AAP ના ઉમેદવારે પ્રચાર માટે અપનાવી નવી તરકીબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-19 19:58:18


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે દરેક પક્ષ ચુંટણી પ્રચાર માટે મેહનત કરી રહ્યા છે ભાજપે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાએ પ્રચાર માટે વેગ પકડ્યો છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે પ્રચાર માટે અલગ જ પ્રકાર અપનાવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે જાહેર સભામાં જીતે તો કામ કરવાનું એફિડેવિટ રજૂ કર્યું.


મત જીતવા માટે નવી તકનીક !!!

ચોટીલા બેઠકના આપના ઉમેદવાર એ જાહેર સભામાં સીચાઇનું પાણી પોહોચાડવા બાહેધરી પત્ર એફિડેવિટ કર્યુ છે.  આપના ઉમેદવાર રાજુ કરપડાએ જો તેઓ ચુંટણી જીતશે તો અંતરીયાળ ગામો સુધી સિચાઇનું પાણી પોહોચાડવા જાહેર સભામાં એફિડેવિટ રજુ કર્યુ છે.આપના ઉમેદવાર એ એફિડેવિટ રજુ કરતા રાજકીય પાર્ટીઓમાં રાજકારણ ગરમાયુ છે.સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રથમ વખત કોઈ ઉમેદવાર એ ચુંટણી જીતે તો કામ કરવાનું એફિડેવિટ કર્યુ હોઇ તેવી પ્રથમ ઘટના સામે આવી છે.





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.