નરેન્દ્ર મોદી ત્રીજી વંદે ભારતને લીલીઝંડી દેખાડી પ્રસ્થાન કરાવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 13:26:01

નરેન્દ્ર મોદી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે  

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપશે. દેશની ત્રીજી અને ગુજરાતની પેહલી વંદે ભારત એક્સપ્રેસ 30 સપ્ટેમ્બરે ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડવવામાં આવશે. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીઝંડી આપી પ્રસ્થાન કરાવશે તેવું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું. વંદે ભારતનાનું ભાડું 1200 રૂપિયા તેમજ એક્ઝિક્યુટિવનું ભાડું 2500 રૂપિયાની આસપાસ રહે તેવી શક્યતા છે. 

75 વંદેભારત એક્સપ્રેસ દોડાવાશે... 

રેલ્વે મંત્રીએ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ મોટા શહરોને જોડતી 75 વંદેભારત એક્સપ્રેસ દોડાવવામાં આવશે. સાબરમતી ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ ફેબ્રુઆરી સુધીમાં શરૂ થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી ખાતે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાઈ રહ્યું છે. 3.54 હેક્ટરમાં 332 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ હબમાં બ્લોક એમાં 9 માળની તેમજ બ્લોક બીમાં 7 માળની એમ 2 બિલ્ડિંગ સાથે નિર્માણ પામી રહ્યું છે. 

મેટ્રો રૂટ શરૂ થશે 

30 સપ્ટેમ્બરથી વસ્ત્રાપુરથી થલતેજ અને APMCથી મોટેરા સુધીનો મેટ્રો રૂટ શરૂ થઈ શકે છે. અમદાવાદ શહેરમાં મેટ્રો ફેઝ-1માં 40 કિલોમીટર રૂટમાંથી થલતેજથી થલતેજ ગામ સુધીના લગભગ એકથી દોઢ કિલોમીટરના રૂટ સિવાય લગભગ 38 કિલોમીટર રૂટનું કામ લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આ રૂટનું લોકાર્પણ કરી શકે તેવી સંભાવના છે.


ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.