Nawaz Sharifની Gucciની ટોપી બની પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય, જાણો શું છે કારણ


  • Published By :
  • Published Date : 2024-01-30 22:37:58

પાકિસ્તાનમાં નવાઝ શરીફની ટોપી આજકાલ ભારે ચર્ચાનો વિષય બની છે. પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે નવાઝ શરીફે પહેરેલી ગુચી (Gucci) કંપનીની જે ટોપી પહેરી છે તેની બજારમાં કિંમત એક લાખ પાકિસ્તાની રૂપિયાની છે. આવી સ્થિતિમાં, ચર્ચા શરૂ થઈ છે કે એક તરફ પાકિસ્તાન આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યું છે અને બીજી તરફ નવાઝ શરીફ 1 લાખ રૂપિયાની ટોપી પહેરીને ફરે છે.


નનકાના સાહિબમાં કેપ પહેરીને રેલી કરી


નવાઝ શરીફની કેપ તેની કિંમતની સાથે અન્ય કારણસર પણ ચર્ચાઈ રહી છે. વાસ્તવમાં, પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે કેપ પરના પટ્ટાઓ ઈમરાન ખાનના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ઝંડા જેવા જ છે. નવાઝ શરીફે હાલમાં જ પંજાબ પ્રાંતના નનકાના સાહિબમાં આ કેપ પહેરીને રેલી કરી હતી.


લોકોમાં રોષ શા માટે છે?


એજન્સી અનુસાર, પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે તેમના દેશમાં આ દિવસોમાં પેટ્રોલ-ડિઝલ, વીજળી અને ખાદ્યપદાર્થો સહિતની જીવન જરૂરીયાતની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. તે ઉપરાંત વિદેશી હુંડિયામણના અભાવે જબરદસ્ત આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. વિશ્વ બેંકની એક રિપોર્ટ મુજબ, કોરોના મહામારી બાદ પાકિસ્તાનની રિકવરી આર્થિક અસંતુલનના કારણે અટકી ગઈ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.