નિકોલના કોર્પોરેટરને બનવું પડ્યું લોકોના ગુસ્સાનો ભોગ, જાહેરમાં કોર્પોરેટરને માર્યો માર


  • Published By :
  • Published Date : 2023-01-20 17:43:22

નિકોલ વોર્ડના કોર્પોરેટર બળદેવ પટેલે જ્યારે કૃષ્ણનગર વિસ્તારની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ટીપી સ્કીમના અમલીકરણ બાબતે જ્યારે તેઓ લોકોને સમજાવા ગયા ત્યારે લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા અને લોકોએ જાહેરમાં તેમને માર માર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર પોતાના ઘર રોડની કપાતમાં જતા હોવાથી લોકોએ ગુસ્સો તેમની પર ઠાલવ્યો હતો.  

મારા મારીના દ્રશ્યો



લોકોએ જાહેરમાં કોર્પોરેટરને માર્યો માર 

ભાજપના કોર્પોરેટરને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે. અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલની લોકોએ ધુલાઈ કરી નાખી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક નજીક આ ઘટના બની હતી. ટીપી સ્કીમના અમલીકરણ બાબતને લઈ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન લોકોએ જાહેરમાં તેમને માર્યા હતા

ભાજપ કોર્પોરેટર બળદેવ પટેલનું પોલીસે નિવેદન લીધું


પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી 

.પોતાના ઘર કપાતમાં જતા હોવાથી પોતાનો ગુસ્સો તેમની ઉપર ઉતાર્યો હતો. સમજાવટ દરમિયાન લોકો અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.  કોર્પોરેટર ઈજાગસ્ત થઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા કૃષ્ણનગર પોલીસ ત્યાં પહોંચી હતી અને ફરિયાદ અંગેની તજવીજ  હાથ ધરી હતી.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.