32 વર્ષે જેલમાંથી છુટ્યા બાદ નલિની શ્રીહરને કહ્યું- "ગાંધી પરિવાર સાથે મુલાકાતની કોઈ યોજના નથી"


  • Published By :
  • Published Date : 2022-11-13 17:02:56

દેશની સૌથી લાંબી આજીવન કેદની સજા ભોગવી રહેલી મહિલા કેદી નલિની શ્રીહરને શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શનિવારે વેલ્લોર જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી, જેણે આરપી રવિચંદ્રન સહિત તમામ છ દોષિતોને પણ રાહત આપી છે. જેલમાંથી બહાર આવીને નલિની શ્રીહરને તમિલનાડુના લોકોનો આભાર માન્યો અને કહ્યું કે તેઓએ 32 વર્ષ સુધી તેમને સાથ આપ્યો.


નલિની શ્રીહરને શું કહ્યું?


નલિની શ્રીહરને મીડિયા સાથે વાત કરતા તેની ભવિષ્ય યોજના અંગે કહ્યું હતું કે તેમના પરિવારના તમામ સભ્યો લાંબા સમય સુધી તેમની રાહ જોઈ રહ્યા છે, અને હવે તે તેમની સાથે રહેવા માંગે છે. આ પ્રસંગે તેણે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માન્યો હતો. અને કહ્યું તે તેમણે આ દરમિયાન ઘણી મદદ કરી છે. 


(1)ગાંધી પરિવાર સાથે મુવાકાત અંગે તેણે કહ્યું કે તેમની સાથે મુલાકાતની કોઈ યોજના નથી, તે સાથે જ તેણે તે પણ કહ્યું કે મારા પતિ જ્યાં જશે તે તેમની સાથે જ જઈશ. અમે બંને છેલ્લા 32 વર્ષથી અલગ રહ્યા છિએ.


(2)જેલમાં દોષિતોના સારા આચરણને ધ્યાનમાં રાખીને જસ્ટિસ બી આર ગવઈ અને બી વી નાગરત્નાની બે ન્યાયાધીશોની બેંચ અંગે તેમણે કહ્યું    કે તેમણે કેસની સારી રીતે અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે મુક્તિનો નિર્ણય કર્યો હતો.


(3)પ્રિયંકા ગાંઘી સાથે મુલાકાત અંગે નલિનીએ કહ્યું કે પ્રિયંકા ગાંધી મને જેલમાં મળવા આવી હતી. તેમણે મને તેમના તેમના પિતાની હત્યા અંગે પુછ્યું હતું. તે તેમના પિતાને લઈ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી હતી. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.