છત્તીસગઢમાં ST-SC યુવાનોનું નગ્ન વિરોધ પ્રદર્શન, વિધાનસભાનો ઘેરાવ કરવા જતા પોલીસે કરી અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-07-18 16:42:26

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મંગળવારે એસસી અને એસટી સમુદાયના યુવાનોએ સંપુર્ણપણે નગ્ન થઈને વિરોધ પ્રદર્શન કરતા હોબાળો મચી ગયો છે. તેમણે નકલી જાતી સર્ટિફિકેટ બનાવીને સરકારી નોકરી કરી રહેલા લોકો સામે કાર્યવાહીની માગ કરતા વિરોધ પ્રદર્શિત કર્યું હતું.  દેખાવકારો નગ્ન થઈને વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા. જો કે પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે છત્તીશગઢમાં બનાવટી જાતિ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી કરનારા લોકોના કારણે મામલો ગરમાયો છે. આરોપ છે કે અનેક બિન અનામત વર્ગના લોકો પણ બનાવટી જાતિ સર્ટીફિકેટ બનાવીને સરકારી નોકરી મેળવી છે. 


કેટલાય દિવસોથી ધરણા કરી રહ્યા છે યુવાનો


છત્તીશગઢમાં થોડા દિવસોથી યુવાનો ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે, મંગળવારે ધરણા- પ્રદર્શનોમાં સામેલ થયેલા અનુસુચિત જાતિ અને જનજાતિ વર્ગના યુવાનો આ મામલે અધિકારીઓને નગ્ન પ્રદર્શનની ચિમકી આપી હતી. જો કે સરકારે કોઈ કાર્યવાહી ન કરતા અંતે તેમણે નિર્વસ્ત્ર બનીને સરકારને ઉંઘમાંથી જગાડવાનું કામ કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા આ યુવાનોનો આરોપ છે કે બનાવટી એસ સી અને એસ ટી સર્ટીફિકેટના આધારે રાજ્યમાં 267 લોકો નોકરી કરી રહ્યા છે. આવા લોકોને સસ્પેન્ડ કરવાનો 3 વર્ષ પહેલા જ આદેશ આપવામાં આવ્યો હતો જો કે હજું સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. આ વિરોધ પ્રદર્શકોએ મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર સામે પણ સુત્રોચ્ચારો કર્યા હતા. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .