નીતિન ગડકરીને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે ધમકી આપનાર વ્યક્તિની કરી ઓળખ


  • Published By :
  • Published Date : 2023-01-15 11:12:56

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. એક વાર નહીં પરંતુ ત્રણ વખત ધમકી ભરેલા ફોન આવ્યા હતા. જે બાદ તેમની સુરક્ષામાં વધારો કરાયો હતો. ફોન આવવાને કારણે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી. ધમકી ભર્યો ફોન કોણે કર્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. ધમકી ભરેલા ફોન કરનાર વ્યક્તિની ઓળખાણ થઈ ગઈ છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જેલમાં બંધ ગૈંગસ્ટર જયેશ કાંથાએ ધમકી ભર્યા ફોન કર્યા હતા.

  

ત્રણ વખત આવ્યા હતા ધમકીભર્યા ફોન 

અનેક વખત નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી વાળા ફોન આવતા હોય છે. ત્યારે ધમકી ભરેલો ફોન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓફિસમાં આવ્યો હતો. ત્રણ વખત ધમકી ભર્યા ફોન આવ્યા હતા. જેને કારણે તેમની સુરક્ષાને વધારવામાં આવી હતી. ઉપરાંત જે કાર્યક્રમમાં સામેલ થવાના હતા ત્યાંની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. 


જેલમાં બંધ ગૈંગસ્ટરે આપી હતી ધમકી 

તેમના જનસંપર્ક કાર્યલયમાં સવારે 11.25 વાગ્યાથી લઈ 12.30 વાગ્યા સુધી ધમકી ભર્યા ફોન આવ્યા હતા. પહેલો ફોન 11.25 વાગ્યે આવ્યો, બીજો ફોન 11.32 વાગ્યે આવ્યો જ્યારે ત્રીજો ફોન 12.32 વાગ્યે આવ્યો હતો. જેને કારણે તેમની સુરક્ષામાં વધારો કરાયો છે. ઉપરાંત પોલીસે ધમકી ભર્યો ફોન કરનાર વ્યક્તિની ઓળખ પણ કરી લીધી છે. નાગપુર પોલીસ કમિશ્નરે જાણકારી આપતા કહ્યું કે જેલમાંથી ધમકી ભર્યા ફોન આવતા હતા. કર્ણાટકના બેલગાવી જેલમાં બંધ ગૈંગસ્ટર તેમજ હત્યાનો આરોપી જયેશ કાંથાએ કર્યો હતો.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.