ગોંડલથી NCP નેતા રેશ્મા પટેલ લડશે ચૂંટણી, આજે ભરશે ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:33:36

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા નામોની ઘોષણા કરી દેવામાં આવી છે ત્યારે NCP નેતા રેશ્મા પટેલ આજે ઉમેદવારી ફોર્મ ફરવાના છે. NCPના મહિલા નેતા રેશ્મા પટેલ ગોંડલ વિધાનસભાથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. 


રેશ્મા પટેલ ગોંડલથી નોંધાવશે ઉમેદવારી 

રેશ્મા પટેલ જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ભાજપે ગીતાબા જાડેજાને અને કોંગ્રેસે યતીશ દેસાઈને પસંદ કર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીથી નિમીષા ખૂંટ ચૂંટણી લડવાના છે. ગોંડલ બેઠક પરથી કોને ચૂંટણી મેદાનમાં ઉતારવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. NCPએ રેશ્મા પટેલ પર વિશ્વાસ રાખી તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે ગોંડલમાં ત્રણ મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. બપોરના 2.15 વાગ્યે તેવો ઉમેદવારી ફોર્મ ભરવાના છે.                




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.