32 વર્ષે જેલમાંથી છુટ્યા બાદ નલિની શ્રીહરને કહ્યું- "ગાંધી પરિવાર સાથે મુલાકાતની કોઈ યોજના નથી"


  • Published By :
  • Published Date : 2022-11-13 17:02:56

દેશની સૌથી લાંબી આજીવન કેદની સજા ભોગવી રહેલી મહિલા કેદી નલિની શ્રીહરને શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શનિવારે વેલ્લોર જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી, જેણે આરપી રવિચંદ્રન સહિત તમામ છ દોષિતોને પણ રાહત આપી છે. જેલમાંથી બહાર આવીને નલિની શ્રીહરને તમિલનાડુના લોકોનો આભાર માન્યો અને કહ્યું કે તેઓએ 32 વર્ષ સુધી તેમને સાથ આપ્યો.


નલિની શ્રીહરને શું કહ્યું?


નલિની શ્રીહરને મીડિયા સાથે વાત કરતા તેની ભવિષ્ય યોજના અંગે કહ્યું હતું કે તેમના પરિવારના તમામ સભ્યો લાંબા સમય સુધી તેમની રાહ જોઈ રહ્યા છે, અને હવે તે તેમની સાથે રહેવા માંગે છે. આ પ્રસંગે તેણે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માન્યો હતો. અને કહ્યું તે તેમણે આ દરમિયાન ઘણી મદદ કરી છે. 


(1)ગાંધી પરિવાર સાથે મુવાકાત અંગે તેણે કહ્યું કે તેમની સાથે મુલાકાતની કોઈ યોજના નથી, તે સાથે જ તેણે તે પણ કહ્યું કે મારા પતિ જ્યાં જશે તે તેમની સાથે જ જઈશ. અમે બંને છેલ્લા 32 વર્ષથી અલગ રહ્યા છિએ.


(2)જેલમાં દોષિતોના સારા આચરણને ધ્યાનમાં રાખીને જસ્ટિસ બી આર ગવઈ અને બી વી નાગરત્નાની બે ન્યાયાધીશોની બેંચ અંગે તેમણે કહ્યું    કે તેમણે કેસની સારી રીતે અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે મુક્તિનો નિર્ણય કર્યો હતો.


(3)પ્રિયંકા ગાંઘી સાથે મુલાકાત અંગે નલિનીએ કહ્યું કે પ્રિયંકા ગાંધી મને જેલમાં મળવા આવી હતી. તેમણે મને તેમના તેમના પિતાની હત્યા અંગે પુછ્યું હતું. તે તેમના પિતાને લઈ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી હતી. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.