નરેશ પટેલને લેઉઆ પટેલ "સમાજના પિતા" જાહેર કરાતા થયો વિરોધ, ટચૂકડી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-22 21:13:05

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના સર્વમાન્ય અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સામે સમાજમાંથી વિરોધના સૂર સંભળાવવા લાગ્યા છે. લેઉવા પટેલ સમાજ દ્વારા નરેશ પટેલને સમાજના પિતા જાહેર કરાતા આકરા પ્રત્યાઘાતો પડ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં એક ટચૂકડી જાહેરાતનું કટિંગ ફરતું થયું છે. જેમાં એક વ્યક્તિએ જાહેર અખબારમાં ટચુકડી પ્રસિધ્ધ કરાવી જાહેરાત કરી છે તેમને આ નિર્ણયથી બાકાત રાખવામા આવે. હાલ આ ટચુકડીના કારણે સમાજમાં હડકંપ મચી ગયો છે.


ટચૂકડી પ્રસિધ્ધ કરી વિરોધ વ્યક્ત કર્યો


નરેશભાઈ પટેલને સમાજ પિતા તરીકે જાહેર કરાયા તેને લઈ લલિત સોરઠીયા નામની એક વ્યક્તિએ બુલંદ સ્વરે વિરોધ નોંધાવ્યો છે. તેમણે સમસ્ત લેઉઆ પટેલ સમાજ જોગ એક ટચૂકડી પ્રસિધ્ધ કરાવી છે. જેમાં ઉલ્લેખ કરાયેલ વિગત શબ્દશઃ 'હાલમાં સમાજે નરેશભાઈ પટેલને 'સમાજ પિતા' જાહેર કરેલ છે. આ નિર્ણયમાં વ્યક્તિગત રીતે અમે અસહમત છીએ. અમારે અમારા પિતાશ્રી હતા જ, જે સ્વર્ગસ્થ થયેલ છે. કદાચ નરેશભાઈ તેમનાથી પરિચીત હશે જ, તો અમોને એવું લાગે છે કે અમારે અન્ય કોઈ પિતાની જરૂર નથી. આથી સમાજને નમ્ર વિનંતી છે કે, આ નિર્ણયમાં અમોને બાકાત રાખે. 

નરેશભાઈ પટેલ સામાજીક તેમજ રાજકીય રીતે ખુબ જ પ્રગતિ કરે અને ગુજરાતના મુખ્યમંત્રી બને તેવી અમારી દિલથી શુભકામના છે -લી. લલીતભાઈ પોપટભાઈ સોરઠીયા



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.