Ahmedabadથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોની થઈ શરૂઆત, મુખ્યમંત્રીએ યોજનાનો કરાવ્યો શુભારંભ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-10 15:17:25

અનેક લોકો એવા હોય છે જેમને બે ટંક ભોજન પણ નસીબ નથી થતું. અનેક શ્રમિકો એવા હોય છે જેમણે ભોજન માટે વલખા મારવા પડતા હોય છે. દિવસ દરમિયાન મહેનત એટલા માટે કરતા હોય છે કે તેમને બે ટાઈમ જમવાનું મળે પરંતુ અનેક વખત રોજ કમાઈને રોજ ખાનારા લોકોને રોજગારી નથી મળતી. ત્યારે ગુજરાતના શ્રમિકોને ભરપેટ ભોજન મળે તે માટે રાજ્ય સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો છે. રાજ્યમાં નવા 155 કેન્દ્રોનો શુભારંભ મુખ્યમંત્રીના વરદ હસ્તે થયો છે. 155 નવા કેન્દ્રોનો સીએમએ કરાવ્યો શુભારંભ..

નવા 155 ભોજન કેન્દ્રોનો કરાયો શુભારંભ 

ગુજરાતના તમામ મોટા શહેરોમાં કડીયાનાકા આવેલા છે. મજુરો રોજનું કમાઈને રોજનું ખાનારા હોય છે. અનેક વખત આખો દિવસ વિતી જાય છે પરંતુ તેમને કોઈ દિવસ મજુરી નથી મળતી. મજૂરી ન મળે તો આખો દિવસ બેકાર રહે છે. આ સ્થિતીમાં તેઓ અને તેમનો પરિવાર ભરપેટ ભોજન કરી શકે તે જરૂરી છે. રાજ્ય સરકારે આ જે મહત્વનો નિર્ણય લેતા રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ સીએમ દ્વારા કરાયો છે. આ ભોજન વિતરણ કેન્દ્રોમાં સ્થાનિક મજૂરોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પિરસવામાં આવશે. 

શ્રમિકોને મુખ્યમંત્રીએ પીરસ્યું ભોજન!

અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9, ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં 4-4, પાટણ અને બનાસકાંઠામાં 7-7, નવસારી અને મોરબીમાં 6-6 કડીયાનાકા મળી કુલ 17 જિલ્લામાં નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના રાજ્ય સરકારના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વિભાગના શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. હાલ 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુના શ્રમિકોને ભોજનનો લાભ મળે છે ત્યારે નવા કેન્દ્રોનો આરંભ થવાથી વધારે શ્રમિકોને ભરપેટ ભોજન મળશે. મળતી માહિતી અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું અને તેમની સાથે ભોજન પણ લીધું હતું.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.