વ્યાસપીઠ પરથી કથાકાર રાજુગીરીબાપુએ કોળી-ઠાકોર સમાજને લઈ આપ્યું નિવેદન, વીડિયો વાયરલ, વિવાદ છેડાયા બાદ માગી માફી..! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-21 11:51:07

શબ્દોને આપણે ત્યાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શબ્દ શણગારી પણ શકે છે અને સળગાવી પણ શકે છે તેવું આપણે અનેક વખત સાંભળીએ છીએ. એક નિવેદનને કારણે રાજકારણ કેવું ગરમાઈ શકે છે તેનું ઉદાહરણ આપણી સામે ચૂંટણી વખતે સામે આવ્યું. ત્યારે વધુ એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે.. કોળી- ઠાકોર સમાજને લઈ કથા દરમિયાન વ્યાસપીઠ પરથી રાજુગીરી બાપુએ આપ્યું છે. તેમણે કહ્યું કે એક આપણા સમાજની દીકરી ઠાકોર કોળીના સમાજનાં દીકરા સાથે લગ્ન કરી લીએ. ભય લાગે કલંક લાગે.... 

વ્યાસપીઠ પરથી આપ્યું વિવાદીત નિવેદન 

આપણે ત્યાં વ્યાસપીઠની પૂજા કરવામાં આવે છે.. કથા કરનારની પૂજા કરવામાં આવે છે.. વેદ વ્યાસ સમાન વક્તાને માન આપવામાં આવે છે.. સમાજમાં સારો સંદેશો જાય, આપણા ધર્મને જાણીએ, ઈશ્વરની લીલા વિશે આપણને જાણકારી મળે તે માટે કથાનું આયોજન કરવામાં આવે છે.. જ્યારે વક્તા વ્યાસપીઠ પર બેસે છે ત્યારે તેની જવાબદારી વધી જતી હોય છે.. પરંતુ અનેક વખત વ્યાસપીઠ પરથી વક્તા દ્વારા એવું નિવેદન આપી દેવામાં આવે છે જેને કારણે અનેક વખત લોકોની લાગણી દુભાઈ જતી હોય છે.. ત્યારે કોળી સમાજ અને ઠાકોર સમાજને લઈ કથાકાર રાજુગીરી બાપુએ નિવેદન આપ્યું જેને કારણે કોળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..



શું કહ્યું બાપુએ વ્યાસપીઠ પરથી? 

ઉના તાલુકાના સિમર ગામે શિવ પુરાણ કથા દરમિયાન તેમણે કહ્યું કે એક આપણા સમાજની દીકરી ઠાકોર કોળીના સમાજનાં દીકરા સાથે લગ્ન કરી લીએ. ભય લાગે કલંક લાગે.... સાધુ અને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છુઓ જરૂર કરી શકાય. પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન હારે લગન કરો એવા કુળની યુવતી હારે લગન કરો તમે થોડોક વિચાર કરજો. તમે જે કુળમાં જન્મ્યા છો તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી હારે લગન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય. 

અલ્પેશ ઠાકોરે આ મામલે આપી પ્રતિક્રિયા 

વીડિયો વાયરલ થયા બાદ કોળી ઠાકોર સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદ વધતા બાપુએ માફી પણ માગી. કથાકાર રાજુ બાપુએ જાહેરમાં રડતા રડતા માફી પણ માગી છે... આ વિવાદ બાદ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે આ કઇ પ્રકારના સાધુ છે. સાધુ સંસ્કાર આપે છે અને ધર્મનું જ્ઞાન આપે છે. આ શૈતાન પ્રકારનો સાધુ છે અને ક્ષત્રિય તથા કોળી સમાજના યુવાનો તેનું મોં કાળુ કરશે. આવા સાધુઓથી બચવું જરુરી છે. સાધુ સંસ્કાર આપે, આવી વાહિયાત વાતો ના કરે. જમાવટની ટીમે પણ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા જાણવા માટે ફોન કર્યો હતો.. 


 

આવા વિષ ચક્રમાંથી ક્યારે આવીશું બહાર? 

જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પ્રશ્ન થાય કે આપણે ક્યારે આવી માનસિક્તાથી બહાર આવીશું? આ એક વિષ ચક્ર છે જેમાં આપણે અંદરને અંદર ફરતા રહીએ છીએ.. આપણે આ વિષ ચક્રમાંથી બહાર આવું પડશે..! ત્યારે બાપુ દ્વારા આપવામાં આવેલા નિવેદન વિશે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે