ગોંડલથી NCP નેતા રેશ્મા પટેલ લડશે ચૂંટણી, આજે ભરશે ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:33:36

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા નામોની ઘોષણા કરી દેવામાં આવી છે ત્યારે NCP નેતા રેશ્મા પટેલ આજે ઉમેદવારી ફોર્મ ફરવાના છે. NCPના મહિલા નેતા રેશ્મા પટેલ ગોંડલ વિધાનસભાથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. 


રેશ્મા પટેલ ગોંડલથી નોંધાવશે ઉમેદવારી 

રેશ્મા પટેલ જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ભાજપે ગીતાબા જાડેજાને અને કોંગ્રેસે યતીશ દેસાઈને પસંદ કર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીથી નિમીષા ખૂંટ ચૂંટણી લડવાના છે. ગોંડલ બેઠક પરથી કોને ચૂંટણી મેદાનમાં ઉતારવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. NCPએ રેશ્મા પટેલ પર વિશ્વાસ રાખી તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે ગોંડલમાં ત્રણ મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. બપોરના 2.15 વાગ્યે તેવો ઉમેદવારી ફોર્મ ભરવાના છે.                




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.