નવસારી માર્કેટ યાર્ડમાં કેરીની રેકોર્ડ તોડ આવક, એક જ દિવસમાં 9,398 મણ કેરી હરાજી માટે આવી


  • Published By :
  • Published Date : 2023-06-04 18:15:52

દક્ષિણ ગુજરાતમાં નવસારી કેરીના ઉત્પાદન માટે જાણીતું છે, આ વર્ષે નવસારી માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. નવસારી APMC માર્કેટના વહીવટદારોના જણાવ્યા પ્રમાણે નવસારી APMCના મોરારજી દેસાઈ માર્કેટયાર્ડમાં આ વર્ષે ગત વર્ષ કરતાં પણ કરીની આવકમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. અઢી લાખ મણ કેરી APMC માર્કેટમાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે કેરીનો પાક નવસારી જિલ્લામાં ખૂબ જ ઓછો આવ્યો હતો જેના કારણે અહીંનાં APMCના માર્કેટયાર્ડમાં પણ હરાજી માટે ઓછી આવી હતી.


આ ભાવમાં થઈ હરાજી 


નવસારીના APMC માર્કેટ દ્વારા રોજ સાંજના સમયે કેરીની હરાજી કરવામાં આવે છે નવસારી એપીએમસી માર્કેટના પ્રમુખ પ્રકાશભાઈ પટેલના જણાવ્યા મુજબ કેસર કેરીનો 1345, દશેરીનો 890, લંગડાનો 640, હાફૂસનો 1200, રાજાપુરીનો 650 તથા તોતાપુરીનો 380 રૂ. ભાવ નોંધાયો છે. જ્યારે દેશી કેરીનો 960, બદામનો 615, વનરાજનો 425, કરંજનો 305, આમ્રપાલીનો 650 અને સરદારનો 240 રૂ. ભાવ નોંધાયો છે. આમ રોજ નવસારીના એપીએમસી માર્કેટમાં 5,000 થી વધુ મણ કેરી ઠલવાઈ રહી છે.


હાફૂસ કેરીનો ભાવ ઘટવાની શક્યતા


APMCના વહીવટકર્તાઓના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે જે હાફૂસ કેરીનો ભાવ સ્થિર રહ્યો હતો તેટલો જ ભાવ હાલના સમયમાં જોવા મળી રહ્યો છે એટલે કે કોઈપણ મહદંશે ફેરફાર જોવા મળતો નથી. આ વખતે હાફૂસ કેરીનો ભાવ એટલા પ્રમાણમાં છે કે સામાન્ય વર્ગ પણ કેરી ખાઈ આ સિઝનમાં આનંદ માણી શકે છે .



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.