NCRB Report : હૃદય હુમલાથી આકસ્મિક થતા મોતમાં Gujarat ત્રીજા ક્રમે! જાણો વર્ષ 2022માં કેટલા લોકોના મોત થયા?


  • Published By :
  • Published Date : 2023-12-05 10:02:46

એક સમય હતો જ્યારે કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. પ્રતિદિન સમાચારોમાં આવતું હતું કે આટલા લોકોના મોત કોરોના સંક્રમિત થયા હોવાને કારણે થયા છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવવાના બનાવોમાં સતત વધારો ઝિંકાયો છે. નાની ઉંમરે યુવાનો તેમજ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેમના મોત થઈ રહ્યા છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા એવું માનવામાં આવી રહ્યું હતું કે સરેરાશ પ્રતિદિન બેથી ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થાય છે પરંતુ હવે હૃદયહુમલાને લઈ એનસીઆરબીનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ 8થી 9 લોકોના મૃત્યુ હૃદયહુમલાને કારણે થાય છે.  

The mysterious death of a teenager who went for a photo session on a  railway track | રેલવે ટ્રેક પર ફોટો સેશન માટે ગયેલા કિશોરનું રહસ્યમય મોત -  Divya Bhaskar

ગુજરાતમાં 8 જેટલા લોકોના હોર્ટ એટેકને કારણે થાય છે!

કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોરોનાની અસર તો ધીમે ધીમે ના બરાબર થઈ ગઈ પરંતુ કોરોના બાદ હાર્ટ એટેક ગંભીર રીતે લોકોને હચમચાવી રહ્યો છે. લગભગ દરરોજ અમે લોકો સમાચાર આપીએ છીએ કે રાજ્યમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત છે. અલગ અલગ જગ્યાઓ પરથી મોતના સમાચાર આવતા હોય છે. યુવાનોના મોત થઈ રહ્યા છે જ્યારે વિદ્યાર્થીઓ પણ હૃદયહુમલાના શિકાર બની રહ્યા છે. હૃદય હુમલાના આકસ્મિક મોત મામલે દેશમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે. પહેલા ક્રમે મહારાષ્ટ્ર આવે છે જ્યારે બીજા ક્રમે કેરલા આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ એટલે કે એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં 2853 લોકોના હૃદયહુમલાને કારણે આકસ્મિક મોત થયા છે. ગુજરાતમાં પ્રતિદિન 8 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થાય છે તેવું રિપોર્ટ પરથી જાણી શકાય છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

ક્યાં કેટલા કેસ નોંધાયા? 

દેશમાં હૃદયરોગની ઘટનામાં જે કેસ નોંધાયા છે તેમાં 30થી 45 વર્ષની વયના 9722, 45થી 60 વર્ષના 12290 જ્યારે 60 વર્ષથી કે તેથી વધુ વયના 7063 જેટલા કેસ નોંધાયા છે. ગુજરાતમાં વર્ષ 2022માં 2853 લોકોના આકસ્મિત મોત થયા છે જેમાં 2529 પુરૂષો તેમજ 324 મહિલાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં આ મોતનો આંકડો 12591 છે જ્યારે કેરલામાં 3993 પર પહોંચ્યો છે. છત્તીસગઢમાં 468 લોકોના આકસ્મિત રીતે મોત થયા છે જ્યારે હરિયાણામાં 1148 લોકોના મોત થયા છે. ઓડિસામાં 501 લોકોના મોત, પંજાબમાં 908, રાજસ્થાનમાં 1422, તમિલનાડુમાં 1630ના મોત હૃદયરોગની આકસ્મિત ઘટનામાં થયા છે. 

હાર્ટ એટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ તેની અવગણના ન કરતાં |  Early Signs of a Heart Attack

શિક્ષકોને અપાઈ રહી છે સીપીઆર ટ્રેનિંગ 

ઉલ્લેખનિય છે કે કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 20-25 વર્ષના યુવાનોને કાળ ભરખી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થી ગમે ત્યારે અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. જેમણે હજી દુનિયા જોઈ નથી તે દુનિયાને અલવિદા કહી રહ્યા છે. જો તમને પણ છાતીમાં દુખે, શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા તો કંઈ પણ શરીરમાં અલગ અલગ લાગે તો આજે જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી છે.       

વડોદરાના ૬૦૫૫ શિક્ષકોએ સીપીઆરની તાલીમ લીધી, ૫૦૦ જેટલા શિક્ષકો ગેરહાજર |  6000 teachers took cpr training in vadodara



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.