નરેશ પટેલને લેઉઆ પટેલ "સમાજના પિતા" જાહેર કરાતા થયો વિરોધ, ટચૂકડી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-22 21:13:05

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના સર્વમાન્ય અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સામે સમાજમાંથી વિરોધના સૂર સંભળાવવા લાગ્યા છે. લેઉવા પટેલ સમાજ દ્વારા નરેશ પટેલને સમાજના પિતા જાહેર કરાતા આકરા પ્રત્યાઘાતો પડ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં એક ટચૂકડી જાહેરાતનું કટિંગ ફરતું થયું છે. જેમાં એક વ્યક્તિએ જાહેર અખબારમાં ટચુકડી પ્રસિધ્ધ કરાવી જાહેરાત કરી છે તેમને આ નિર્ણયથી બાકાત રાખવામા આવે. હાલ આ ટચુકડીના કારણે સમાજમાં હડકંપ મચી ગયો છે.


ટચૂકડી પ્રસિધ્ધ કરી વિરોધ વ્યક્ત કર્યો


નરેશભાઈ પટેલને સમાજ પિતા તરીકે જાહેર કરાયા તેને લઈ લલિત સોરઠીયા નામની એક વ્યક્તિએ બુલંદ સ્વરે વિરોધ નોંધાવ્યો છે. તેમણે સમસ્ત લેઉઆ પટેલ સમાજ જોગ એક ટચૂકડી પ્રસિધ્ધ કરાવી છે. જેમાં ઉલ્લેખ કરાયેલ વિગત શબ્દશઃ 'હાલમાં સમાજે નરેશભાઈ પટેલને 'સમાજ પિતા' જાહેર કરેલ છે. આ નિર્ણયમાં વ્યક્તિગત રીતે અમે અસહમત છીએ. અમારે અમારા પિતાશ્રી હતા જ, જે સ્વર્ગસ્થ થયેલ છે. કદાચ નરેશભાઈ તેમનાથી પરિચીત હશે જ, તો અમોને એવું લાગે છે કે અમારે અન્ય કોઈ પિતાની જરૂર નથી. આથી સમાજને નમ્ર વિનંતી છે કે, આ નિર્ણયમાં અમોને બાકાત રાખે. 

નરેશભાઈ પટેલ સામાજીક તેમજ રાજકીય રીતે ખુબ જ પ્રગતિ કરે અને ગુજરાતના મુખ્યમંત્રી બને તેવી અમારી દિલથી શુભકામના છે -લી. લલીતભાઈ પોપટભાઈ સોરઠીયા



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.