મેરિયન બાયોટેકના કફ સિરપનું ઉત્પાદન બંધ, કંપની સામે કાર્યવાહીની સ્વાસ્થ્ય મંત્રીએ આપી ખાતરી


  • Published By :
  • Published Date : 2022-12-30 18:46:48

ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફ સિરપના પ્રયોગથી બાળકોના મોતને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. ઉઝબેકિસ્તાનની સરકારે નોઈડાની મેરિયન બાયોટેક કંપની દ્વારા નિર્મિત ઉધરસની દવા " ડોક-1 મેક્સ"ના પ્રયોગથી 18 બાળકોના મોતનો આરોપ લગાવ્યો છે. આ કફ સિરપ પર સવાલ ઉઠાવવાને લઈને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે નોઈડામાં આ સિરપ બનાવનારી કંપની મેરિયન બાયોટેકની તમામ મેન્યુફેક્ચરિંગ પ્રવૃતિઓ પ્રતિબંધિત કરવામાં આવી છે.

તપાસ રિપોર્ટ બાદ થશે કાર્યવાહી


મનસુખ માંડવિયાએ કહ્યું કે સરકારની સમગ્ર મામલા પર નજર છે, કંપનીની તપાસ ચાલી રહી છે. રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ અને ઉત્તર પ્રદેશના ઔષધી વિભાગની એક ટીમે ગુરૂવારે નોઈડામાં Marion Biotech કંપનીમાં તપાસ શરૂ કરી હતી. મનસુખ માંડવિયાએ કહ્યું વધુ માહિતી આપતા કહ્યું કે કફ સિરપ  સાથે સંકળાયેલા આરોપોની સુચના મળ્યા બાદ તરત જ સીડીએસસીઓ અને ઉત્તર પ્રદેશ ડ્ર્ગ કન્ટ્રોલની એક-એક ટીમે મેરિયન બાયોટેકના નોઈડા પ્લાન્ટનું સંયુક્ત નિરિક્ષણ કર્યું. અત્રે ઉલ્લેખનિય છે કે આ કંપનીમાં આ દવા બનાવવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કંપની સામે કડક કાર્યવાહીની પણ ખાતરી આપી હતી.


મેરિયન બાયોટેક કંપનીએ આરોપો ફગાવ્યા


કંપની પર ઉભા થયેલા પ્રશ્નો વચ્ચે, મેરિયન બાયોટેકની કાનૂની બાબતોનું ધ્યાન રાખનારા હસન હેરિસે 29 ડિસેમ્બરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં અમારી તરફથી કોઈ સમસ્યા નથી. હાલમાં બંને દેશોની સરકારો આ મામલે તપાસ કરી રહી છે. અમારી તપાસમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. હેરિસે કહ્યું, "સરકાર આ મામલાની તપાસ કરી રહી છે, તપાસ રિપોર્ટ આવ્યા બાદ અમે તેની તપાસ કરીશું."



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે