નૌસેનાએ વિદેશથી આવતું 1 હજાર કરોડનું ડ્રગ્સ કબજે કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 17:40:53

ભારતીય નૌસેનાએ ઈરાનથી અને પાકિસ્તાનથી આવતી બે બૉટ ઝડપી પાડી હતી. આ બોટમાં તપાસ કરતા નૌસેનાને 1 હજાર કરોડ રૂપિયાનું 200 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. ભારતીય નેવીએ ડ્રગ્સના જથ્થાને કબજે કર્યું હતું. 


નૌસેનાએ બૉટ પરથી 6 લોકોને પકડી પાડ્યા 

નૌસેનાએ ભારતીય સમુદ્રી સીમા વિસ્તારમાંથી આજે એક બોટ ઝડપી પાડી હતી. ઈરાનથી આવેલી આ બોટમાં સંદિગ્ધ કામગીરીનો અંદાજ આવતા ભારતીય નૌસેનાએ બૉટમાં તપાસ કરી હતી. બોટમાંથી 200 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ હોય તેવું જાણવા મળી રહ્યું છે. 


ગુજરાત બની રહ્યું છે વિદેશથી આવતા ડ્રગ્સનું પ્રવેશદ્વાર

ગુજરાત વિદેશથી આવતા ડ્રગ્સનું પ્રવેશદ્વાર બનતું જાયે છે તેવું લાગી રહ્યું છે. અગાઉ મુંબઈ અને દક્ષિણ ભારતના સમુદ્રી વિસ્તારમાં ડ્રગ્સ પકડાવાના સમાચાર મળતા હતા. પરંતુ હમણા ઘણા સમયથી ગુજરાતના બંદરોથી અને સમુદ્ર વિસ્તારમાંથી ડ્રગ્સ મળવના સમાચારોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત પોલીસ સહિત ભારતીય નૌસેના પણ ડ્રગ્સ ઝડપવાની કામગીરી બખૂબી કરી રહી છે તેવામાં વધુ એક ખેપ નૌસેનાએ ઝડપી પાડી છે. 




ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .