Ahmedabadથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોની થઈ શરૂઆત, મુખ્યમંત્રીએ યોજનાનો કરાવ્યો શુભારંભ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-10 15:17:25

અનેક લોકો એવા હોય છે જેમને બે ટંક ભોજન પણ નસીબ નથી થતું. અનેક શ્રમિકો એવા હોય છે જેમણે ભોજન માટે વલખા મારવા પડતા હોય છે. દિવસ દરમિયાન મહેનત એટલા માટે કરતા હોય છે કે તેમને બે ટાઈમ જમવાનું મળે પરંતુ અનેક વખત રોજ કમાઈને રોજ ખાનારા લોકોને રોજગારી નથી મળતી. ત્યારે ગુજરાતના શ્રમિકોને ભરપેટ ભોજન મળે તે માટે રાજ્ય સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો છે. રાજ્યમાં નવા 155 કેન્દ્રોનો શુભારંભ મુખ્યમંત્રીના વરદ હસ્તે થયો છે. 155 નવા કેન્દ્રોનો સીએમએ કરાવ્યો શુભારંભ..

નવા 155 ભોજન કેન્દ્રોનો કરાયો શુભારંભ 

ગુજરાતના તમામ મોટા શહેરોમાં કડીયાનાકા આવેલા છે. મજુરો રોજનું કમાઈને રોજનું ખાનારા હોય છે. અનેક વખત આખો દિવસ વિતી જાય છે પરંતુ તેમને કોઈ દિવસ મજુરી નથી મળતી. મજૂરી ન મળે તો આખો દિવસ બેકાર રહે છે. આ સ્થિતીમાં તેઓ અને તેમનો પરિવાર ભરપેટ ભોજન કરી શકે તે જરૂરી છે. રાજ્ય સરકારે આ જે મહત્વનો નિર્ણય લેતા રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ સીએમ દ્વારા કરાયો છે. આ ભોજન વિતરણ કેન્દ્રોમાં સ્થાનિક મજૂરોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પિરસવામાં આવશે. 

શ્રમિકોને મુખ્યમંત્રીએ પીરસ્યું ભોજન!

અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9, ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં 4-4, પાટણ અને બનાસકાંઠામાં 7-7, નવસારી અને મોરબીમાં 6-6 કડીયાનાકા મળી કુલ 17 જિલ્લામાં નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના રાજ્ય સરકારના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વિભાગના શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. હાલ 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુના શ્રમિકોને ભોજનનો લાભ મળે છે ત્યારે નવા કેન્દ્રોનો આરંભ થવાથી વધારે શ્રમિકોને ભરપેટ ભોજન મળશે. મળતી માહિતી અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું અને તેમની સાથે ભોજન પણ લીધું હતું.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.