ખોડલધામના આ બે ટ્રસ્ટીઓને ભાજપની ટિકિટ મળે તે માટે નરેશ પટેલના પ્રયત્નો શરૂ


  • Published By :
  • Published Date : 2022-11-07 19:05:39

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોની  ટિકિટ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સમાજના અગ્રણીઓ, મોટા ઉદ્યોગપતિઓ અને ધર્મગુરૂઓ પણ તેમના મળતિયાઓને ટિકિટ મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખોડલધામના ચેરમેન નરેશ પટેલએ તેમના બે વિશ્વાસુ માણસો માટે ભાજપમાં  ટિકિટ માટે લોબિંગ શરૂ કર્યું છે.    


નરેશ પટેલ કોના માટે મહેનત કરી રહ્યા છે?


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ તેમના બે સાથીઓને ભાજપની ટિકિટ માટે અંગત રીતે રસ લઈ રહ્યા છે.  ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણી માટે પ્રયત્નો કરી રહ્યા છે. હાલ રાજકોટ દક્ષિણ અને અમદાવાદની એક બેઠક હાઇ પ્રોફાઇલ બની છે.


નરેશ પટેલે દિલ્લીમાં પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશ ટીલાળા, રમેશ મેંદપરા, દિનેશ કુંભાણી, પ્રવીણભાઈ પટેલ દિલ્હીમાં PM મોદીને મળીને વિધિવત ખોડલધામ આવવાનું આમંત્રણ આપ્યું હતું. મોદીના આમંત્રણમાં સૌથી વધુ રસ ટીલાળાને છે. વળી તાજેતરમાં અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બંને નેતાઓએ મુલાકાત કરી હતી. જેને લઇને રાજકારણ ગરમાયું છે.  જ્યારે વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટીકિટ આપવાનો આગ્રહ કરી રહ્યા છે.


રમેશ ટીલાળા ધારાસભ્ય બનવા તલપાપડ 


ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, ટીલાળા રાજકોટ પૂર્વ સીટ પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માગે છે. આ સીટ પર હાલના ધારાસભ્ય તરીકે વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે. ટીલાળા ખોડલધામના ટ્રસ્ટી હોવાની સાથે ઉદ્યોગપતિ છે. પહેલાં ગોંડલ બેઠક પર ચાલતું નામ રાજકોટ પૂર્વ બેઠક પર આવ્યું હવે ગોવિંદ પટેલની રાજકોટ દક્ષિણ સીટ પર ટીલાળાએ દાવેદારી નોંધાવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.