નર્મદા ડેમ પોતાની મહત્તમ જળસપાટીએ પહોંચતા સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 10:38:05

રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નર્મદા ડેમની જળસપાટી પ્રથમવખત પોતાની મહત્તમ જળ સપાટી 138.68 પર પહોંચી છે. સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટીએ પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયા જઈ જળના વધામણ કર્યા હતા. ગોરવપૂર્ણ ઘટનામાં સહભાગી બની તેમણે જીવાદોરી મનાતી નર્મદા નદીની વિધિવત પૂજા કરી હતી.


મુખ્યમંત્રીએ કરી માં નર્મદાની પૂજા

ડેમ મહત્તમ જળસપાટીએ પહોંચતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના 23 દરવાજા ખોલાતા નર્મદા નદીમાં 1,50,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. નવા નીરનું સ્વાગત કરવા બ્રાહ્મણો સાથે મુખ્યમંત્રી નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ શ્રીફળ, ચુંદડી, પુષ્પો ચઠાવી માં નર્મદાની આરતી કરી નવા નીરને આવકાર્યા હતા. ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. જેને કારણે નર્મદા ડેમ ઉપરાંત અનેક ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .