નવસારી માર્કેટ યાર્ડમાં કેરીની રેકોર્ડ તોડ આવક, એક જ દિવસમાં 9,398 મણ કેરી હરાજી માટે આવી


  • Published By :
  • Published Date : 2023-06-04 18:15:52

દક્ષિણ ગુજરાતમાં નવસારી કેરીના ઉત્પાદન માટે જાણીતું છે, આ વર્ષે નવસારી માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. નવસારી APMC માર્કેટના વહીવટદારોના જણાવ્યા પ્રમાણે નવસારી APMCના મોરારજી દેસાઈ માર્કેટયાર્ડમાં આ વર્ષે ગત વર્ષ કરતાં પણ કરીની આવકમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. અઢી લાખ મણ કેરી APMC માર્કેટમાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે કેરીનો પાક નવસારી જિલ્લામાં ખૂબ જ ઓછો આવ્યો હતો જેના કારણે અહીંનાં APMCના માર્કેટયાર્ડમાં પણ હરાજી માટે ઓછી આવી હતી.


આ ભાવમાં થઈ હરાજી 


નવસારીના APMC માર્કેટ દ્વારા રોજ સાંજના સમયે કેરીની હરાજી કરવામાં આવે છે નવસારી એપીએમસી માર્કેટના પ્રમુખ પ્રકાશભાઈ પટેલના જણાવ્યા મુજબ કેસર કેરીનો 1345, દશેરીનો 890, લંગડાનો 640, હાફૂસનો 1200, રાજાપુરીનો 650 તથા તોતાપુરીનો 380 રૂ. ભાવ નોંધાયો છે. જ્યારે દેશી કેરીનો 960, બદામનો 615, વનરાજનો 425, કરંજનો 305, આમ્રપાલીનો 650 અને સરદારનો 240 રૂ. ભાવ નોંધાયો છે. આમ રોજ નવસારીના એપીએમસી માર્કેટમાં 5,000 થી વધુ મણ કેરી ઠલવાઈ રહી છે.


હાફૂસ કેરીનો ભાવ ઘટવાની શક્યતા


APMCના વહીવટકર્તાઓના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે જે હાફૂસ કેરીનો ભાવ સ્થિર રહ્યો હતો તેટલો જ ભાવ હાલના સમયમાં જોવા મળી રહ્યો છે એટલે કે કોઈપણ મહદંશે ફેરફાર જોવા મળતો નથી. આ વખતે હાફૂસ કેરીનો ભાવ એટલા પ્રમાણમાં છે કે સામાન્ય વર્ગ પણ કેરી ખાઈ આ સિઝનમાં આનંદ માણી શકે છે .



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.