નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિને સોંપી બજેટની કોપી, સંસદમાં આજે રજૂ થશે બજેટ


  • Published By :
  • Published Date : 2023-02-01 10:29:01

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરવાના છે. આ બજેટ પર સૌ કોઈની નજર રહેલી છે. કેન્દ્રીય મંત્રી સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવાના છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ અંતિમ પૂર્ણ બજેટ છે. આવનાર સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તેને ધ્યાનમાં રાખી સરકાર અનેક જાહેરાતો કરી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. બજેટ રજૂ કરે તે પહેલા નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અને રાષ્ટ્રપતિઅ બજેટને ઔપચારિક મંજૂરી આપી હતી.


થોડા સમય પહેલા જ નિર્મલા સીતારમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગીય પરિવાર પરના દબાણની સ્થિતિને લઈ પરિચિત છે. ત્યારે આ બજેટમાં અનેક બાબતો પર જેમકે ઓછા કરવેરા, વ્યાપક સામાજીક સુરક્ષા તથા આર્થિક ઉત્પાદનને સંતુલીત રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે. આ બજેટથી મધ્યમ વર્ગિય પરિવારને તેમજ ગ્રામીણ રોજગારી દ્વારા દેશવાસીઓને રાહત મળે તેવો પ્રયત્ન કરવામાં આવશે. અનેક બાબતોને જોતા લાગી રહ્યું છે કે કરદાતાઓને કેટલીક રાહતો મળી શકે છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.