વ્યાસપીઠ પરથી કથાકાર રાજુગીરીબાપુએ કોળી-ઠાકોર સમાજને લઈ આપ્યું નિવેદન, વીડિયો વાયરલ, વિવાદ છેડાયા બાદ માગી માફી..! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-21 11:51:07

શબ્દોને આપણે ત્યાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શબ્દ શણગારી પણ શકે છે અને સળગાવી પણ શકે છે તેવું આપણે અનેક વખત સાંભળીએ છીએ. એક નિવેદનને કારણે રાજકારણ કેવું ગરમાઈ શકે છે તેનું ઉદાહરણ આપણી સામે ચૂંટણી વખતે સામે આવ્યું. ત્યારે વધુ એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે.. કોળી- ઠાકોર સમાજને લઈ કથા દરમિયાન વ્યાસપીઠ પરથી રાજુગીરી બાપુએ આપ્યું છે. તેમણે કહ્યું કે એક આપણા સમાજની દીકરી ઠાકોર કોળીના સમાજનાં દીકરા સાથે લગ્ન કરી લીએ. ભય લાગે કલંક લાગે.... 

વ્યાસપીઠ પરથી આપ્યું વિવાદીત નિવેદન 

આપણે ત્યાં વ્યાસપીઠની પૂજા કરવામાં આવે છે.. કથા કરનારની પૂજા કરવામાં આવે છે.. વેદ વ્યાસ સમાન વક્તાને માન આપવામાં આવે છે.. સમાજમાં સારો સંદેશો જાય, આપણા ધર્મને જાણીએ, ઈશ્વરની લીલા વિશે આપણને જાણકારી મળે તે માટે કથાનું આયોજન કરવામાં આવે છે.. જ્યારે વક્તા વ્યાસપીઠ પર બેસે છે ત્યારે તેની જવાબદારી વધી જતી હોય છે.. પરંતુ અનેક વખત વ્યાસપીઠ પરથી વક્તા દ્વારા એવું નિવેદન આપી દેવામાં આવે છે જેને કારણે અનેક વખત લોકોની લાગણી દુભાઈ જતી હોય છે.. ત્યારે કોળી સમાજ અને ઠાકોર સમાજને લઈ કથાકાર રાજુગીરી બાપુએ નિવેદન આપ્યું જેને કારણે કોળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..



શું કહ્યું બાપુએ વ્યાસપીઠ પરથી? 

ઉના તાલુકાના સિમર ગામે શિવ પુરાણ કથા દરમિયાન તેમણે કહ્યું કે એક આપણા સમાજની દીકરી ઠાકોર કોળીના સમાજનાં દીકરા સાથે લગ્ન કરી લીએ. ભય લાગે કલંક લાગે.... સાધુ અને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છુઓ જરૂર કરી શકાય. પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન હારે લગન કરો એવા કુળની યુવતી હારે લગન કરો તમે થોડોક વિચાર કરજો. તમે જે કુળમાં જન્મ્યા છો તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી હારે લગન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય. 

અલ્પેશ ઠાકોરે આ મામલે આપી પ્રતિક્રિયા 

વીડિયો વાયરલ થયા બાદ કોળી ઠાકોર સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદ વધતા બાપુએ માફી પણ માગી. કથાકાર રાજુ બાપુએ જાહેરમાં રડતા રડતા માફી પણ માગી છે... આ વિવાદ બાદ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે આ કઇ પ્રકારના સાધુ છે. સાધુ સંસ્કાર આપે છે અને ધર્મનું જ્ઞાન આપે છે. આ શૈતાન પ્રકારનો સાધુ છે અને ક્ષત્રિય તથા કોળી સમાજના યુવાનો તેનું મોં કાળુ કરશે. આવા સાધુઓથી બચવું જરુરી છે. સાધુ સંસ્કાર આપે, આવી વાહિયાત વાતો ના કરે. જમાવટની ટીમે પણ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા જાણવા માટે ફોન કર્યો હતો.. 


 

આવા વિષ ચક્રમાંથી ક્યારે આવીશું બહાર? 

જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પ્રશ્ન થાય કે આપણે ક્યારે આવી માનસિક્તાથી બહાર આવીશું? આ એક વિષ ચક્ર છે જેમાં આપણે અંદરને અંદર ફરતા રહીએ છીએ.. આપણે આ વિષ ચક્રમાંથી બહાર આવું પડશે..! ત્યારે બાપુ દ્વારા આપવામાં આવેલા નિવેદન વિશે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .