Ahmedabadથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોની થઈ શરૂઆત, મુખ્યમંત્રીએ યોજનાનો કરાવ્યો શુભારંભ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-10 15:17:25

અનેક લોકો એવા હોય છે જેમને બે ટંક ભોજન પણ નસીબ નથી થતું. અનેક શ્રમિકો એવા હોય છે જેમણે ભોજન માટે વલખા મારવા પડતા હોય છે. દિવસ દરમિયાન મહેનત એટલા માટે કરતા હોય છે કે તેમને બે ટાઈમ જમવાનું મળે પરંતુ અનેક વખત રોજ કમાઈને રોજ ખાનારા લોકોને રોજગારી નથી મળતી. ત્યારે ગુજરાતના શ્રમિકોને ભરપેટ ભોજન મળે તે માટે રાજ્ય સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો છે. રાજ્યમાં નવા 155 કેન્દ્રોનો શુભારંભ મુખ્યમંત્રીના વરદ હસ્તે થયો છે. 155 નવા કેન્દ્રોનો સીએમએ કરાવ્યો શુભારંભ..

નવા 155 ભોજન કેન્દ્રોનો કરાયો શુભારંભ 

ગુજરાતના તમામ મોટા શહેરોમાં કડીયાનાકા આવેલા છે. મજુરો રોજનું કમાઈને રોજનું ખાનારા હોય છે. અનેક વખત આખો દિવસ વિતી જાય છે પરંતુ તેમને કોઈ દિવસ મજુરી નથી મળતી. મજૂરી ન મળે તો આખો દિવસ બેકાર રહે છે. આ સ્થિતીમાં તેઓ અને તેમનો પરિવાર ભરપેટ ભોજન કરી શકે તે જરૂરી છે. રાજ્ય સરકારે આ જે મહત્વનો નિર્ણય લેતા રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ સીએમ દ્વારા કરાયો છે. આ ભોજન વિતરણ કેન્દ્રોમાં સ્થાનિક મજૂરોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પિરસવામાં આવશે. 

શ્રમિકોને મુખ્યમંત્રીએ પીરસ્યું ભોજન!

અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9, ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં 4-4, પાટણ અને બનાસકાંઠામાં 7-7, નવસારી અને મોરબીમાં 6-6 કડીયાનાકા મળી કુલ 17 જિલ્લામાં નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના રાજ્ય સરકારના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વિભાગના શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. હાલ 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુના શ્રમિકોને ભોજનનો લાભ મળે છે ત્યારે નવા કેન્દ્રોનો આરંભ થવાથી વધારે શ્રમિકોને ભરપેટ ભોજન મળશે. મળતી માહિતી અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું અને તેમની સાથે ભોજન પણ લીધું હતું.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી