વિધાનસભા ચૂંટણી પહેલા NCPના MLA કાંધલ જાડેજાને કોર્ટે આપી રાહત, બે કેસમાં નિર્દોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:21:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પોરબંદરના કુતિયાણાના NCPના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાને બે કોર્ટમાંથી મોટી રાહત આપી છે. આ બંને કેસમાં ગંભીર આરોપ હોવા છતાં કાંધલ જાડેજા સામે કોઈ પણ પુરાવા ન મળતા કોર્ટે ક્લીન ચીટ આપી હતી.



કાંધલ જાડેજા વિરૂધ્ધ આરોપ શું હતા


કાંધલ જાડેજાને પોરબંદર રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ટોળે વળી ધમાલ કરવાના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. રાણાવાવ -કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા એ એક ડઝન થી વધુ લોકો સાથે વર્ષ 2017માં ધમાલ કરી હતી. જેમાં રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન ઓડેદરાને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હતો. જેને લઈને  રાણાવાવ કોર્ટમાં ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત 13 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં રાણાવાવ કોર્ટે પુરાવાના અભાવે ધારાસભ્ય કાંધલ જાડેજા અને 13 લોકોને નિર્દોષ જાહેર મુક્ત કર્યા હતા.


અમદાવાદમાં હથિયાર અને કારતૂસ સાથે પકડાયા હતા 


તે જ પ્રકારે NCPના MLA કાંધલ જાડેજાને  અમદાવાદ સેશન્સ કોર્ટે ગેરકાયદેસર હથિયાર રાખવાના 17 વર્ષ જૂના કેસમાં કાંધલ જાડેજાને ક્લીનચીટ આપી છે. વર્ષ 2005માં ગેરકાયદે હથિયાર મળવા મામલે કાંધલ જાડેજા સામે ગુનો નોંધાયો હતો. જો કે કોઈ પુરાવા ન મળતા કોર્ટે ક્લિનચીટ આપી છે.


વર્ષ 2005માં અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી હથિયાર અને કારતૂસ સાથે પકડાવાના ચકચારભર્યા કેસમાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને અત્રેની સેશન્સ કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ(બિનતહોમત છોડી મૂકવા)નો હુકમ કર્યો હતો. એડિશનલ સેશન્સ જજ એ.બી.ભોજકે અરજદાર વિરૂધ્ધ ચાર્જફ્રેમ કરવા માટે કોઇ પુરાવો નહી હોવાનું ઠરાવ્યું હતું અને કાંધલની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવાના હુકમને અયોગ્ય અને ભૂલભરેલો ગણાવ્યો હતો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.