મેરિયન બાયોટેકના કફ સિરપનું ઉત્પાદન બંધ, કંપની સામે કાર્યવાહીની સ્વાસ્થ્ય મંત્રીએ આપી ખાતરી


  • Published By :
  • Published Date : 2022-12-30 18:46:48

ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફ સિરપના પ્રયોગથી બાળકોના મોતને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. ઉઝબેકિસ્તાનની સરકારે નોઈડાની મેરિયન બાયોટેક કંપની દ્વારા નિર્મિત ઉધરસની દવા " ડોક-1 મેક્સ"ના પ્રયોગથી 18 બાળકોના મોતનો આરોપ લગાવ્યો છે. આ કફ સિરપ પર સવાલ ઉઠાવવાને લઈને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે નોઈડામાં આ સિરપ બનાવનારી કંપની મેરિયન બાયોટેકની તમામ મેન્યુફેક્ચરિંગ પ્રવૃતિઓ પ્રતિબંધિત કરવામાં આવી છે.

તપાસ રિપોર્ટ બાદ થશે કાર્યવાહી


મનસુખ માંડવિયાએ કહ્યું કે સરકારની સમગ્ર મામલા પર નજર છે, કંપનીની તપાસ ચાલી રહી છે. રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ અને ઉત્તર પ્રદેશના ઔષધી વિભાગની એક ટીમે ગુરૂવારે નોઈડામાં Marion Biotech કંપનીમાં તપાસ શરૂ કરી હતી. મનસુખ માંડવિયાએ કહ્યું વધુ માહિતી આપતા કહ્યું કે કફ સિરપ  સાથે સંકળાયેલા આરોપોની સુચના મળ્યા બાદ તરત જ સીડીએસસીઓ અને ઉત્તર પ્રદેશ ડ્ર્ગ કન્ટ્રોલની એક-એક ટીમે મેરિયન બાયોટેકના નોઈડા પ્લાન્ટનું સંયુક્ત નિરિક્ષણ કર્યું. અત્રે ઉલ્લેખનિય છે કે આ કંપનીમાં આ દવા બનાવવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કંપની સામે કડક કાર્યવાહીની પણ ખાતરી આપી હતી.


મેરિયન બાયોટેક કંપનીએ આરોપો ફગાવ્યા


કંપની પર ઉભા થયેલા પ્રશ્નો વચ્ચે, મેરિયન બાયોટેકની કાનૂની બાબતોનું ધ્યાન રાખનારા હસન હેરિસે 29 ડિસેમ્બરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં અમારી તરફથી કોઈ સમસ્યા નથી. હાલમાં બંને દેશોની સરકારો આ મામલે તપાસ કરી રહી છે. અમારી તપાસમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. હેરિસે કહ્યું, "સરકાર આ મામલાની તપાસ કરી રહી છે, તપાસ રિપોર્ટ આવ્યા બાદ અમે તેની તપાસ કરીશું."



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.