નવસારી APMC માર્કેટમાં કેરીનું આગમન, માવઠાના કારણે કેરીની આવક ઘટી


  • Published By :
  • Published Date : 2023-04-14 18:21:46

નવસારીની કેરીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ગીરની કેસર કેરી બાદ હવે નવસારીના APMC માર્કેટમાં કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હોવાથી ખેડૂતોએ કેરીનો પાક વહેલો ઉતારવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણે આ વર્ષે કેરીનું માર્કેટમાં આગમન ગયા વર્ષ કરતા 15થી 20 દિવસ વહેલું થયું છે. માર્કેટમાં કેરીની આવક ઓછી હોવાથી કેરીના ભાવમાં પણ વધારો થવાની આશંકા છે.


માવઠાએ મજા બગાડી


નવસારી જિલ્લામાં આ વર્ષે માવઠાના કારણે કેરીના પાક પર માઠી અસર થઈ છે. શરૂઆતમાં કેરીના પાક માટે અનુકૂળ વાતાવરણ રહ્યું હતું. જેથી આંબા પર સારી એવી મંજરી આવી હતી. ત્યારબાદ કેરી આવવાની શરૂઆત થઇ હતી. પરંતુ ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે જ કમોસમી વરસાદ પણ પડતા કેરીના પાક બગડવાનું શરૂ થયો હતો. ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવશે તેવી ભીતિ સતત સતાવી રહી છે.


નવસારીની કેરીનો ભાવ શું છે?


કેરીના વ્યાપારીઓના જણાવ્યા પ્રમાણે 1 એપ્રિલના રોજ જે કેરી આવી હતી, તેના ભાવ 2700ની આસપાસ હતા. જેનું કારણ કેરીની આવક ઓછી હતી. પરંતુ હવે 25થી 30 ટન જેટલી કેરીની આવક છે. તેની સામે કેસરના ભાવ 1800થી 2200 રૂપિયા, લંગડાના 1800 અને રાજાપૂરી 500ની આજુબાજુ અને દશેરી કેરીનો ભાવ 1500ની આજુબાજુ રહ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.