જીતની ઉજવણીમાં ભાન ભૂલ્યા નેતાજી, હવામાં ગોળીબાર કરતો વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-12-10 08:37:30

ભાજપને પ્રચંડ જીત મળવાને કારણે ભાજપના કાર્યકરો તેમજ વિજેતા ઉમેદવારો અતિ આનંદિત થઈ ગયા છે. જીત મેળવ્યા બાદ વિજેતા ઉમેદવારો વિજય યાત્રા નિકાળી જીતનું જશ્ન મનાવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં પાદરાના ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલા જાહેરમાં હવામાં ફાયરિંગ કરતા નજરે પડે છે.

 


હવામાં ગોળીબાર કરતો વીડિયો વાયરલ

પોતાની ખુશી વ્યક્ત કરવા ઉમેદવારો પોતાના સમર્થકો તેમજ કાર્યકરો સાથે વિજય સરઘસ નિકાળતા હોય છે. ત્યારે ભાજપના વિજેતા ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જાહેરમાં હવામાં ગોળીબાર કરી રહ્યા છે. હવામાં ફાયરિંગ કરાતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

અનેક સીટો પર ભાજપનો દબદબો 

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતા ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ વખતે ભાજપે જૂના બધા રેકોર્ડ તોડી દીધા છે. આ જીતને કારણે નેતાઓ, કાર્યકરો તેમજ વિજેતા ઉમેદવારોની ખુશીનો પાર નથી રહ્યો. 182 સીટોમાંથી ભાજપે 156 સીટો મેળવી છે. ભાજપના અનેક ઉમેદવારો વિજેતા બન્યા છે. 2017માં પાદરાની સીટ કોંગ્રેસ પાસે હતી. 2012થી  આ બેઠક કોંગ્રેસના કબજામાં હતી. ત્યારે આ વખતે ભાજપના ઉમેદવારની જીત થતા તેઓ ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી