નરેશ પટેલને લેઉઆ પટેલ "સમાજના પિતા" જાહેર કરાતા થયો વિરોધ, ટચૂકડી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-22 21:13:05

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના સર્વમાન્ય અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સામે સમાજમાંથી વિરોધના સૂર સંભળાવવા લાગ્યા છે. લેઉવા પટેલ સમાજ દ્વારા નરેશ પટેલને સમાજના પિતા જાહેર કરાતા આકરા પ્રત્યાઘાતો પડ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં એક ટચૂકડી જાહેરાતનું કટિંગ ફરતું થયું છે. જેમાં એક વ્યક્તિએ જાહેર અખબારમાં ટચુકડી પ્રસિધ્ધ કરાવી જાહેરાત કરી છે તેમને આ નિર્ણયથી બાકાત રાખવામા આવે. હાલ આ ટચુકડીના કારણે સમાજમાં હડકંપ મચી ગયો છે.


ટચૂકડી પ્રસિધ્ધ કરી વિરોધ વ્યક્ત કર્યો


નરેશભાઈ પટેલને સમાજ પિતા તરીકે જાહેર કરાયા તેને લઈ લલિત સોરઠીયા નામની એક વ્યક્તિએ બુલંદ સ્વરે વિરોધ નોંધાવ્યો છે. તેમણે સમસ્ત લેઉઆ પટેલ સમાજ જોગ એક ટચૂકડી પ્રસિધ્ધ કરાવી છે. જેમાં ઉલ્લેખ કરાયેલ વિગત શબ્દશઃ 'હાલમાં સમાજે નરેશભાઈ પટેલને 'સમાજ પિતા' જાહેર કરેલ છે. આ નિર્ણયમાં વ્યક્તિગત રીતે અમે અસહમત છીએ. અમારે અમારા પિતાશ્રી હતા જ, જે સ્વર્ગસ્થ થયેલ છે. કદાચ નરેશભાઈ તેમનાથી પરિચીત હશે જ, તો અમોને એવું લાગે છે કે અમારે અન્ય કોઈ પિતાની જરૂર નથી. આથી સમાજને નમ્ર વિનંતી છે કે, આ નિર્ણયમાં અમોને બાકાત રાખે. 

નરેશભાઈ પટેલ સામાજીક તેમજ રાજકીય રીતે ખુબ જ પ્રગતિ કરે અને ગુજરાતના મુખ્યમંત્રી બને તેવી અમારી દિલથી શુભકામના છે -લી. લલીતભાઈ પોપટભાઈ સોરઠીયા



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.