ગામડાઓમાં પણ ભાજપ સામે ઉગ્ર વિરોધ, દિયોદરમાં નમો કિસાન પંચાયતમાં ભારે હોબાળો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 16:35:47

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. રાજ્યનું પાટનગર ગાંધીનગર તો કર્મચારીઓ વ્યાપક વિરોધ પ્રદર્શનોના કારણે આંદોલનગર બની ગયું છે. જો કે હવે ગાંમડાઓમાં પણ ભાજપને લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આજે બનાસકાંઠાના દિયોદર  ભાજપના ‘નમો પંચાયત’ કાર્યક્રમમાં ભારે હોબાળો થયો હતો. 


દિયોદરમાં ભાજપની ‘નમો પંચાયત’માં ખેડૂતો અને ગૌ પ્રેમીઓનો હોબાળો


દિયોદરના આઝાદ ચોક ખાતે યોજાયેલા ભાજપના નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ખેડૂતો અને ગૌ પ્રેમીઓએ હોબાળો મચાવ્યો હતો. સરકાર દ્વારા ગાય માટે રૂ. 500 કરોડની સહાય ન ચૂકવતા નારાજ ગૌપ્રેમીઓ વિફર્યા હતા અને ખુરશીઓ ઉછાળી હતી. બીજી તરફ લાંબા સમયથી પોતાની પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતોએ પણ કાર્યક્રમ સ્થળે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર બનાવને પગલે પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. ગૌ-સેવકોએ ગાયો માટે સરકારે ફાળવેલ સહાય આપવાની માગ કરી હતી. ગૌ પ્રેમીઓ અને ગૌ સેવકોએ ગૌ-માતાની જય બોલાવી કાર્યક્રમના સ્થળે વિરોધ નોંધાવ્યો હતો. ભારે વિરોધને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં ભાજપનો નમો કાર્યક્રમ સ્થગિત કરાયો હતો. ભાજપના કાર્યક્રરોને જગ્યાએથી ઉભા કરી દેવાયા હતા અને ભાજપના બેનરો પણ હટાવી લીધા હતા. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"