મેરિયન બાયોટેકના કફ સિરપનું ઉત્પાદન બંધ, કંપની સામે કાર્યવાહીની સ્વાસ્થ્ય મંત્રીએ આપી ખાતરી


  • Published By :
  • Published Date : 2022-12-30 18:46:48

ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફ સિરપના પ્રયોગથી બાળકોના મોતને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. ઉઝબેકિસ્તાનની સરકારે નોઈડાની મેરિયન બાયોટેક કંપની દ્વારા નિર્મિત ઉધરસની દવા " ડોક-1 મેક્સ"ના પ્રયોગથી 18 બાળકોના મોતનો આરોપ લગાવ્યો છે. આ કફ સિરપ પર સવાલ ઉઠાવવાને લઈને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે નોઈડામાં આ સિરપ બનાવનારી કંપની મેરિયન બાયોટેકની તમામ મેન્યુફેક્ચરિંગ પ્રવૃતિઓ પ્રતિબંધિત કરવામાં આવી છે.

તપાસ રિપોર્ટ બાદ થશે કાર્યવાહી


મનસુખ માંડવિયાએ કહ્યું કે સરકારની સમગ્ર મામલા પર નજર છે, કંપનીની તપાસ ચાલી રહી છે. રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ અને ઉત્તર પ્રદેશના ઔષધી વિભાગની એક ટીમે ગુરૂવારે નોઈડામાં Marion Biotech કંપનીમાં તપાસ શરૂ કરી હતી. મનસુખ માંડવિયાએ કહ્યું વધુ માહિતી આપતા કહ્યું કે કફ સિરપ  સાથે સંકળાયેલા આરોપોની સુચના મળ્યા બાદ તરત જ સીડીએસસીઓ અને ઉત્તર પ્રદેશ ડ્ર્ગ કન્ટ્રોલની એક-એક ટીમે મેરિયન બાયોટેકના નોઈડા પ્લાન્ટનું સંયુક્ત નિરિક્ષણ કર્યું. અત્રે ઉલ્લેખનિય છે કે આ કંપનીમાં આ દવા બનાવવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કંપની સામે કડક કાર્યવાહીની પણ ખાતરી આપી હતી.


મેરિયન બાયોટેક કંપનીએ આરોપો ફગાવ્યા


કંપની પર ઉભા થયેલા પ્રશ્નો વચ્ચે, મેરિયન બાયોટેકની કાનૂની બાબતોનું ધ્યાન રાખનારા હસન હેરિસે 29 ડિસેમ્બરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં અમારી તરફથી કોઈ સમસ્યા નથી. હાલમાં બંને દેશોની સરકારો આ મામલે તપાસ કરી રહી છે. અમારી તપાસમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. હેરિસે કહ્યું, "સરકાર આ મામલાની તપાસ કરી રહી છે, તપાસ રિપોર્ટ આવ્યા બાદ અમે તેની તપાસ કરીશું."



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.