દિલ્હી કંઝાવલા મામલે આવ્યો નવો વળાંક, ઘટના પહેલાના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 14:51:12

નવા વર્ષના દિવસે રાજધાની દિલ્હીમાં એક દુર્ઘટના બની જેણે તમામ લોકોને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનામાં એક કાર નીચે યુવતી અનેક કિલોમીટર સુધી ઘસડાતી રહી. આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આ દુર્ઘટના પહેલા મૃત્યુ પામેલા યુવતીની સાથે સ્કૂટી પર એક બીજી યુવતી સવાર હતી. આ દુર્ઘટના જ્યારે બની ત્યારે તે સ્કૂટી પર હતી અને આ અકસ્માતને કારણે તેને ઈજા પણ પહોંચી હતી પરંતુ ઘટના સર્જાતા તે ત્યાંથી ભાગી નીકળી હતી.

 


ઘટના પહેલાના સીસીટીવી આવ્યા સામે 

કંઝાવલા મામલે રોજે કોઈને કોઈ ખુલાસા સામે આવી રહ્યા છે. દિલ્હીમાં એક દુઘટના સર્જાઈ હતી જેમાં એક કાર નીચે એક યુવતીનો મૃતદેહ ઢસડાતો હતો. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. હજી સુધી એવું માનવામાં આવતું છે આ યુવતી સ્કૂટી પર એકલી જતી હતી પરંતુ તાજેતરમાં જ એક નવો સીસીટીવી રેકોર્ડિંગ સામે આવ્યો છે જેમાં તેની સાથે અન્ય એક યુવતી નજરે પડે છે.  આ દુર્ઘટના જ્યારે બની ત્યારે તે સ્કૂટી પર હતી અને આ અકસ્માતને કારણે તેને ઈજા પણ પહોંચી હતી પરંતુ ઘટના સર્જાતા તે ત્યાંથી ભાગી નીકળી હતી. 


આ ઘટનાને લઈ તપાસ કરી રહી છે પોલીસ 

યુવતી અંજલી સાથે જે પણ થયું તે ષડયંત્ર હતુંકે કોઈ ઘટના હતી તે અંગે તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈ ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે. ટીમને કારમાંથી કશું જ નથી મળ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ ઘટના પછી કારની સફાઈ કરાવી દીધી હોય.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.