આવા લોકોને સસ્પેન્ડ કરવાનો 3 વર્ષ પહેલા જ આદેશ આપવામાં આવ્યો હતો જો કે હજું સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. આ વિરોધ પ્રદર્શકોએ મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર સામે પણ સુત્રોચ્ચારો કર્યા હતા. 



જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.