સૌથી મોટા ભુવા નરેન્દ્ર મોદી, એકબાદ એક નાળિયેર ફેંકે છેઃ BJP પ્રદેશ પ્રમુખ પાટીલ


  • Published By :
  • Published Date : 2022-10-28 14:54:34

ચૂંટણી નજીક આવતા જ અવનવા નિવેદનો અને વિવાદિત નિવેદનોનો રાફડો જોવા મળે છે તેવું જ એક અલગ પ્રકારનું નિવેદન ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે આપ્યું છે તેમણે હસતાં-હસતાં નરેન્દ્ર મોદીને ભુવા કહ્યા છે. સીઆર પાટીલે સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું કે નરેન્દ્ર મોદી એક બાદ એક નાળિયેર ફેંકે છે.


ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલનમાં સીઆર પાટીલે મોદીને ભુવા કહ્યા 

આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેસા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. કાકોસી ચાર રસ્તાથી સીઆર પાટીલનો રોડ શો પણ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં જીભાજી ઠાકોર અને તેમના સમર્થકો સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જીભાજી ઠાકોર પાટણ જિલ્લા ક્ષત્રીય ઠાકોર સેનાના પ્રમુખ છે. 


સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલ પર કર્યા પ્રહારો 

ક્ષત્રિય ઠાકોર સ્નેહમિલન કાર્યક્રમમાં સીઆર પાટીલે સ્ટેજ પરથી સંબોધન કર્યું હતું. સીઆર પાટીલે ચૂંટણી પહેલા સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટા ભુવા છે. કે નરેન્દ્ર મોદી એક બાદ એક નાળિયેર ફેંકે છે. સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલનો પણ ઉધડો લીધો હતો. અરવિંદ કેજરીવાલે અપીલ કરી હતી કે નોટ પર લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો હોવો જોઈએ. તેના પર સીઆર પાટીલે નિવેદન આપ્યું હતું કે કેજરીવાલે પંજાબના કાર્યાયલમાંથી ગાંધીજીનો ફોટો હટાવી દીધો છે. ત્યારે હાલ કેજરીવાલ નોટો પરથી પણ ગાંધીજીનો ફોટો હટાવી દે, તેનાથી બચીને રહેવું જોઈએ. 






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.