વિધાનસભા ચૂંટણી પહેલા NCPના MLA કાંધલ જાડેજાને કોર્ટે આપી રાહત, બે કેસમાં નિર્દોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:21:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પોરબંદરના કુતિયાણાના NCPના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાને બે કોર્ટમાંથી મોટી રાહત આપી છે. આ બંને કેસમાં ગંભીર આરોપ હોવા છતાં કાંધલ જાડેજા સામે કોઈ પણ પુરાવા ન મળતા કોર્ટે ક્લીન ચીટ આપી હતી.



કાંધલ જાડેજા વિરૂધ્ધ આરોપ શું હતા


કાંધલ જાડેજાને પોરબંદર રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ટોળે વળી ધમાલ કરવાના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. રાણાવાવ -કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા એ એક ડઝન થી વધુ લોકો સાથે વર્ષ 2017માં ધમાલ કરી હતી. જેમાં રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન ઓડેદરાને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હતો. જેને લઈને  રાણાવાવ કોર્ટમાં ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત 13 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં રાણાવાવ કોર્ટે પુરાવાના અભાવે ધારાસભ્ય કાંધલ જાડેજા અને 13 લોકોને નિર્દોષ જાહેર મુક્ત કર્યા હતા.


અમદાવાદમાં હથિયાર અને કારતૂસ સાથે પકડાયા હતા 


તે જ પ્રકારે NCPના MLA કાંધલ જાડેજાને  અમદાવાદ સેશન્સ કોર્ટે ગેરકાયદેસર હથિયાર રાખવાના 17 વર્ષ જૂના કેસમાં કાંધલ જાડેજાને ક્લીનચીટ આપી છે. વર્ષ 2005માં ગેરકાયદે હથિયાર મળવા મામલે કાંધલ જાડેજા સામે ગુનો નોંધાયો હતો. જો કે કોઈ પુરાવા ન મળતા કોર્ટે ક્લિનચીટ આપી છે.


વર્ષ 2005માં અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી હથિયાર અને કારતૂસ સાથે પકડાવાના ચકચારભર્યા કેસમાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને અત્રેની સેશન્સ કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ(બિનતહોમત છોડી મૂકવા)નો હુકમ કર્યો હતો. એડિશનલ સેશન્સ જજ એ.બી.ભોજકે અરજદાર વિરૂધ્ધ ચાર્જફ્રેમ કરવા માટે કોઇ પુરાવો નહી હોવાનું ઠરાવ્યું હતું અને કાંધલની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવાના હુકમને અયોગ્ય અને ભૂલભરેલો ગણાવ્યો હતો. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"