Ahmedabadથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોની થઈ શરૂઆત, મુખ્યમંત્રીએ યોજનાનો કરાવ્યો શુભારંભ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-10 15:17:25

અનેક લોકો એવા હોય છે જેમને બે ટંક ભોજન પણ નસીબ નથી થતું. અનેક શ્રમિકો એવા હોય છે જેમણે ભોજન માટે વલખા મારવા પડતા હોય છે. દિવસ દરમિયાન મહેનત એટલા માટે કરતા હોય છે કે તેમને બે ટાઈમ જમવાનું મળે પરંતુ અનેક વખત રોજ કમાઈને રોજ ખાનારા લોકોને રોજગારી નથી મળતી. ત્યારે ગુજરાતના શ્રમિકોને ભરપેટ ભોજન મળે તે માટે રાજ્ય સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો છે. રાજ્યમાં નવા 155 કેન્દ્રોનો શુભારંભ મુખ્યમંત્રીના વરદ હસ્તે થયો છે. 155 નવા કેન્દ્રોનો સીએમએ કરાવ્યો શુભારંભ..

નવા 155 ભોજન કેન્દ્રોનો કરાયો શુભારંભ 

ગુજરાતના તમામ મોટા શહેરોમાં કડીયાનાકા આવેલા છે. મજુરો રોજનું કમાઈને રોજનું ખાનારા હોય છે. અનેક વખત આખો દિવસ વિતી જાય છે પરંતુ તેમને કોઈ દિવસ મજુરી નથી મળતી. મજૂરી ન મળે તો આખો દિવસ બેકાર રહે છે. આ સ્થિતીમાં તેઓ અને તેમનો પરિવાર ભરપેટ ભોજન કરી શકે તે જરૂરી છે. રાજ્ય સરકારે આ જે મહત્વનો નિર્ણય લેતા રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ સીએમ દ્વારા કરાયો છે. આ ભોજન વિતરણ કેન્દ્રોમાં સ્થાનિક મજૂરોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પિરસવામાં આવશે. 

શ્રમિકોને મુખ્યમંત્રીએ પીરસ્યું ભોજન!

અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9, ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં 4-4, પાટણ અને બનાસકાંઠામાં 7-7, નવસારી અને મોરબીમાં 6-6 કડીયાનાકા મળી કુલ 17 જિલ્લામાં નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના રાજ્ય સરકારના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વિભાગના શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. હાલ 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુના શ્રમિકોને ભોજનનો લાભ મળે છે ત્યારે નવા કેન્દ્રોનો આરંભ થવાથી વધારે શ્રમિકોને ભરપેટ ભોજન મળશે. મળતી માહિતી અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું અને તેમની સાથે ભોજન પણ લીધું હતું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.