વ્યાસપીઠ પરથી કથાકાર રાજુગીરીબાપુએ કોળી-ઠાકોર સમાજને લઈ આપ્યું નિવેદન, વીડિયો વાયરલ, વિવાદ છેડાયા બાદ માગી માફી..! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-21 11:51:07

શબ્દોને આપણે ત્યાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શબ્દ શણગારી પણ શકે છે અને સળગાવી પણ શકે છે તેવું આપણે અનેક વખત સાંભળીએ છીએ. એક નિવેદનને કારણે રાજકારણ કેવું ગરમાઈ શકે છે તેનું ઉદાહરણ આપણી સામે ચૂંટણી વખતે સામે આવ્યું. ત્યારે વધુ એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે.. કોળી- ઠાકોર સમાજને લઈ કથા દરમિયાન વ્યાસપીઠ પરથી રાજુગીરી બાપુએ આપ્યું છે. તેમણે કહ્યું કે એક આપણા સમાજની દીકરી ઠાકોર કોળીના સમાજનાં દીકરા સાથે લગ્ન કરી લીએ. ભય લાગે કલંક લાગે.... 

વ્યાસપીઠ પરથી આપ્યું વિવાદીત નિવેદન 

આપણે ત્યાં વ્યાસપીઠની પૂજા કરવામાં આવે છે.. કથા કરનારની પૂજા કરવામાં આવે છે.. વેદ વ્યાસ સમાન વક્તાને માન આપવામાં આવે છે.. સમાજમાં સારો સંદેશો જાય, આપણા ધર્મને જાણીએ, ઈશ્વરની લીલા વિશે આપણને જાણકારી મળે તે માટે કથાનું આયોજન કરવામાં આવે છે.. જ્યારે વક્તા વ્યાસપીઠ પર બેસે છે ત્યારે તેની જવાબદારી વધી જતી હોય છે.. પરંતુ અનેક વખત વ્યાસપીઠ પરથી વક્તા દ્વારા એવું નિવેદન આપી દેવામાં આવે છે જેને કારણે અનેક વખત લોકોની લાગણી દુભાઈ જતી હોય છે.. ત્યારે કોળી સમાજ અને ઠાકોર સમાજને લઈ કથાકાર રાજુગીરી બાપુએ નિવેદન આપ્યું જેને કારણે કોળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..



શું કહ્યું બાપુએ વ્યાસપીઠ પરથી? 

ઉના તાલુકાના સિમર ગામે શિવ પુરાણ કથા દરમિયાન તેમણે કહ્યું કે એક આપણા સમાજની દીકરી ઠાકોર કોળીના સમાજનાં દીકરા સાથે લગ્ન કરી લીએ. ભય લાગે કલંક લાગે.... સાધુ અને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છુઓ જરૂર કરી શકાય. પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન હારે લગન કરો એવા કુળની યુવતી હારે લગન કરો તમે થોડોક વિચાર કરજો. તમે જે કુળમાં જન્મ્યા છો તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી હારે લગન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય. 

અલ્પેશ ઠાકોરે આ મામલે આપી પ્રતિક્રિયા 

વીડિયો વાયરલ થયા બાદ કોળી ઠાકોર સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદ વધતા બાપુએ માફી પણ માગી. કથાકાર રાજુ બાપુએ જાહેરમાં રડતા રડતા માફી પણ માગી છે... આ વિવાદ બાદ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે આ કઇ પ્રકારના સાધુ છે. સાધુ સંસ્કાર આપે છે અને ધર્મનું જ્ઞાન આપે છે. આ શૈતાન પ્રકારનો સાધુ છે અને ક્ષત્રિય તથા કોળી સમાજના યુવાનો તેનું મોં કાળુ કરશે. આવા સાધુઓથી બચવું જરુરી છે. સાધુ સંસ્કાર આપે, આવી વાહિયાત વાતો ના કરે. જમાવટની ટીમે પણ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા જાણવા માટે ફોન કર્યો હતો.. 


 

આવા વિષ ચક્રમાંથી ક્યારે આવીશું બહાર? 

જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પ્રશ્ન થાય કે આપણે ક્યારે આવી માનસિક્તાથી બહાર આવીશું? આ એક વિષ ચક્ર છે જેમાં આપણે અંદરને અંદર ફરતા રહીએ છીએ.. આપણે આ વિષ ચક્રમાંથી બહાર આવું પડશે..! ત્યારે બાપુ દ્વારા આપવામાં આવેલા નિવેદન વિશે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.