સૌથી મોટા ભુવા નરેન્દ્ર મોદી, એકબાદ એક નાળિયેર ફેંકે છેઃ BJP પ્રદેશ પ્રમુખ પાટીલ


  • Published By :
  • Published Date : 2022-10-28 14:54:34

ચૂંટણી નજીક આવતા જ અવનવા નિવેદનો અને વિવાદિત નિવેદનોનો રાફડો જોવા મળે છે તેવું જ એક અલગ પ્રકારનું નિવેદન ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે આપ્યું છે તેમણે હસતાં-હસતાં નરેન્દ્ર મોદીને ભુવા કહ્યા છે. સીઆર પાટીલે સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું કે નરેન્દ્ર મોદી એક બાદ એક નાળિયેર ફેંકે છે.


ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલનમાં સીઆર પાટીલે મોદીને ભુવા કહ્યા 

આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેસા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. કાકોસી ચાર રસ્તાથી સીઆર પાટીલનો રોડ શો પણ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં જીભાજી ઠાકોર અને તેમના સમર્થકો સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જીભાજી ઠાકોર પાટણ જિલ્લા ક્ષત્રીય ઠાકોર સેનાના પ્રમુખ છે. 


સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલ પર કર્યા પ્રહારો 

ક્ષત્રિય ઠાકોર સ્નેહમિલન કાર્યક્રમમાં સીઆર પાટીલે સ્ટેજ પરથી સંબોધન કર્યું હતું. સીઆર પાટીલે ચૂંટણી પહેલા સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટા ભુવા છે. કે નરેન્દ્ર મોદી એક બાદ એક નાળિયેર ફેંકે છે. સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલનો પણ ઉધડો લીધો હતો. અરવિંદ કેજરીવાલે અપીલ કરી હતી કે નોટ પર લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો હોવો જોઈએ. તેના પર સીઆર પાટીલે નિવેદન આપ્યું હતું કે કેજરીવાલે પંજાબના કાર્યાયલમાંથી ગાંધીજીનો ફોટો હટાવી દીધો છે. ત્યારે હાલ કેજરીવાલ નોટો પરથી પણ ગાંધીજીનો ફોટો હટાવી દે, તેનાથી બચીને રહેવું જોઈએ. 






પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.