Nawaz Sharifની Gucciની ટોપી બની પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય, જાણો શું છે કારણ


  • Published By :
  • Published Date : 2024-01-30 22:37:58

પાકિસ્તાનમાં નવાઝ શરીફની ટોપી આજકાલ ભારે ચર્ચાનો વિષય બની છે. પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે નવાઝ શરીફે પહેરેલી ગુચી (Gucci) કંપનીની જે ટોપી પહેરી છે તેની બજારમાં કિંમત એક લાખ પાકિસ્તાની રૂપિયાની છે. આવી સ્થિતિમાં, ચર્ચા શરૂ થઈ છે કે એક તરફ પાકિસ્તાન આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યું છે અને બીજી તરફ નવાઝ શરીફ 1 લાખ રૂપિયાની ટોપી પહેરીને ફરે છે.


નનકાના સાહિબમાં કેપ પહેરીને રેલી કરી


નવાઝ શરીફની કેપ તેની કિંમતની સાથે અન્ય કારણસર પણ ચર્ચાઈ રહી છે. વાસ્તવમાં, પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે કેપ પરના પટ્ટાઓ ઈમરાન ખાનના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ઝંડા જેવા જ છે. નવાઝ શરીફે હાલમાં જ પંજાબ પ્રાંતના નનકાના સાહિબમાં આ કેપ પહેરીને રેલી કરી હતી.


લોકોમાં રોષ શા માટે છે?


એજન્સી અનુસાર, પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે તેમના દેશમાં આ દિવસોમાં પેટ્રોલ-ડિઝલ, વીજળી અને ખાદ્યપદાર્થો સહિતની જીવન જરૂરીયાતની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. તે ઉપરાંત વિદેશી હુંડિયામણના અભાવે જબરદસ્ત આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. વિશ્વ બેંકની એક રિપોર્ટ મુજબ, કોરોના મહામારી બાદ પાકિસ્તાનની રિકવરી આર્થિક અસંતુલનના કારણે અટકી ગઈ છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.