દિલ્હી કંઝાવલા મામલે આવ્યો નવો વળાંક, ઘટના પહેલાના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 14:51:12

નવા વર્ષના દિવસે રાજધાની દિલ્હીમાં એક દુર્ઘટના બની જેણે તમામ લોકોને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનામાં એક કાર નીચે યુવતી અનેક કિલોમીટર સુધી ઘસડાતી રહી. આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આ દુર્ઘટના પહેલા મૃત્યુ પામેલા યુવતીની સાથે સ્કૂટી પર એક બીજી યુવતી સવાર હતી. આ દુર્ઘટના જ્યારે બની ત્યારે તે સ્કૂટી પર હતી અને આ અકસ્માતને કારણે તેને ઈજા પણ પહોંચી હતી પરંતુ ઘટના સર્જાતા તે ત્યાંથી ભાગી નીકળી હતી.

 


ઘટના પહેલાના સીસીટીવી આવ્યા સામે 

કંઝાવલા મામલે રોજે કોઈને કોઈ ખુલાસા સામે આવી રહ્યા છે. દિલ્હીમાં એક દુઘટના સર્જાઈ હતી જેમાં એક કાર નીચે એક યુવતીનો મૃતદેહ ઢસડાતો હતો. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. હજી સુધી એવું માનવામાં આવતું છે આ યુવતી સ્કૂટી પર એકલી જતી હતી પરંતુ તાજેતરમાં જ એક નવો સીસીટીવી રેકોર્ડિંગ સામે આવ્યો છે જેમાં તેની સાથે અન્ય એક યુવતી નજરે પડે છે.  આ દુર્ઘટના જ્યારે બની ત્યારે તે સ્કૂટી પર હતી અને આ અકસ્માતને કારણે તેને ઈજા પણ પહોંચી હતી પરંતુ ઘટના સર્જાતા તે ત્યાંથી ભાગી નીકળી હતી. 


આ ઘટનાને લઈ તપાસ કરી રહી છે પોલીસ 

યુવતી અંજલી સાથે જે પણ થયું તે ષડયંત્ર હતુંકે કોઈ ઘટના હતી તે અંગે તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈ ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે. ટીમને કારમાંથી કશું જ નથી મળ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ ઘટના પછી કારની સફાઈ કરાવી દીધી હોય.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.