છત્તીસગઢમાં ST-SC યુવાનોનું નગ્ન વિરોધ પ્રદર્શન, વિધાનસભાનો ઘેરાવ કરવા જતા પોલીસે કરી અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-07-18 16:42:26

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મંગળવારે એસસી અને એસટી સમુદાયના યુવાનોએ સંપુર્ણપણે નગ્ન થઈને વિરોધ પ્રદર્શન કરતા હોબાળો મચી ગયો છે. તેમણે નકલી જાતી સર્ટિફિકેટ બનાવીને સરકારી નોકરી કરી રહેલા લોકો સામે કાર્યવાહીની માગ કરતા વિરોધ પ્રદર્શિત કર્યું હતું.  દેખાવકારો નગ્ન થઈને વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા. જો કે પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે છત્તીશગઢમાં બનાવટી જાતિ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી કરનારા લોકોના કારણે મામલો ગરમાયો છે. આરોપ છે કે અનેક બિન અનામત વર્ગના લોકો પણ બનાવટી જાતિ સર્ટીફિકેટ બનાવીને સરકારી નોકરી મેળવી છે. 


કેટલાય દિવસોથી ધરણા કરી રહ્યા છે યુવાનો


છત્તીશગઢમાં થોડા દિવસોથી યુવાનો ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે, મંગળવારે ધરણા- પ્રદર્શનોમાં સામેલ થયેલા અનુસુચિત જાતિ અને જનજાતિ વર્ગના યુવાનો આ મામલે અધિકારીઓને નગ્ન પ્રદર્શનની ચિમકી આપી હતી. જો કે સરકારે કોઈ કાર્યવાહી ન કરતા અંતે તેમણે નિર્વસ્ત્ર બનીને સરકારને ઉંઘમાંથી જગાડવાનું કામ કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા આ યુવાનોનો આરોપ છે કે બનાવટી એસ સી અને એસ ટી સર્ટીફિકેટના આધારે રાજ્યમાં 267 લોકો નોકરી કરી રહ્યા છે. આવા લોકોને સસ્પેન્ડ કરવાનો 3 વર્ષ પહેલા જ આદેશ આપવામાં આવ્યો હતો જો કે હજું સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. આ વિરોધ પ્રદર્શકોએ મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર સામે પણ સુત્રોચ્ચારો કર્યા હતા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.