નવસારી માર્કેટ યાર્ડમાં કેરીની રેકોર્ડ તોડ આવક, એક જ દિવસમાં 9,398 મણ કેરી હરાજી માટે આવી


  • Published By :
  • Published Date : 2023-06-04 18:15:52

દક્ષિણ ગુજરાતમાં નવસારી કેરીના ઉત્પાદન માટે જાણીતું છે, આ વર્ષે નવસારી માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. નવસારી APMC માર્કેટના વહીવટદારોના જણાવ્યા પ્રમાણે નવસારી APMCના મોરારજી દેસાઈ માર્કેટયાર્ડમાં આ વર્ષે ગત વર્ષ કરતાં પણ કરીની આવકમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. અઢી લાખ મણ કેરી APMC માર્કેટમાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે કેરીનો પાક નવસારી જિલ્લામાં ખૂબ જ ઓછો આવ્યો હતો જેના કારણે અહીંનાં APMCના માર્કેટયાર્ડમાં પણ હરાજી માટે ઓછી આવી હતી.


આ ભાવમાં થઈ હરાજી 


નવસારીના APMC માર્કેટ દ્વારા રોજ સાંજના સમયે કેરીની હરાજી કરવામાં આવે છે નવસારી એપીએમસી માર્કેટના પ્રમુખ પ્રકાશભાઈ પટેલના જણાવ્યા મુજબ કેસર કેરીનો 1345, દશેરીનો 890, લંગડાનો 640, હાફૂસનો 1200, રાજાપુરીનો 650 તથા તોતાપુરીનો 380 રૂ. ભાવ નોંધાયો છે. જ્યારે દેશી કેરીનો 960, બદામનો 615, વનરાજનો 425, કરંજનો 305, આમ્રપાલીનો 650 અને સરદારનો 240 રૂ. ભાવ નોંધાયો છે. આમ રોજ નવસારીના એપીએમસી માર્કેટમાં 5,000 થી વધુ મણ કેરી ઠલવાઈ રહી છે.


હાફૂસ કેરીનો ભાવ ઘટવાની શક્યતા


APMCના વહીવટકર્તાઓના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે જે હાફૂસ કેરીનો ભાવ સ્થિર રહ્યો હતો તેટલો જ ભાવ હાલના સમયમાં જોવા મળી રહ્યો છે એટલે કે કોઈપણ મહદંશે ફેરફાર જોવા મળતો નથી. આ વખતે હાફૂસ કેરીનો ભાવ એટલા પ્રમાણમાં છે કે સામાન્ય વર્ગ પણ કેરી ખાઈ આ સિઝનમાં આનંદ માણી શકે છે .



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.