નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિને સોંપી બજેટની કોપી, સંસદમાં આજે રજૂ થશે બજેટ


  • Published By :
  • Published Date : 2023-02-01 10:29:01

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરવાના છે. આ બજેટ પર સૌ કોઈની નજર રહેલી છે. કેન્દ્રીય મંત્રી સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવાના છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ અંતિમ પૂર્ણ બજેટ છે. આવનાર સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તેને ધ્યાનમાં રાખી સરકાર અનેક જાહેરાતો કરી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. બજેટ રજૂ કરે તે પહેલા નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અને રાષ્ટ્રપતિઅ બજેટને ઔપચારિક મંજૂરી આપી હતી.


થોડા સમય પહેલા જ નિર્મલા સીતારમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગીય પરિવાર પરના દબાણની સ્થિતિને લઈ પરિચિત છે. ત્યારે આ બજેટમાં અનેક બાબતો પર જેમકે ઓછા કરવેરા, વ્યાપક સામાજીક સુરક્ષા તથા આર્થિક ઉત્પાદનને સંતુલીત રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે. આ બજેટથી મધ્યમ વર્ગિય પરિવારને તેમજ ગ્રામીણ રોજગારી દ્વારા દેશવાસીઓને રાહત મળે તેવો પ્રયત્ન કરવામાં આવશે. અનેક બાબતોને જોતા લાગી રહ્યું છે કે કરદાતાઓને કેટલીક રાહતો મળી શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે