નિકોલના કોર્પોરેટરને બનવું પડ્યું લોકોના ગુસ્સાનો ભોગ, જાહેરમાં કોર્પોરેટરને માર્યો માર


  • Published By :
  • Published Date : 2023-01-20 17:43:22

નિકોલ વોર્ડના કોર્પોરેટર બળદેવ પટેલે જ્યારે કૃષ્ણનગર વિસ્તારની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ટીપી સ્કીમના અમલીકરણ બાબતે જ્યારે તેઓ લોકોને સમજાવા ગયા ત્યારે લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા અને લોકોએ જાહેરમાં તેમને માર માર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર પોતાના ઘર રોડની કપાતમાં જતા હોવાથી લોકોએ ગુસ્સો તેમની પર ઠાલવ્યો હતો.  

મારા મારીના દ્રશ્યો



લોકોએ જાહેરમાં કોર્પોરેટરને માર્યો માર 

ભાજપના કોર્પોરેટરને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે. અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલની લોકોએ ધુલાઈ કરી નાખી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક નજીક આ ઘટના બની હતી. ટીપી સ્કીમના અમલીકરણ બાબતને લઈ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન લોકોએ જાહેરમાં તેમને માર્યા હતા

ભાજપ કોર્પોરેટર બળદેવ પટેલનું પોલીસે નિવેદન લીધું


પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી 

.પોતાના ઘર કપાતમાં જતા હોવાથી પોતાનો ગુસ્સો તેમની ઉપર ઉતાર્યો હતો. સમજાવટ દરમિયાન લોકો અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.  કોર્પોરેટર ઈજાગસ્ત થઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા કૃષ્ણનગર પોલીસ ત્યાં પહોંચી હતી અને ફરિયાદ અંગેની તજવીજ  હાથ ધરી હતી.       



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.