નવસારી APMC માર્કેટમાં કેરીનું આગમન, માવઠાના કારણે કેરીની આવક ઘટી


  • Published By :
  • Published Date : 2023-04-14 18:21:46

નવસારીની કેરીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ગીરની કેસર કેરી બાદ હવે નવસારીના APMC માર્કેટમાં કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હોવાથી ખેડૂતોએ કેરીનો પાક વહેલો ઉતારવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણે આ વર્ષે કેરીનું માર્કેટમાં આગમન ગયા વર્ષ કરતા 15થી 20 દિવસ વહેલું થયું છે. માર્કેટમાં કેરીની આવક ઓછી હોવાથી કેરીના ભાવમાં પણ વધારો થવાની આશંકા છે.


માવઠાએ મજા બગાડી


નવસારી જિલ્લામાં આ વર્ષે માવઠાના કારણે કેરીના પાક પર માઠી અસર થઈ છે. શરૂઆતમાં કેરીના પાક માટે અનુકૂળ વાતાવરણ રહ્યું હતું. જેથી આંબા પર સારી એવી મંજરી આવી હતી. ત્યારબાદ કેરી આવવાની શરૂઆત થઇ હતી. પરંતુ ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે જ કમોસમી વરસાદ પણ પડતા કેરીના પાક બગડવાનું શરૂ થયો હતો. ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવશે તેવી ભીતિ સતત સતાવી રહી છે.


નવસારીની કેરીનો ભાવ શું છે?


કેરીના વ્યાપારીઓના જણાવ્યા પ્રમાણે 1 એપ્રિલના રોજ જે કેરી આવી હતી, તેના ભાવ 2700ની આસપાસ હતા. જેનું કારણ કેરીની આવક ઓછી હતી. પરંતુ હવે 25થી 30 ટન જેટલી કેરીની આવક છે. તેની સામે કેસરના ભાવ 1800થી 2200 રૂપિયા, લંગડાના 1800 અને રાજાપૂરી 500ની આજુબાજુ અને દશેરી કેરીનો ભાવ 1500ની આજુબાજુ રહ્યો છે.



એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.