Gujaratમાં આજથી નવા આંદોલનના એંધાણ! માલધારીઓ કરી રહ્યા છે નવી ઢોર નિયંત્રણ પોલિસીનો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-11-24 13:02:35

રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક વખત આને લઈ સમાચારો સામે આવ્યા છે. અનેક લોકોના મોત પણ રખડતા ઢોરના હુમલાને કારણે થયા છે. લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે હાઈકોર્ટે તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રખડતા ઢોર પર નિયંત્રણ રાખવા માટે તંત્ર દ્વારા કેવા પગલા લેવાયા તે અંગે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે આજે સરકારની નવી ઢોર નિયંત્રણ પોલીસીના વિરોધમાં માલધારીઓએ આંદોલન છેડ્યું છે. નવી ઢોર નિયંત્રણ પોલીસીને લઈ માલધારી સમાજમાં રોષ વ્યાપી ઉઠ્યો છે.

   

રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા માટે ઘડાઈ હતી નવી પોલીસી 

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMCએ રખડતા ઢોરને લઈને કાર્યવાહી તેજ કરી હતી. રસ્તા પર જોવા મળતી ગાયોને પકડવાની કામગીરી કરાઈ હતી. જ્યારે જ્યારે ગાયોને પકડવા માટે ટીમ જતી હતી ત્યારે ત્યારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. અનેક વખત તે ટીમ પર હુમલો થયો હોય તેવી માહિતી સામે આવી હતી. ત્યારે રખડતા ઢોર પર નિયંત્રણ આવે તે માટે નવી પોલીસી બનાવામાં આવી. જે મુજબ ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાની રહેશે. 

નવી પોલીસીનો માલધારીઓ કરી રહ્યા છે વિરોધ 

આ નવી પોલીસી લાગુ કરવા અમદાવાદ મહાનગરપાલિકાએ રખડતા ઢોર નિયંત્રણ પોલિસી માટે અંતિમ નોટિસ જાહેર કરી છે. AMCની રખડતા ઢોરની નવી પોલીસી મુજબ આગામી સપ્તાહથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડી માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ નવી પોલીસીના વિરોધમાં માલધારી સમાજે સરકાર સામે આંદોલન કર્યું હતું. AMCએ નોંધણી અને વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવાનું ફરજીયાત બનાવતા માલધારી સમાજ રોષે ભરાયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.