દિલ્હી કંઝાવલા મામલે આવ્યો નવો વળાંક, ઘટના પહેલાના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 14:51:12

નવા વર્ષના દિવસે રાજધાની દિલ્હીમાં એક દુર્ઘટના બની જેણે તમામ લોકોને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનામાં એક કાર નીચે યુવતી અનેક કિલોમીટર સુધી ઘસડાતી રહી. આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આ દુર્ઘટના પહેલા મૃત્યુ પામેલા યુવતીની સાથે સ્કૂટી પર એક બીજી યુવતી સવાર હતી. આ દુર્ઘટના જ્યારે બની ત્યારે તે સ્કૂટી પર હતી અને આ અકસ્માતને કારણે તેને ઈજા પણ પહોંચી હતી પરંતુ ઘટના સર્જાતા તે ત્યાંથી ભાગી નીકળી હતી.

 


ઘટના પહેલાના સીસીટીવી આવ્યા સામે 

કંઝાવલા મામલે રોજે કોઈને કોઈ ખુલાસા સામે આવી રહ્યા છે. દિલ્હીમાં એક દુઘટના સર્જાઈ હતી જેમાં એક કાર નીચે એક યુવતીનો મૃતદેહ ઢસડાતો હતો. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. હજી સુધી એવું માનવામાં આવતું છે આ યુવતી સ્કૂટી પર એકલી જતી હતી પરંતુ તાજેતરમાં જ એક નવો સીસીટીવી રેકોર્ડિંગ સામે આવ્યો છે જેમાં તેની સાથે અન્ય એક યુવતી નજરે પડે છે.  આ દુર્ઘટના જ્યારે બની ત્યારે તે સ્કૂટી પર હતી અને આ અકસ્માતને કારણે તેને ઈજા પણ પહોંચી હતી પરંતુ ઘટના સર્જાતા તે ત્યાંથી ભાગી નીકળી હતી. 


આ ઘટનાને લઈ તપાસ કરી રહી છે પોલીસ 

યુવતી અંજલી સાથે જે પણ થયું તે ષડયંત્ર હતુંકે કોઈ ઘટના હતી તે અંગે તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈ ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે. ટીમને કારમાંથી કશું જ નથી મળ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ ઘટના પછી કારની સફાઈ કરાવી દીધી હોય.     




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.