Gujaratમાં આજથી નવા આંદોલનના એંધાણ! માલધારીઓ કરી રહ્યા છે નવી ઢોર નિયંત્રણ પોલિસીનો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-11-24 13:02:35

રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક વખત આને લઈ સમાચારો સામે આવ્યા છે. અનેક લોકોના મોત પણ રખડતા ઢોરના હુમલાને કારણે થયા છે. લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે હાઈકોર્ટે તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રખડતા ઢોર પર નિયંત્રણ રાખવા માટે તંત્ર દ્વારા કેવા પગલા લેવાયા તે અંગે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે આજે સરકારની નવી ઢોર નિયંત્રણ પોલીસીના વિરોધમાં માલધારીઓએ આંદોલન છેડ્યું છે. નવી ઢોર નિયંત્રણ પોલીસીને લઈ માલધારી સમાજમાં રોષ વ્યાપી ઉઠ્યો છે.

   

રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા માટે ઘડાઈ હતી નવી પોલીસી 

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMCએ રખડતા ઢોરને લઈને કાર્યવાહી તેજ કરી હતી. રસ્તા પર જોવા મળતી ગાયોને પકડવાની કામગીરી કરાઈ હતી. જ્યારે જ્યારે ગાયોને પકડવા માટે ટીમ જતી હતી ત્યારે ત્યારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. અનેક વખત તે ટીમ પર હુમલો થયો હોય તેવી માહિતી સામે આવી હતી. ત્યારે રખડતા ઢોર પર નિયંત્રણ આવે તે માટે નવી પોલીસી બનાવામાં આવી. જે મુજબ ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાની રહેશે. 

નવી પોલીસીનો માલધારીઓ કરી રહ્યા છે વિરોધ 

આ નવી પોલીસી લાગુ કરવા અમદાવાદ મહાનગરપાલિકાએ રખડતા ઢોર નિયંત્રણ પોલિસી માટે અંતિમ નોટિસ જાહેર કરી છે. AMCની રખડતા ઢોરની નવી પોલીસી મુજબ આગામી સપ્તાહથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડી માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ નવી પોલીસીના વિરોધમાં માલધારી સમાજે સરકાર સામે આંદોલન કર્યું હતું. AMCએ નોંધણી અને વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવાનું ફરજીયાત બનાવતા માલધારી સમાજ રોષે ભરાયો છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.