નવસારી માર્કેટ યાર્ડમાં કેરીની રેકોર્ડ તોડ આવક, એક જ દિવસમાં 9,398 મણ કેરી હરાજી માટે આવી


  • Published By :
  • Published Date : 2023-06-04 18:15:52

દક્ષિણ ગુજરાતમાં નવસારી કેરીના ઉત્પાદન માટે જાણીતું છે, આ વર્ષે નવસારી માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. નવસારી APMC માર્કેટના વહીવટદારોના જણાવ્યા પ્રમાણે નવસારી APMCના મોરારજી દેસાઈ માર્કેટયાર્ડમાં આ વર્ષે ગત વર્ષ કરતાં પણ કરીની આવકમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. અઢી લાખ મણ કેરી APMC માર્કેટમાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે કેરીનો પાક નવસારી જિલ્લામાં ખૂબ જ ઓછો આવ્યો હતો જેના કારણે અહીંનાં APMCના માર્કેટયાર્ડમાં પણ હરાજી માટે ઓછી આવી હતી.


આ ભાવમાં થઈ હરાજી 


નવસારીના APMC માર્કેટ દ્વારા રોજ સાંજના સમયે કેરીની હરાજી કરવામાં આવે છે નવસારી એપીએમસી માર્કેટના પ્રમુખ પ્રકાશભાઈ પટેલના જણાવ્યા મુજબ કેસર કેરીનો 1345, દશેરીનો 890, લંગડાનો 640, હાફૂસનો 1200, રાજાપુરીનો 650 તથા તોતાપુરીનો 380 રૂ. ભાવ નોંધાયો છે. જ્યારે દેશી કેરીનો 960, બદામનો 615, વનરાજનો 425, કરંજનો 305, આમ્રપાલીનો 650 અને સરદારનો 240 રૂ. ભાવ નોંધાયો છે. આમ રોજ નવસારીના એપીએમસી માર્કેટમાં 5,000 થી વધુ મણ કેરી ઠલવાઈ રહી છે.


હાફૂસ કેરીનો ભાવ ઘટવાની શક્યતા


APMCના વહીવટકર્તાઓના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે જે હાફૂસ કેરીનો ભાવ સ્થિર રહ્યો હતો તેટલો જ ભાવ હાલના સમયમાં જોવા મળી રહ્યો છે એટલે કે કોઈપણ મહદંશે ફેરફાર જોવા મળતો નથી. આ વખતે હાફૂસ કેરીનો ભાવ એટલા પ્રમાણમાં છે કે સામાન્ય વર્ગ પણ કેરી ખાઈ આ સિઝનમાં આનંદ માણી શકે છે .



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .