NCRB Report : હૃદય હુમલાથી આકસ્મિક થતા મોતમાં Gujarat ત્રીજા ક્રમે! જાણો વર્ષ 2022માં કેટલા લોકોના મોત થયા?


  • Published By :
  • Published Date : 2023-12-05 10:02:46

એક સમય હતો જ્યારે કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. પ્રતિદિન સમાચારોમાં આવતું હતું કે આટલા લોકોના મોત કોરોના સંક્રમિત થયા હોવાને કારણે થયા છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવવાના બનાવોમાં સતત વધારો ઝિંકાયો છે. નાની ઉંમરે યુવાનો તેમજ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેમના મોત થઈ રહ્યા છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા એવું માનવામાં આવી રહ્યું હતું કે સરેરાશ પ્રતિદિન બેથી ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થાય છે પરંતુ હવે હૃદયહુમલાને લઈ એનસીઆરબીનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ 8થી 9 લોકોના મૃત્યુ હૃદયહુમલાને કારણે થાય છે.  

The mysterious death of a teenager who went for a photo session on a  railway track | રેલવે ટ્રેક પર ફોટો સેશન માટે ગયેલા કિશોરનું રહસ્યમય મોત -  Divya Bhaskar

ગુજરાતમાં 8 જેટલા લોકોના હોર્ટ એટેકને કારણે થાય છે!

કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોરોનાની અસર તો ધીમે ધીમે ના બરાબર થઈ ગઈ પરંતુ કોરોના બાદ હાર્ટ એટેક ગંભીર રીતે લોકોને હચમચાવી રહ્યો છે. લગભગ દરરોજ અમે લોકો સમાચાર આપીએ છીએ કે રાજ્યમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત છે. અલગ અલગ જગ્યાઓ પરથી મોતના સમાચાર આવતા હોય છે. યુવાનોના મોત થઈ રહ્યા છે જ્યારે વિદ્યાર્થીઓ પણ હૃદયહુમલાના શિકાર બની રહ્યા છે. હૃદય હુમલાના આકસ્મિક મોત મામલે દેશમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે. પહેલા ક્રમે મહારાષ્ટ્ર આવે છે જ્યારે બીજા ક્રમે કેરલા આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ એટલે કે એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં 2853 લોકોના હૃદયહુમલાને કારણે આકસ્મિક મોત થયા છે. ગુજરાતમાં પ્રતિદિન 8 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થાય છે તેવું રિપોર્ટ પરથી જાણી શકાય છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

ક્યાં કેટલા કેસ નોંધાયા? 

દેશમાં હૃદયરોગની ઘટનામાં જે કેસ નોંધાયા છે તેમાં 30થી 45 વર્ષની વયના 9722, 45થી 60 વર્ષના 12290 જ્યારે 60 વર્ષથી કે તેથી વધુ વયના 7063 જેટલા કેસ નોંધાયા છે. ગુજરાતમાં વર્ષ 2022માં 2853 લોકોના આકસ્મિત મોત થયા છે જેમાં 2529 પુરૂષો તેમજ 324 મહિલાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં આ મોતનો આંકડો 12591 છે જ્યારે કેરલામાં 3993 પર પહોંચ્યો છે. છત્તીસગઢમાં 468 લોકોના આકસ્મિત રીતે મોત થયા છે જ્યારે હરિયાણામાં 1148 લોકોના મોત થયા છે. ઓડિસામાં 501 લોકોના મોત, પંજાબમાં 908, રાજસ્થાનમાં 1422, તમિલનાડુમાં 1630ના મોત હૃદયરોગની આકસ્મિત ઘટનામાં થયા છે. 

હાર્ટ એટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ તેની અવગણના ન કરતાં |  Early Signs of a Heart Attack

શિક્ષકોને અપાઈ રહી છે સીપીઆર ટ્રેનિંગ 

ઉલ્લેખનિય છે કે કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 20-25 વર્ષના યુવાનોને કાળ ભરખી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થી ગમે ત્યારે અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. જેમણે હજી દુનિયા જોઈ નથી તે દુનિયાને અલવિદા કહી રહ્યા છે. જો તમને પણ છાતીમાં દુખે, શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા તો કંઈ પણ શરીરમાં અલગ અલગ લાગે તો આજે જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી છે.       

વડોદરાના ૬૦૫૫ શિક્ષકોએ સીપીઆરની તાલીમ લીધી, ૫૦૦ જેટલા શિક્ષકો ગેરહાજર |  6000 teachers took cpr training in vadodara



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.