Gujaratમાં આજથી નવા આંદોલનના એંધાણ! માલધારીઓ કરી રહ્યા છે નવી ઢોર નિયંત્રણ પોલિસીનો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-11-24 13:02:35

રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક વખત આને લઈ સમાચારો સામે આવ્યા છે. અનેક લોકોના મોત પણ રખડતા ઢોરના હુમલાને કારણે થયા છે. લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે હાઈકોર્ટે તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રખડતા ઢોર પર નિયંત્રણ રાખવા માટે તંત્ર દ્વારા કેવા પગલા લેવાયા તે અંગે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે આજે સરકારની નવી ઢોર નિયંત્રણ પોલીસીના વિરોધમાં માલધારીઓએ આંદોલન છેડ્યું છે. નવી ઢોર નિયંત્રણ પોલીસીને લઈ માલધારી સમાજમાં રોષ વ્યાપી ઉઠ્યો છે.

   

રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા માટે ઘડાઈ હતી નવી પોલીસી 

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMCએ રખડતા ઢોરને લઈને કાર્યવાહી તેજ કરી હતી. રસ્તા પર જોવા મળતી ગાયોને પકડવાની કામગીરી કરાઈ હતી. જ્યારે જ્યારે ગાયોને પકડવા માટે ટીમ જતી હતી ત્યારે ત્યારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. અનેક વખત તે ટીમ પર હુમલો થયો હોય તેવી માહિતી સામે આવી હતી. ત્યારે રખડતા ઢોર પર નિયંત્રણ આવે તે માટે નવી પોલીસી બનાવામાં આવી. જે મુજબ ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાની રહેશે. 

નવી પોલીસીનો માલધારીઓ કરી રહ્યા છે વિરોધ 

આ નવી પોલીસી લાગુ કરવા અમદાવાદ મહાનગરપાલિકાએ રખડતા ઢોર નિયંત્રણ પોલિસી માટે અંતિમ નોટિસ જાહેર કરી છે. AMCની રખડતા ઢોરની નવી પોલીસી મુજબ આગામી સપ્તાહથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડી માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ નવી પોલીસીના વિરોધમાં માલધારી સમાજે સરકાર સામે આંદોલન કર્યું હતું. AMCએ નોંધણી અને વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવાનું ફરજીયાત બનાવતા માલધારી સમાજ રોષે ભરાયો છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી