વિધાનસભા ચૂંટણી પહેલા NCPના MLA કાંધલ જાડેજાને કોર્ટે આપી રાહત, બે કેસમાં નિર્દોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:21:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પોરબંદરના કુતિયાણાના NCPના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાને બે કોર્ટમાંથી મોટી રાહત આપી છે. આ બંને કેસમાં ગંભીર આરોપ હોવા છતાં કાંધલ જાડેજા સામે કોઈ પણ પુરાવા ન મળતા કોર્ટે ક્લીન ચીટ આપી હતી.



કાંધલ જાડેજા વિરૂધ્ધ આરોપ શું હતા


કાંધલ જાડેજાને પોરબંદર રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ટોળે વળી ધમાલ કરવાના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. રાણાવાવ -કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા એ એક ડઝન થી વધુ લોકો સાથે વર્ષ 2017માં ધમાલ કરી હતી. જેમાં રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન ઓડેદરાને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હતો. જેને લઈને  રાણાવાવ કોર્ટમાં ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત 13 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં રાણાવાવ કોર્ટે પુરાવાના અભાવે ધારાસભ્ય કાંધલ જાડેજા અને 13 લોકોને નિર્દોષ જાહેર મુક્ત કર્યા હતા.


અમદાવાદમાં હથિયાર અને કારતૂસ સાથે પકડાયા હતા 


તે જ પ્રકારે NCPના MLA કાંધલ જાડેજાને  અમદાવાદ સેશન્સ કોર્ટે ગેરકાયદેસર હથિયાર રાખવાના 17 વર્ષ જૂના કેસમાં કાંધલ જાડેજાને ક્લીનચીટ આપી છે. વર્ષ 2005માં ગેરકાયદે હથિયાર મળવા મામલે કાંધલ જાડેજા સામે ગુનો નોંધાયો હતો. જો કે કોઈ પુરાવા ન મળતા કોર્ટે ક્લિનચીટ આપી છે.


વર્ષ 2005માં અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી હથિયાર અને કારતૂસ સાથે પકડાવાના ચકચારભર્યા કેસમાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને અત્રેની સેશન્સ કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ(બિનતહોમત છોડી મૂકવા)નો હુકમ કર્યો હતો. એડિશનલ સેશન્સ જજ એ.બી.ભોજકે અરજદાર વિરૂધ્ધ ચાર્જફ્રેમ કરવા માટે કોઇ પુરાવો નહી હોવાનું ઠરાવ્યું હતું અને કાંધલની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવાના હુકમને અયોગ્ય અને ભૂલભરેલો ગણાવ્યો હતો. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે