ગોંડલથી NCP નેતા રેશ્મા પટેલ લડશે ચૂંટણી, આજે ભરશે ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:33:36

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા નામોની ઘોષણા કરી દેવામાં આવી છે ત્યારે NCP નેતા રેશ્મા પટેલ આજે ઉમેદવારી ફોર્મ ફરવાના છે. NCPના મહિલા નેતા રેશ્મા પટેલ ગોંડલ વિધાનસભાથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. 


રેશ્મા પટેલ ગોંડલથી નોંધાવશે ઉમેદવારી 

રેશ્મા પટેલ જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ભાજપે ગીતાબા જાડેજાને અને કોંગ્રેસે યતીશ દેસાઈને પસંદ કર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીથી નિમીષા ખૂંટ ચૂંટણી લડવાના છે. ગોંડલ બેઠક પરથી કોને ચૂંટણી મેદાનમાં ઉતારવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. NCPએ રેશ્મા પટેલ પર વિશ્વાસ રાખી તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે ગોંડલમાં ત્રણ મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. બપોરના 2.15 વાગ્યે તેવો ઉમેદવારી ફોર્મ ભરવાના છે.                




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.