Nawaz Sharifની Gucciની ટોપી બની પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય, જાણો શું છે કારણ


  • Published By :
  • Published Date : 2024-01-30 22:37:58

પાકિસ્તાનમાં નવાઝ શરીફની ટોપી આજકાલ ભારે ચર્ચાનો વિષય બની છે. પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે નવાઝ શરીફે પહેરેલી ગુચી (Gucci) કંપનીની જે ટોપી પહેરી છે તેની બજારમાં કિંમત એક લાખ પાકિસ્તાની રૂપિયાની છે. આવી સ્થિતિમાં, ચર્ચા શરૂ થઈ છે કે એક તરફ પાકિસ્તાન આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યું છે અને બીજી તરફ નવાઝ શરીફ 1 લાખ રૂપિયાની ટોપી પહેરીને ફરે છે.


નનકાના સાહિબમાં કેપ પહેરીને રેલી કરી


નવાઝ શરીફની કેપ તેની કિંમતની સાથે અન્ય કારણસર પણ ચર્ચાઈ રહી છે. વાસ્તવમાં, પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે કેપ પરના પટ્ટાઓ ઈમરાન ખાનના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ઝંડા જેવા જ છે. નવાઝ શરીફે હાલમાં જ પંજાબ પ્રાંતના નનકાના સાહિબમાં આ કેપ પહેરીને રેલી કરી હતી.


લોકોમાં રોષ શા માટે છે?


એજન્સી અનુસાર, પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે તેમના દેશમાં આ દિવસોમાં પેટ્રોલ-ડિઝલ, વીજળી અને ખાદ્યપદાર્થો સહિતની જીવન જરૂરીયાતની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. તે ઉપરાંત વિદેશી હુંડિયામણના અભાવે જબરદસ્ત આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. વિશ્વ બેંકની એક રિપોર્ટ મુજબ, કોરોના મહામારી બાદ પાકિસ્તાનની રિકવરી આર્થિક અસંતુલનના કારણે અટકી ગઈ છે.



મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.