નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિને સોંપી બજેટની કોપી, સંસદમાં આજે રજૂ થશે બજેટ


  • Published By :
  • Published Date : 2023-02-01 10:29:01

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરવાના છે. આ બજેટ પર સૌ કોઈની નજર રહેલી છે. કેન્દ્રીય મંત્રી સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવાના છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ અંતિમ પૂર્ણ બજેટ છે. આવનાર સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તેને ધ્યાનમાં રાખી સરકાર અનેક જાહેરાતો કરી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. બજેટ રજૂ કરે તે પહેલા નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અને રાષ્ટ્રપતિઅ બજેટને ઔપચારિક મંજૂરી આપી હતી.


થોડા સમય પહેલા જ નિર્મલા સીતારમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગીય પરિવાર પરના દબાણની સ્થિતિને લઈ પરિચિત છે. ત્યારે આ બજેટમાં અનેક બાબતો પર જેમકે ઓછા કરવેરા, વ્યાપક સામાજીક સુરક્ષા તથા આર્થિક ઉત્પાદનને સંતુલીત રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે. આ બજેટથી મધ્યમ વર્ગિય પરિવારને તેમજ ગ્રામીણ રોજગારી દ્વારા દેશવાસીઓને રાહત મળે તેવો પ્રયત્ન કરવામાં આવશે. અનેક બાબતોને જોતા લાગી રહ્યું છે કે કરદાતાઓને કેટલીક રાહતો મળી શકે છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.