છત્તીસગઢમાં ST-SC યુવાનોનું નગ્ન વિરોધ પ્રદર્શન, વિધાનસભાનો ઘેરાવ કરવા જતા પોલીસે કરી અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-07-18 16:42:26

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મંગળવારે એસસી અને એસટી સમુદાયના યુવાનોએ સંપુર્ણપણે નગ્ન થઈને વિરોધ પ્રદર્શન કરતા હોબાળો મચી ગયો છે. તેમણે નકલી જાતી સર્ટિફિકેટ બનાવીને સરકારી નોકરી કરી રહેલા લોકો સામે કાર્યવાહીની માગ કરતા વિરોધ પ્રદર્શિત કર્યું હતું.  દેખાવકારો નગ્ન થઈને વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા. જો કે પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે છત્તીશગઢમાં બનાવટી જાતિ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી કરનારા લોકોના કારણે મામલો ગરમાયો છે. આરોપ છે કે અનેક બિન અનામત વર્ગના લોકો પણ બનાવટી જાતિ સર્ટીફિકેટ બનાવીને સરકારી નોકરી મેળવી છે. 


કેટલાય દિવસોથી ધરણા કરી રહ્યા છે યુવાનો


છત્તીશગઢમાં થોડા દિવસોથી યુવાનો ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે, મંગળવારે ધરણા- પ્રદર્શનોમાં સામેલ થયેલા અનુસુચિત જાતિ અને જનજાતિ વર્ગના યુવાનો આ મામલે અધિકારીઓને નગ્ન પ્રદર્શનની ચિમકી આપી હતી. જો કે સરકારે કોઈ કાર્યવાહી ન કરતા અંતે તેમણે નિર્વસ્ત્ર બનીને સરકારને ઉંઘમાંથી જગાડવાનું કામ કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા આ યુવાનોનો આરોપ છે કે બનાવટી એસ સી અને એસ ટી સર્ટીફિકેટના આધારે રાજ્યમાં 267 લોકો નોકરી કરી રહ્યા છે. આવા લોકોને સસ્પેન્ડ કરવાનો 3 વર્ષ પહેલા જ આદેશ આપવામાં આવ્યો હતો જો કે હજું સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. આ વિરોધ પ્રદર્શકોએ મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર સામે પણ સુત્રોચ્ચારો કર્યા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.