વાવાઝોડાએ મચાવેલી તબાહી બાદ સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા NDRF આવી મેદાનમાં! NDRF ટીમે સંભાળ્યો મોરચો! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-16 12:48:35

જ્યારે કોઈ કુદરતી આફત દેશ પર આવતી હોય છે ત્યારે બચાવની કામગીરી માટે એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમની મદદ લેવામાં આવતી હોય છે. ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવ્યું અને તે દરમિયાન રેસ્ક્યુ માટે તેમજ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડું ગયું પરંતુ પોતાની પાછળ તબાહી છોડતું ગયું. ત્યારે બચાવ કામગીરીના દ્રશ્યો સામે આવ્યા છે જે તમારૂં દિલ જીતી લેશે. દ્વારકા સહિત અનેક જગ્યાઓ પરથી આવા દ્રશ્યો સામે આવ્યા છે.    


સ્થળાંતર વખતે લોકોને કરી હતી મદદ!     

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. વૃક્ષ તેમજ વીજપોલ ધરાશાયી થયાની માહિતી સામે આવી હતી. વરસાદનો ખતરો પણ ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાની ગંભીરતાને પગલે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન પણ પોલીસ તેમજ આ ટીમે માનવતા મહેકાવી હોય તેવા વીડિયો તેમજ ફોટા સામે આવ્યા હતા. ત્યારે હવે એનડીઆરએફની ટીમના વીડિયો સામે આવ્યા છે જેમાં લોકોને પોતાના ખભે બેસાડી સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે.           

ખભે બેસાડી લોકોને કરી મદદ!

દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો સૌથી વધારે હતો. વાવાઝોડાએ લેન્ડ ફોલ કરી લીધું છે અને આગળ પણ વધી ગયું છે. બિપોરજોયની ગંભીરતાને જોતા ગુજરાતમાં NDRFની તેમજ SDRFની ટીમ તૈનાત કરવામાં આવી હતી તે ઉપરાંત સેનાના જવાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. વાવાઝોડા પહેલા જ્યારે લોકોનું સ્થળાંતર કરવામાં આવતું હતું તે દરમિયાન તો આ ટીમોએ પ્રશંસનિય કામગીરી કરી હતી પરંતુ તે બાદ સર્જાયેલી તબાહીને પહોંચી વળવા પણ કામે લાગી છે. વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ટીમ ક્યાંક વૃક્ષોને હટાવવાની કામગીરી કરી રહી છે તો કોઈ જગ્યાઓ પર લોકોને ખસેડવામાં મદદ કરી રહી છે. ત્યારે સંકટ સમયે આ લોકો દેવદૂત બની મદદ માટે પડખે ઉભા રહે છે.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.