નવસારી APMC માર્કેટમાં કેરીનું આગમન, માવઠાના કારણે કેરીની આવક ઘટી


  • Published By :
  • Published Date : 2023-04-14 18:21:46

નવસારીની કેરીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ગીરની કેસર કેરી બાદ હવે નવસારીના APMC માર્કેટમાં કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હોવાથી ખેડૂતોએ કેરીનો પાક વહેલો ઉતારવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણે આ વર્ષે કેરીનું માર્કેટમાં આગમન ગયા વર્ષ કરતા 15થી 20 દિવસ વહેલું થયું છે. માર્કેટમાં કેરીની આવક ઓછી હોવાથી કેરીના ભાવમાં પણ વધારો થવાની આશંકા છે.


માવઠાએ મજા બગાડી


નવસારી જિલ્લામાં આ વર્ષે માવઠાના કારણે કેરીના પાક પર માઠી અસર થઈ છે. શરૂઆતમાં કેરીના પાક માટે અનુકૂળ વાતાવરણ રહ્યું હતું. જેથી આંબા પર સારી એવી મંજરી આવી હતી. ત્યારબાદ કેરી આવવાની શરૂઆત થઇ હતી. પરંતુ ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે જ કમોસમી વરસાદ પણ પડતા કેરીના પાક બગડવાનું શરૂ થયો હતો. ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવશે તેવી ભીતિ સતત સતાવી રહી છે.


નવસારીની કેરીનો ભાવ શું છે?


કેરીના વ્યાપારીઓના જણાવ્યા પ્રમાણે 1 એપ્રિલના રોજ જે કેરી આવી હતી, તેના ભાવ 2700ની આસપાસ હતા. જેનું કારણ કેરીની આવક ઓછી હતી. પરંતુ હવે 25થી 30 ટન જેટલી કેરીની આવક છે. તેની સામે કેસરના ભાવ 1800થી 2200 રૂપિયા, લંગડાના 1800 અને રાજાપૂરી 500ની આજુબાજુ અને દશેરી કેરીનો ભાવ 1500ની આજુબાજુ રહ્યો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે