Gujarat Policeની નવી પહેલ, ગરમીથી રક્ષણ મળે તે માટે ટ્રાફિક જવાનોને અપાશે AC વાળા હેલ્મેટ, જાણો શું તેની ખાસિયતો


  • Published By :
  • Published Date : 2023-08-19 15:41:10

ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, રસ્તા પર ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે ટ્રાફિક જવાનને તૈનાત કરવામાં આવતા હોય છે. ગમે તેવી વાતાવરણની પરિસ્થિતિ કેમ ન હોય તેઓ પોતાની ફરજ નિભાવતા હોય છે. ભર તડકમાં પણ ટ્રાફિકના જવાનો રસ્તા પર હાજર હોય છે અને લોકોને અગવડ ન પડે તે માટે કાર્ય કરતા હોય છે. ગરમીમાં પોલીસવાળા પરસેવાથી લથપથ જોવા મળતા હોય છે. ત્યારે હવે ટ્રાફિક જવાનોને ગરમીથી રાહત મળે તે માટે તેમને એસી વાળા હેલ્મેટ આપવામાં આવશે.  

એસી હેલ્મેટ પોલીસકર્મીને આપશે ગરમીથી રાહત

ટ્રાફિક પોલીસ જેમની સાથે લોકો સૌથી વધારે ઝઘડતા હોય તો પણ તે જવાનો ઠંડી હોય કે તડકો, વરસાદ હોય કે વાવાઝોડું દરેક પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવી ડ્યુટી કરતાં હોય છે ગરમીમાં પરસેવાથી લથપથ થઈને પણ તે લોકો પોતાની ફરજ પૂરી કરતાં હોય છે ત્યારે હવે તે જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવશે. ગુજરાત પોલીસે પ્રાયોગિક ધોરણે પોલીસને  એસીવાળા હેલ્મેટ આપ્યા છે. આ હેલ્મેટ ટ્રાફિક પોલીસના જવાનોને ફરજ દરમિયાન ગરમી અને ઉડતી ધૂળથી રક્ષણ આપશે.


ત્રણ અલગ અલગ પોઈન્ટ પર આપવામાં આવ્યા હેલ્મેટ 

ગુજરાત પોલીસે પ્રાયોગિક ધોરણે અમદાવાદ ટ્રાફિકના પૂર્વમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને હેલ્મેટ આપ્યા છે. શહેરના નાના ચિલોડા, પીરાણા અને ઠક્કરનગર એમ ત્રણ અલગ અલગ પોઇન્ટ પરના ટ્રાફિક જવાનોને હેલ્મેટ આપવામાં આવ્યા છે.


હેલ્મેટની અંદર રહેલી હશે બેટરી જે ચાલશે પાંચ દિવસ! 

આ એસી વાળા હેલ્મેટ કેવી રીતે પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ આપશે તે અંગે સમજીએ. આ હેલ્મેટ સાથે બેટરી બેકઅપ આપવામાં આવ્યો છે. એક વખત ચાર્જ કર્યા બાદ 5 દિવસ સુધી હેલ્મેટની બેટરી ચાલે છે. આ હેલ્મેટ વાપરવા બેટરી બેકઅપ માટે બેલ્ટ આપવામાં આવ્યો છે. જે બેલ્ટ પહેરવામાં આવે છે. બેલ્ટ પહેરીને તેને હેલ્મેટ સાથે કનેક્ટ કરાય છે. આ હેલ્મેટની અંદર એક ફેન આપવામાં આવ્યો છે. ફેનને ચાલુ-બંધ કરવા માટે પણ ઓન-ઓફના બટન આપવામાં આવ્યા છે. જે હેલ્મેટ પહેરીને ઓન કરવાથી પવન આવે છે. જેથી ગરમીથી રાહત મળે છે. હેલ્મેટના આગળના ભાગે પારદર્શક પ્લાસ્ટીકનો ગ્લાસ છે જે ટ્રાફિક જવાનને ધૂળ, ધુમાડો, ઉડતી રજકણ સહિતના પ્રદૂષણથી રક્ષણ આપી શકે 

એસી હેલ્મેટને લઈ હર્ષ સંઘવીએ કરી ટ્વિટ 

ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ પહેલને આવકારી છે અને ટ્વીટ કરતાં કહ્યું કે એક મહાન પહેલ ચાલુ છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને અત્યાર સુધીમાં પ્રાયોગિક ધોરણે ત્રણ એસી હેલ્મેટ આપવામાં આવ્યા હતા. મને ખાતરી છે કે આ પ્રકારની હેલ્મેટ આપણા ટ્રાફિક પોલીસને આરામ અને સગવડતા આપશે જેઓ આખો દિવસ સખત ગરમીમાં રસ્તાઓ પર પસાર કરે છે.


ગરમીથી મળશે પોલીસકર્મીને છુટકારો 

ઉપરાંત ટ્રાફિક પૂર્વ DCP સફીન હસને જણાવ્યું હતું કે આ હેલ્મેટ વાતાનુકૂલિત હેલ્મેટ છે. જેના કારણે ગરમીમાં આ હેલ્મેટ પહેરવાથી રાહત મળશે. તથા ધૂળથી રક્ષણ મળે તે રીતે આ હેલ્મેટને ડિઝાઇન કરાયું છે. અત્યારે ત્રણ પોઇન્ટ પર બંને શિફટમાં આવતા પુરુષ અને મહિલા પોલીસકર્મીઓને હેલ્મેટ પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ અત્યારે આ નવા હેલ્મેટનો અનુભવ કરી રહ્યા છે. થોડા સમય બાદ પોલીસકર્મીઓનો અનુભવ કેવો રહે છે તેનો સરવે કર્યા બાદ ભવિષ્યમાં આ હેલ્મેટનો ઉપયોગ કરાશે કે નહીં તેનો નિર્ણય લેવાશે.       




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.