મેરિયન બાયોટેકના કફ સિરપનું ઉત્પાદન બંધ, કંપની સામે કાર્યવાહીની સ્વાસ્થ્ય મંત્રીએ આપી ખાતરી


  • Published By :
  • Published Date : 2022-12-30 18:46:48

ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફ સિરપના પ્રયોગથી બાળકોના મોતને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. ઉઝબેકિસ્તાનની સરકારે નોઈડાની મેરિયન બાયોટેક કંપની દ્વારા નિર્મિત ઉધરસની દવા " ડોક-1 મેક્સ"ના પ્રયોગથી 18 બાળકોના મોતનો આરોપ લગાવ્યો છે. આ કફ સિરપ પર સવાલ ઉઠાવવાને લઈને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે નોઈડામાં આ સિરપ બનાવનારી કંપની મેરિયન બાયોટેકની તમામ મેન્યુફેક્ચરિંગ પ્રવૃતિઓ પ્રતિબંધિત કરવામાં આવી છે.

તપાસ રિપોર્ટ બાદ થશે કાર્યવાહી


મનસુખ માંડવિયાએ કહ્યું કે સરકારની સમગ્ર મામલા પર નજર છે, કંપનીની તપાસ ચાલી રહી છે. રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ અને ઉત્તર પ્રદેશના ઔષધી વિભાગની એક ટીમે ગુરૂવારે નોઈડામાં Marion Biotech કંપનીમાં તપાસ શરૂ કરી હતી. મનસુખ માંડવિયાએ કહ્યું વધુ માહિતી આપતા કહ્યું કે કફ સિરપ  સાથે સંકળાયેલા આરોપોની સુચના મળ્યા બાદ તરત જ સીડીએસસીઓ અને ઉત્તર પ્રદેશ ડ્ર્ગ કન્ટ્રોલની એક-એક ટીમે મેરિયન બાયોટેકના નોઈડા પ્લાન્ટનું સંયુક્ત નિરિક્ષણ કર્યું. અત્રે ઉલ્લેખનિય છે કે આ કંપનીમાં આ દવા બનાવવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કંપની સામે કડક કાર્યવાહીની પણ ખાતરી આપી હતી.


મેરિયન બાયોટેક કંપનીએ આરોપો ફગાવ્યા


કંપની પર ઉભા થયેલા પ્રશ્નો વચ્ચે, મેરિયન બાયોટેકની કાનૂની બાબતોનું ધ્યાન રાખનારા હસન હેરિસે 29 ડિસેમ્બરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં અમારી તરફથી કોઈ સમસ્યા નથી. હાલમાં બંને દેશોની સરકારો આ મામલે તપાસ કરી રહી છે. અમારી તપાસમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. હેરિસે કહ્યું, "સરકાર આ મામલાની તપાસ કરી રહી છે, તપાસ રિપોર્ટ આવ્યા બાદ અમે તેની તપાસ કરીશું."



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.