દિલ્હી કંઝાવલા મામલે આવ્યો નવો વળાંક, ઘટના પહેલાના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 14:51:12

નવા વર્ષના દિવસે રાજધાની દિલ્હીમાં એક દુર્ઘટના બની જેણે તમામ લોકોને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનામાં એક કાર નીચે યુવતી અનેક કિલોમીટર સુધી ઘસડાતી રહી. આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આ દુર્ઘટના પહેલા મૃત્યુ પામેલા યુવતીની સાથે સ્કૂટી પર એક બીજી યુવતી સવાર હતી. આ દુર્ઘટના જ્યારે બની ત્યારે તે સ્કૂટી પર હતી અને આ અકસ્માતને કારણે તેને ઈજા પણ પહોંચી હતી પરંતુ ઘટના સર્જાતા તે ત્યાંથી ભાગી નીકળી હતી.

 


ઘટના પહેલાના સીસીટીવી આવ્યા સામે 

કંઝાવલા મામલે રોજે કોઈને કોઈ ખુલાસા સામે આવી રહ્યા છે. દિલ્હીમાં એક દુઘટના સર્જાઈ હતી જેમાં એક કાર નીચે એક યુવતીનો મૃતદેહ ઢસડાતો હતો. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. હજી સુધી એવું માનવામાં આવતું છે આ યુવતી સ્કૂટી પર એકલી જતી હતી પરંતુ તાજેતરમાં જ એક નવો સીસીટીવી રેકોર્ડિંગ સામે આવ્યો છે જેમાં તેની સાથે અન્ય એક યુવતી નજરે પડે છે.  આ દુર્ઘટના જ્યારે બની ત્યારે તે સ્કૂટી પર હતી અને આ અકસ્માતને કારણે તેને ઈજા પણ પહોંચી હતી પરંતુ ઘટના સર્જાતા તે ત્યાંથી ભાગી નીકળી હતી. 


આ ઘટનાને લઈ તપાસ કરી રહી છે પોલીસ 

યુવતી અંજલી સાથે જે પણ થયું તે ષડયંત્ર હતુંકે કોઈ ઘટના હતી તે અંગે તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈ ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે. ટીમને કારમાંથી કશું જ નથી મળ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ ઘટના પછી કારની સફાઈ કરાવી દીધી હોય.     




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.