સૌથી મોટા ભુવા નરેન્દ્ર મોદી, એકબાદ એક નાળિયેર ફેંકે છેઃ BJP પ્રદેશ પ્રમુખ પાટીલ


  • Published By :
  • Published Date : 2022-10-28 14:54:34

ચૂંટણી નજીક આવતા જ અવનવા નિવેદનો અને વિવાદિત નિવેદનોનો રાફડો જોવા મળે છે તેવું જ એક અલગ પ્રકારનું નિવેદન ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે આપ્યું છે તેમણે હસતાં-હસતાં નરેન્દ્ર મોદીને ભુવા કહ્યા છે. સીઆર પાટીલે સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું કે નરેન્દ્ર મોદી એક બાદ એક નાળિયેર ફેંકે છે.


ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલનમાં સીઆર પાટીલે મોદીને ભુવા કહ્યા 

આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેસા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. કાકોસી ચાર રસ્તાથી સીઆર પાટીલનો રોડ શો પણ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં જીભાજી ઠાકોર અને તેમના સમર્થકો સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જીભાજી ઠાકોર પાટણ જિલ્લા ક્ષત્રીય ઠાકોર સેનાના પ્રમુખ છે. 


સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલ પર કર્યા પ્રહારો 

ક્ષત્રિય ઠાકોર સ્નેહમિલન કાર્યક્રમમાં સીઆર પાટીલે સ્ટેજ પરથી સંબોધન કર્યું હતું. સીઆર પાટીલે ચૂંટણી પહેલા સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટા ભુવા છે. કે નરેન્દ્ર મોદી એક બાદ એક નાળિયેર ફેંકે છે. સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલનો પણ ઉધડો લીધો હતો. અરવિંદ કેજરીવાલે અપીલ કરી હતી કે નોટ પર લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો હોવો જોઈએ. તેના પર સીઆર પાટીલે નિવેદન આપ્યું હતું કે કેજરીવાલે પંજાબના કાર્યાયલમાંથી ગાંધીજીનો ફોટો હટાવી દીધો છે. ત્યારે હાલ કેજરીવાલ નોટો પરથી પણ ગાંધીજીનો ફોટો હટાવી દે, તેનાથી બચીને રહેવું જોઈએ. 






રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.