નૌસેનાએ વિદેશથી આવતું 1 હજાર કરોડનું ડ્રગ્સ કબજે કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 17:40:53

ભારતીય નૌસેનાએ ઈરાનથી અને પાકિસ્તાનથી આવતી બે બૉટ ઝડપી પાડી હતી. આ બોટમાં તપાસ કરતા નૌસેનાને 1 હજાર કરોડ રૂપિયાનું 200 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. ભારતીય નેવીએ ડ્રગ્સના જથ્થાને કબજે કર્યું હતું. 


નૌસેનાએ બૉટ પરથી 6 લોકોને પકડી પાડ્યા 

નૌસેનાએ ભારતીય સમુદ્રી સીમા વિસ્તારમાંથી આજે એક બોટ ઝડપી પાડી હતી. ઈરાનથી આવેલી આ બોટમાં સંદિગ્ધ કામગીરીનો અંદાજ આવતા ભારતીય નૌસેનાએ બૉટમાં તપાસ કરી હતી. બોટમાંથી 200 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ હોય તેવું જાણવા મળી રહ્યું છે. 


ગુજરાત બની રહ્યું છે વિદેશથી આવતા ડ્રગ્સનું પ્રવેશદ્વાર

ગુજરાત વિદેશથી આવતા ડ્રગ્સનું પ્રવેશદ્વાર બનતું જાયે છે તેવું લાગી રહ્યું છે. અગાઉ મુંબઈ અને દક્ષિણ ભારતના સમુદ્રી વિસ્તારમાં ડ્રગ્સ પકડાવાના સમાચાર મળતા હતા. પરંતુ હમણા ઘણા સમયથી ગુજરાતના બંદરોથી અને સમુદ્ર વિસ્તારમાંથી ડ્રગ્સ મળવના સમાચારોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત પોલીસ સહિત ભારતીય નૌસેના પણ ડ્રગ્સ ઝડપવાની કામગીરી બખૂબી કરી રહી છે તેવામાં વધુ એક ખેપ નૌસેનાએ ઝડપી પાડી છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.