નૌસેનાએ વિદેશથી આવતું 1 હજાર કરોડનું ડ્રગ્સ કબજે કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 17:40:53

ભારતીય નૌસેનાએ ઈરાનથી અને પાકિસ્તાનથી આવતી બે બૉટ ઝડપી પાડી હતી. આ બોટમાં તપાસ કરતા નૌસેનાને 1 હજાર કરોડ રૂપિયાનું 200 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. ભારતીય નેવીએ ડ્રગ્સના જથ્થાને કબજે કર્યું હતું. 


નૌસેનાએ બૉટ પરથી 6 લોકોને પકડી પાડ્યા 

નૌસેનાએ ભારતીય સમુદ્રી સીમા વિસ્તારમાંથી આજે એક બોટ ઝડપી પાડી હતી. ઈરાનથી આવેલી આ બોટમાં સંદિગ્ધ કામગીરીનો અંદાજ આવતા ભારતીય નૌસેનાએ બૉટમાં તપાસ કરી હતી. બોટમાંથી 200 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ હોય તેવું જાણવા મળી રહ્યું છે. 


ગુજરાત બની રહ્યું છે વિદેશથી આવતા ડ્રગ્સનું પ્રવેશદ્વાર

ગુજરાત વિદેશથી આવતા ડ્રગ્સનું પ્રવેશદ્વાર બનતું જાયે છે તેવું લાગી રહ્યું છે. અગાઉ મુંબઈ અને દક્ષિણ ભારતના સમુદ્રી વિસ્તારમાં ડ્રગ્સ પકડાવાના સમાચાર મળતા હતા. પરંતુ હમણા ઘણા સમયથી ગુજરાતના બંદરોથી અને સમુદ્ર વિસ્તારમાંથી ડ્રગ્સ મળવના સમાચારોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત પોલીસ સહિત ભારતીય નૌસેના પણ ડ્રગ્સ ઝડપવાની કામગીરી બખૂબી કરી રહી છે તેવામાં વધુ એક ખેપ નૌસેનાએ ઝડપી પાડી છે. 




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.