નીતુ સિંહએ પતિની યાદમાં કરી એક ઈમોશનલ પોસ્ટ !


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:12:57

નીતુ સિંહએ પતિની યાદમાં સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરી. રિશી કપૂરનું અવસાન 30 એપ્રિલ, 2020ના રોજ થયું હતું. તેમને લ્યૂકેમિયા હતું.

 

શું હતી પોસ્ટ ?

નીતુએ રિશી કપૂરનો એક ફોટો મૂક્યો જેમાં તેમના મોઢા પર આંગડી રાખેલી હતી અને આખો બંધ હતી. બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરીને કહ્યું હતું, તમારો અવાજ યાદ આવે છે, અહીંયા ઘણી શાંતિ છે. ચાહકોથી લઈ સેલેબ્સ સહિતે પોસ્ટ પર કમેન્ટ કરી હતી અને નીતુ સિંહને સ્ટ્રોંગ રહેવાનું કહ્યું હતું.


 

નીતુ પતિના અવસાન બાદ ડિપ્રેશનમાં હતા.

થોડા મહિના પેહલા એક  ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે જ્યારે રિશીનું અવસાન થયું ત્યારે તે ડિપ્રેશનનો ભોગ બન્યાં હતાં. આમાંથી બહાર નીકળવા માટે તેમણે ડૉક્ટરની મદદ લીધી હતી.

હાલતો નીતુ સિંહ ડાન્સ રિયાલિટી શોમાં જજ બન્યાં છે. નીતુ સિંહ હાલમાં દાદી બનવાના છે. દીકરા રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. રણબીર તથા આલિયાએ એપ્રિલ, 2022માં લગ્ન કર્યા હતા.






ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી