ગામડાઓમાં પણ ભાજપ સામે ઉગ્ર વિરોધ, દિયોદરમાં નમો કિસાન પંચાયતમાં ભારે હોબાળો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 16:35:47

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. રાજ્યનું પાટનગર ગાંધીનગર તો કર્મચારીઓ વ્યાપક વિરોધ પ્રદર્શનોના કારણે આંદોલનગર બની ગયું છે. જો કે હવે ગાંમડાઓમાં પણ ભાજપને લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આજે બનાસકાંઠાના દિયોદર  ભાજપના ‘નમો પંચાયત’ કાર્યક્રમમાં ભારે હોબાળો થયો હતો. 


દિયોદરમાં ભાજપની ‘નમો પંચાયત’માં ખેડૂતો અને ગૌ પ્રેમીઓનો હોબાળો


દિયોદરના આઝાદ ચોક ખાતે યોજાયેલા ભાજપના નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ખેડૂતો અને ગૌ પ્રેમીઓએ હોબાળો મચાવ્યો હતો. સરકાર દ્વારા ગાય માટે રૂ. 500 કરોડની સહાય ન ચૂકવતા નારાજ ગૌપ્રેમીઓ વિફર્યા હતા અને ખુરશીઓ ઉછાળી હતી. બીજી તરફ લાંબા સમયથી પોતાની પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતોએ પણ કાર્યક્રમ સ્થળે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર બનાવને પગલે પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. ગૌ-સેવકોએ ગાયો માટે સરકારે ફાળવેલ સહાય આપવાની માગ કરી હતી. ગૌ પ્રેમીઓ અને ગૌ સેવકોએ ગૌ-માતાની જય બોલાવી કાર્યક્રમના સ્થળે વિરોધ નોંધાવ્યો હતો. ભારે વિરોધને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં ભાજપનો નમો કાર્યક્રમ સ્થગિત કરાયો હતો. ભાજપના કાર્યક્રરોને જગ્યાએથી ઉભા કરી દેવાયા હતા અને ભાજપના બેનરો પણ હટાવી લીધા હતા. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.