નિકોલના કોર્પોરેટરને બનવું પડ્યું લોકોના ગુસ્સાનો ભોગ, જાહેરમાં કોર્પોરેટરને માર્યો માર


  • Published By :
  • Published Date : 2023-01-20 17:43:22

નિકોલ વોર્ડના કોર્પોરેટર બળદેવ પટેલે જ્યારે કૃષ્ણનગર વિસ્તારની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ટીપી સ્કીમના અમલીકરણ બાબતે જ્યારે તેઓ લોકોને સમજાવા ગયા ત્યારે લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા અને લોકોએ જાહેરમાં તેમને માર માર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર પોતાના ઘર રોડની કપાતમાં જતા હોવાથી લોકોએ ગુસ્સો તેમની પર ઠાલવ્યો હતો.  

મારા મારીના દ્રશ્યો



લોકોએ જાહેરમાં કોર્પોરેટરને માર્યો માર 

ભાજપના કોર્પોરેટરને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે. અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલની લોકોએ ધુલાઈ કરી નાખી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક નજીક આ ઘટના બની હતી. ટીપી સ્કીમના અમલીકરણ બાબતને લઈ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન લોકોએ જાહેરમાં તેમને માર્યા હતા

ભાજપ કોર્પોરેટર બળદેવ પટેલનું પોલીસે નિવેદન લીધું


પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી 

.પોતાના ઘર કપાતમાં જતા હોવાથી પોતાનો ગુસ્સો તેમની ઉપર ઉતાર્યો હતો. સમજાવટ દરમિયાન લોકો અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.  કોર્પોરેટર ઈજાગસ્ત થઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા કૃષ્ણનગર પોલીસ ત્યાં પહોંચી હતી અને ફરિયાદ અંગેની તજવીજ  હાથ ધરી હતી.       



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.