વાવાઝોડાએ મચાવેલી તબાહી બાદ સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા NDRF આવી મેદાનમાં! NDRF ટીમે સંભાળ્યો મોરચો! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-16 12:48:35

જ્યારે કોઈ કુદરતી આફત દેશ પર આવતી હોય છે ત્યારે બચાવની કામગીરી માટે એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમની મદદ લેવામાં આવતી હોય છે. ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવ્યું અને તે દરમિયાન રેસ્ક્યુ માટે તેમજ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડું ગયું પરંતુ પોતાની પાછળ તબાહી છોડતું ગયું. ત્યારે બચાવ કામગીરીના દ્રશ્યો સામે આવ્યા છે જે તમારૂં દિલ જીતી લેશે. દ્વારકા સહિત અનેક જગ્યાઓ પરથી આવા દ્રશ્યો સામે આવ્યા છે.    


સ્થળાંતર વખતે લોકોને કરી હતી મદદ!     

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. વૃક્ષ તેમજ વીજપોલ ધરાશાયી થયાની માહિતી સામે આવી હતી. વરસાદનો ખતરો પણ ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાની ગંભીરતાને પગલે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન પણ પોલીસ તેમજ આ ટીમે માનવતા મહેકાવી હોય તેવા વીડિયો તેમજ ફોટા સામે આવ્યા હતા. ત્યારે હવે એનડીઆરએફની ટીમના વીડિયો સામે આવ્યા છે જેમાં લોકોને પોતાના ખભે બેસાડી સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે.           

ખભે બેસાડી લોકોને કરી મદદ!

દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો સૌથી વધારે હતો. વાવાઝોડાએ લેન્ડ ફોલ કરી લીધું છે અને આગળ પણ વધી ગયું છે. બિપોરજોયની ગંભીરતાને જોતા ગુજરાતમાં NDRFની તેમજ SDRFની ટીમ તૈનાત કરવામાં આવી હતી તે ઉપરાંત સેનાના જવાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. વાવાઝોડા પહેલા જ્યારે લોકોનું સ્થળાંતર કરવામાં આવતું હતું તે દરમિયાન તો આ ટીમોએ પ્રશંસનિય કામગીરી કરી હતી પરંતુ તે બાદ સર્જાયેલી તબાહીને પહોંચી વળવા પણ કામે લાગી છે. વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ટીમ ક્યાંક વૃક્ષોને હટાવવાની કામગીરી કરી રહી છે તો કોઈ જગ્યાઓ પર લોકોને ખસેડવામાં મદદ કરી રહી છે. ત્યારે સંકટ સમયે આ લોકો દેવદૂત બની મદદ માટે પડખે ઉભા રહે છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.