નીતુ સિંહએ પતિની યાદમાં કરી એક ઈમોશનલ પોસ્ટ !


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:12:57

નીતુ સિંહએ પતિની યાદમાં સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરી. રિશી કપૂરનું અવસાન 30 એપ્રિલ, 2020ના રોજ થયું હતું. તેમને લ્યૂકેમિયા હતું.

 

શું હતી પોસ્ટ ?

નીતુએ રિશી કપૂરનો એક ફોટો મૂક્યો જેમાં તેમના મોઢા પર આંગડી રાખેલી હતી અને આખો બંધ હતી. બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરીને કહ્યું હતું, તમારો અવાજ યાદ આવે છે, અહીંયા ઘણી શાંતિ છે. ચાહકોથી લઈ સેલેબ્સ સહિતે પોસ્ટ પર કમેન્ટ કરી હતી અને નીતુ સિંહને સ્ટ્રોંગ રહેવાનું કહ્યું હતું.


 

નીતુ પતિના અવસાન બાદ ડિપ્રેશનમાં હતા.

થોડા મહિના પેહલા એક  ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે જ્યારે રિશીનું અવસાન થયું ત્યારે તે ડિપ્રેશનનો ભોગ બન્યાં હતાં. આમાંથી બહાર નીકળવા માટે તેમણે ડૉક્ટરની મદદ લીધી હતી.

હાલતો નીતુ સિંહ ડાન્સ રિયાલિટી શોમાં જજ બન્યાં છે. નીતુ સિંહ હાલમાં દાદી બનવાના છે. દીકરા રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. રણબીર તથા આલિયાએ એપ્રિલ, 2022માં લગ્ન કર્યા હતા.






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.