નિકોલના કોર્પોરેટરને બનવું પડ્યું લોકોના ગુસ્સાનો ભોગ, જાહેરમાં કોર્પોરેટરને માર્યો માર


  • Published By :
  • Published Date : 2023-01-20 17:43:22

નિકોલ વોર્ડના કોર્પોરેટર બળદેવ પટેલે જ્યારે કૃષ્ણનગર વિસ્તારની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ટીપી સ્કીમના અમલીકરણ બાબતે જ્યારે તેઓ લોકોને સમજાવા ગયા ત્યારે લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા અને લોકોએ જાહેરમાં તેમને માર માર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર પોતાના ઘર રોડની કપાતમાં જતા હોવાથી લોકોએ ગુસ્સો તેમની પર ઠાલવ્યો હતો.  

મારા મારીના દ્રશ્યો



લોકોએ જાહેરમાં કોર્પોરેટરને માર્યો માર 

ભાજપના કોર્પોરેટરને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે. અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલની લોકોએ ધુલાઈ કરી નાખી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક નજીક આ ઘટના બની હતી. ટીપી સ્કીમના અમલીકરણ બાબતને લઈ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન લોકોએ જાહેરમાં તેમને માર્યા હતા

ભાજપ કોર્પોરેટર બળદેવ પટેલનું પોલીસે નિવેદન લીધું


પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી 

.પોતાના ઘર કપાતમાં જતા હોવાથી પોતાનો ગુસ્સો તેમની ઉપર ઉતાર્યો હતો. સમજાવટ દરમિયાન લોકો અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.  કોર્પોરેટર ઈજાગસ્ત થઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા કૃષ્ણનગર પોલીસ ત્યાં પહોંચી હતી અને ફરિયાદ અંગેની તજવીજ  હાથ ધરી હતી.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.