નવસારી APMC માર્કેટમાં કેરીનું આગમન, માવઠાના કારણે કેરીની આવક ઘટી


  • Published By :
  • Published Date : 2023-04-14 18:21:46

નવસારીની કેરીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ગીરની કેસર કેરી બાદ હવે નવસારીના APMC માર્કેટમાં કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હોવાથી ખેડૂતોએ કેરીનો પાક વહેલો ઉતારવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણે આ વર્ષે કેરીનું માર્કેટમાં આગમન ગયા વર્ષ કરતા 15થી 20 દિવસ વહેલું થયું છે. માર્કેટમાં કેરીની આવક ઓછી હોવાથી કેરીના ભાવમાં પણ વધારો થવાની આશંકા છે.


માવઠાએ મજા બગાડી


નવસારી જિલ્લામાં આ વર્ષે માવઠાના કારણે કેરીના પાક પર માઠી અસર થઈ છે. શરૂઆતમાં કેરીના પાક માટે અનુકૂળ વાતાવરણ રહ્યું હતું. જેથી આંબા પર સારી એવી મંજરી આવી હતી. ત્યારબાદ કેરી આવવાની શરૂઆત થઇ હતી. પરંતુ ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે જ કમોસમી વરસાદ પણ પડતા કેરીના પાક બગડવાનું શરૂ થયો હતો. ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવશે તેવી ભીતિ સતત સતાવી રહી છે.


નવસારીની કેરીનો ભાવ શું છે?


કેરીના વ્યાપારીઓના જણાવ્યા પ્રમાણે 1 એપ્રિલના રોજ જે કેરી આવી હતી, તેના ભાવ 2700ની આસપાસ હતા. જેનું કારણ કેરીની આવક ઓછી હતી. પરંતુ હવે 25થી 30 ટન જેટલી કેરીની આવક છે. તેની સામે કેસરના ભાવ 1800થી 2200 રૂપિયા, લંગડાના 1800 અને રાજાપૂરી 500ની આજુબાજુ અને દશેરી કેરીનો ભાવ 1500ની આજુબાજુ રહ્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.