ખોડલધામના આ બે ટ્રસ્ટીઓને ભાજપની ટિકિટ મળે તે માટે નરેશ પટેલના પ્રયત્નો શરૂ


  • Published By :
  • Published Date : 2022-11-07 19:05:39

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોની  ટિકિટ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સમાજના અગ્રણીઓ, મોટા ઉદ્યોગપતિઓ અને ધર્મગુરૂઓ પણ તેમના મળતિયાઓને ટિકિટ મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખોડલધામના ચેરમેન નરેશ પટેલએ તેમના બે વિશ્વાસુ માણસો માટે ભાજપમાં  ટિકિટ માટે લોબિંગ શરૂ કર્યું છે.    


નરેશ પટેલ કોના માટે મહેનત કરી રહ્યા છે?


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ તેમના બે સાથીઓને ભાજપની ટિકિટ માટે અંગત રીતે રસ લઈ રહ્યા છે.  ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણી માટે પ્રયત્નો કરી રહ્યા છે. હાલ રાજકોટ દક્ષિણ અને અમદાવાદની એક બેઠક હાઇ પ્રોફાઇલ બની છે.


નરેશ પટેલે દિલ્લીમાં પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશ ટીલાળા, રમેશ મેંદપરા, દિનેશ કુંભાણી, પ્રવીણભાઈ પટેલ દિલ્હીમાં PM મોદીને મળીને વિધિવત ખોડલધામ આવવાનું આમંત્રણ આપ્યું હતું. મોદીના આમંત્રણમાં સૌથી વધુ રસ ટીલાળાને છે. વળી તાજેતરમાં અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બંને નેતાઓએ મુલાકાત કરી હતી. જેને લઇને રાજકારણ ગરમાયું છે.  જ્યારે વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટીકિટ આપવાનો આગ્રહ કરી રહ્યા છે.


રમેશ ટીલાળા ધારાસભ્ય બનવા તલપાપડ 


ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, ટીલાળા રાજકોટ પૂર્વ સીટ પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માગે છે. આ સીટ પર હાલના ધારાસભ્ય તરીકે વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે. ટીલાળા ખોડલધામના ટ્રસ્ટી હોવાની સાથે ઉદ્યોગપતિ છે. પહેલાં ગોંડલ બેઠક પર ચાલતું નામ રાજકોટ પૂર્વ બેઠક પર આવ્યું હવે ગોવિંદ પટેલની રાજકોટ દક્ષિણ સીટ પર ટીલાળાએ દાવેદારી નોંધાવી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.