નર્મદા ડેમ પોતાની મહત્તમ જળસપાટીએ પહોંચતા સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 10:38:05

રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નર્મદા ડેમની જળસપાટી પ્રથમવખત પોતાની મહત્તમ જળ સપાટી 138.68 પર પહોંચી છે. સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટીએ પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયા જઈ જળના વધામણ કર્યા હતા. ગોરવપૂર્ણ ઘટનામાં સહભાગી બની તેમણે જીવાદોરી મનાતી નર્મદા નદીની વિધિવત પૂજા કરી હતી.


મુખ્યમંત્રીએ કરી માં નર્મદાની પૂજા

ડેમ મહત્તમ જળસપાટીએ પહોંચતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના 23 દરવાજા ખોલાતા નર્મદા નદીમાં 1,50,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. નવા નીરનું સ્વાગત કરવા બ્રાહ્મણો સાથે મુખ્યમંત્રી નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ શ્રીફળ, ચુંદડી, પુષ્પો ચઠાવી માં નર્મદાની આરતી કરી નવા નીરને આવકાર્યા હતા. ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. જેને કારણે નર્મદા ડેમ ઉપરાંત અનેક ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.