નીતુ સિંહએ પતિની યાદમાં કરી એક ઈમોશનલ પોસ્ટ !


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:12:57

નીતુ સિંહએ પતિની યાદમાં સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરી. રિશી કપૂરનું અવસાન 30 એપ્રિલ, 2020ના રોજ થયું હતું. તેમને લ્યૂકેમિયા હતું.

 

શું હતી પોસ્ટ ?

નીતુએ રિશી કપૂરનો એક ફોટો મૂક્યો જેમાં તેમના મોઢા પર આંગડી રાખેલી હતી અને આખો બંધ હતી. બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરીને કહ્યું હતું, તમારો અવાજ યાદ આવે છે, અહીંયા ઘણી શાંતિ છે. ચાહકોથી લઈ સેલેબ્સ સહિતે પોસ્ટ પર કમેન્ટ કરી હતી અને નીતુ સિંહને સ્ટ્રોંગ રહેવાનું કહ્યું હતું.


 

નીતુ પતિના અવસાન બાદ ડિપ્રેશનમાં હતા.

થોડા મહિના પેહલા એક  ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે જ્યારે રિશીનું અવસાન થયું ત્યારે તે ડિપ્રેશનનો ભોગ બન્યાં હતાં. આમાંથી બહાર નીકળવા માટે તેમણે ડૉક્ટરની મદદ લીધી હતી.

હાલતો નીતુ સિંહ ડાન્સ રિયાલિટી શોમાં જજ બન્યાં છે. નીતુ સિંહ હાલમાં દાદી બનવાના છે. દીકરા રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. રણબીર તથા આલિયાએ એપ્રિલ, 2022માં લગ્ન કર્યા હતા.






નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે