સવારે પ્રેમિકાની હત્યા, ફ્રિજમાં છુપાવી લાશ, પછી સાંજે કર્યા લગ્ન, નિક્કી હત્યા કેસમાં થયો મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-02-15 21:32:41

દેશના લોકો દિલ્હીમાં થયેલી શ્રદ્ધા વાલકર હત્યાને હજુ ભૂલી પણ શક્યા નથી ત્યાં તો  આવી જ બીજી એક દર્દનાક ઘટના સામે આવી છે. શ્રદ્ધા હત્યા જેવી આ ઘટનાએ ફરી એકવાર આખા દેશને હચમચાવી દીધો છે. પોતાના પ્રેમી સાથે લિવ ઇનમાં રહેતી નિક્કી યાદવની તેના જ પાર્ટનર સાહિલ ગેહલોતે ખુબ નિર્મમતાપુર્વક હત્યા કરી નાખી છે. વળી સાહિલ ગેહલોત તેની લિવ-ઇન પાર્ટનર નિક્કી યાદવની લાશને ફ્રિજમાં રાખીને લગ્ન કરવા ગયો હતો.


બે વર્ષથી હતા લિવ ઈન પાર્ટનર


સાહિલ અને નિક્કી યાદવ ચાર વર્ષ પહેલા એક કોચિંગ સેન્ટરમાં મળ્યા હતા. સાહિલ અને મૃતક યુવતી નિક્કી યાદવ છેલ્લા બે વર્ષથી સહમતિથી સંબંધમાં હતા. સાહિલ તેના પરિવારના દબાણ હેઠળ બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો, જ્યારે નિક્કી યાદવ તેની સાથે લગ્ન કરવા માંગતી હતી.


સાહિલે બીજી છોકરી સાથે કરી હતી સગાઈ 


પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે સાહિલે તેના પરિવારને નિક્કી પ્રત્યેના પ્રેમ વિશે જણાવ્યું ન હતું. બીજી તરફ સાહિલના પરિવારજનોએ તેના પર બીજી યુવતી સાથે લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. આખરે ડિસેમ્બર 2022માં સાહિલે બીજી છોકરી સાથે સગાઈ કરી લીધી. સાહિલના લગ્ન 11 ફેબ્રુઆરીએ નક્કી થયા હતા. આરોપીએ આ વાત નિક્કીને કહી ન હતી.


નિક્કીના શબને ફ્રિજમાં રાખીને કર્યા લગ્ન


જ્યારે નિક્કીને સાહિલના આ લગ્ન અંગે ખબર પડી તો તેણે સાહિલ સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગી. આ મામલો આગળ વધ્યો અને બંને વચ્ચે ઝઘડો થયો. એને કારણે સાહિલે ગુસ્સામાં આવી 10 ફેબ્રુઆરીએ સવારે સાહિલે પહેલા મોબાઈલ કેબલથી નિક્કીનું ગળું દબાવ્યું અને પછી તેની હત્યા કરી નાખી હતી. લાશને ઢાબાના ફ્રીજમાં રાખીને તે પોતાના ઘરે ગયો અને 11 ફેબ્રુઆરીએ ઝજ્જર જાન લઈ જઈને બીજી યુવતી સાથે લગ્ન કર્યા. પોલીસે નિકીની લાશને પણ ફ્રીઝમાંથી કાઢીને હસ્તગત કરી લીધી છે.


નિક્કી મેડિકલ પ્રવેશ પરીક્ષાનું કોચિંગ લઈ રહી હતી


સાહિલે પોલીસને જણાવ્યું હતું કે તે જાન્યુઆરી 2018માં ઉત્તમ નગરના કેરિયર પોઈન્ટ કોચિંગ સેન્ટરમાં એસએસસીની પરીક્ષા માટે કોચિંગ લેવા માટે ગયો હતો. તે જ સમયે હરિયાણાના ઝજ્જરની રહેવાસી નિક્કી યાદવ ઉત્તમ નગરના આકાશ ઈન્સ્ટીટ્યુટમાં મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા માટે કોચિંગ લઈ રહી હતી. બંને રોજ એક જ બસમાં સાથે અપડાઉન કરતા હતા, જેના કારણે બંને મિત્રો બની ગયા હતા. ત્યાર બાદ બંને જલ્દી પ્રેમમાં પડી ગયા હતા, બંનેએ કોચિંગ પહેલાં અને પછી મળવાનું શરૂ કર્યું. ફેબ્રુઆરી 2018માં સાહિલે ગ્રેટર નોઈડાની ગલગોટિયા કોલેજમાં ડી. ફાર્મામાં એડમિશન લીધું.


નિક્કીની ગળું દબાવીને હત્યા કરી


સાહિલે પોલીસને જણાવ્યું કે તેણે 10 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યે ડેટા કેવલથી નિક્કીનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી, નિક્કીના મૃતદેહને મિત્રાઉ ગામમાં આવેલા તેના ઢાબાના ફ્રિજમાં રાખીને તેણે તેને તાળું મારી દીધું હતું. ચાર વર્ષ પહેલા ઉત્તમ નગર સ્થિત કોચિંગમાં બંનેની મિત્રતા થઈ હતી. આ પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા.


કઈ રીતે હત્યાનો પર્દાફાશ થયો?


નિક્કી યાદવની હત્યા અંગે ADCP વિક્રમ સિંહે જણાવ્યું હતું કે તેમને મંગળવાર સવારે સૂચના મળી હતી કે એક યુવતીની હત્યા કરી તેની લાશને ઢાબામાં છુપાવી દેવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી લીધો. તપાસ પછી આરોપી સાહિલ ગેહલોત પકડાઈ ગયો છે. આગળની કાર્યવાહી હજુ ચાલુ છે. જે ઢાબામાં નિક્કીની લાશ રાખવામાં આવી એ સાહિલ ગેહલોતનું જ હતું. આરોપીએ પહેલાંથી વિચારી જ રાખ્યું હતું કે હત્યા કરી લાશ ક્યાં છુપાવવાની છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.