ગોંડલથી NCP નેતા રેશ્મા પટેલ લડશે ચૂંટણી, આજે ભરશે ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:33:36

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા નામોની ઘોષણા કરી દેવામાં આવી છે ત્યારે NCP નેતા રેશ્મા પટેલ આજે ઉમેદવારી ફોર્મ ફરવાના છે. NCPના મહિલા નેતા રેશ્મા પટેલ ગોંડલ વિધાનસભાથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. 


રેશ્મા પટેલ ગોંડલથી નોંધાવશે ઉમેદવારી 

રેશ્મા પટેલ જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ભાજપે ગીતાબા જાડેજાને અને કોંગ્રેસે યતીશ દેસાઈને પસંદ કર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીથી નિમીષા ખૂંટ ચૂંટણી લડવાના છે. ગોંડલ બેઠક પરથી કોને ચૂંટણી મેદાનમાં ઉતારવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. NCPએ રેશ્મા પટેલ પર વિશ્વાસ રાખી તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે ગોંડલમાં ત્રણ મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. બપોરના 2.15 વાગ્યે તેવો ઉમેદવારી ફોર્મ ભરવાના છે.                




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે