નૌસેનાએ વિદેશથી આવતું 1 હજાર કરોડનું ડ્રગ્સ કબજે કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 17:40:53

ભારતીય નૌસેનાએ ઈરાનથી અને પાકિસ્તાનથી આવતી બે બૉટ ઝડપી પાડી હતી. આ બોટમાં તપાસ કરતા નૌસેનાને 1 હજાર કરોડ રૂપિયાનું 200 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. ભારતીય નેવીએ ડ્રગ્સના જથ્થાને કબજે કર્યું હતું. 


નૌસેનાએ બૉટ પરથી 6 લોકોને પકડી પાડ્યા 

નૌસેનાએ ભારતીય સમુદ્રી સીમા વિસ્તારમાંથી આજે એક બોટ ઝડપી પાડી હતી. ઈરાનથી આવેલી આ બોટમાં સંદિગ્ધ કામગીરીનો અંદાજ આવતા ભારતીય નૌસેનાએ બૉટમાં તપાસ કરી હતી. બોટમાંથી 200 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ હોય તેવું જાણવા મળી રહ્યું છે. 


ગુજરાત બની રહ્યું છે વિદેશથી આવતા ડ્રગ્સનું પ્રવેશદ્વાર

ગુજરાત વિદેશથી આવતા ડ્રગ્સનું પ્રવેશદ્વાર બનતું જાયે છે તેવું લાગી રહ્યું છે. અગાઉ મુંબઈ અને દક્ષિણ ભારતના સમુદ્રી વિસ્તારમાં ડ્રગ્સ પકડાવાના સમાચાર મળતા હતા. પરંતુ હમણા ઘણા સમયથી ગુજરાતના બંદરોથી અને સમુદ્ર વિસ્તારમાંથી ડ્રગ્સ મળવના સમાચારોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત પોલીસ સહિત ભારતીય નૌસેના પણ ડ્રગ્સ ઝડપવાની કામગીરી બખૂબી કરી રહી છે તેવામાં વધુ એક ખેપ નૌસેનાએ ઝડપી પાડી છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.