નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિને સોંપી બજેટની કોપી, સંસદમાં આજે રજૂ થશે બજેટ


  • Published By :
  • Published Date : 2023-02-01 10:29:01

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરવાના છે. આ બજેટ પર સૌ કોઈની નજર રહેલી છે. કેન્દ્રીય મંત્રી સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવાના છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ અંતિમ પૂર્ણ બજેટ છે. આવનાર સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તેને ધ્યાનમાં રાખી સરકાર અનેક જાહેરાતો કરી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. બજેટ રજૂ કરે તે પહેલા નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અને રાષ્ટ્રપતિઅ બજેટને ઔપચારિક મંજૂરી આપી હતી.


થોડા સમય પહેલા જ નિર્મલા સીતારમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગીય પરિવાર પરના દબાણની સ્થિતિને લઈ પરિચિત છે. ત્યારે આ બજેટમાં અનેક બાબતો પર જેમકે ઓછા કરવેરા, વ્યાપક સામાજીક સુરક્ષા તથા આર્થિક ઉત્પાદનને સંતુલીત રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે. આ બજેટથી મધ્યમ વર્ગિય પરિવારને તેમજ ગ્રામીણ રોજગારી દ્વારા દેશવાસીઓને રાહત મળે તેવો પ્રયત્ન કરવામાં આવશે. અનેક બાબતોને જોતા લાગી રહ્યું છે કે કરદાતાઓને કેટલીક રાહતો મળી શકે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.