નીતિન ગડકરીને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે ધમકી આપનાર વ્યક્તિની કરી ઓળખ


  • Published By :
  • Published Date : 2023-01-15 11:12:56

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. એક વાર નહીં પરંતુ ત્રણ વખત ધમકી ભરેલા ફોન આવ્યા હતા. જે બાદ તેમની સુરક્ષામાં વધારો કરાયો હતો. ફોન આવવાને કારણે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી. ધમકી ભર્યો ફોન કોણે કર્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. ધમકી ભરેલા ફોન કરનાર વ્યક્તિની ઓળખાણ થઈ ગઈ છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જેલમાં બંધ ગૈંગસ્ટર જયેશ કાંથાએ ધમકી ભર્યા ફોન કર્યા હતા.

  

ત્રણ વખત આવ્યા હતા ધમકીભર્યા ફોન 

અનેક વખત નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી વાળા ફોન આવતા હોય છે. ત્યારે ધમકી ભરેલો ફોન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓફિસમાં આવ્યો હતો. ત્રણ વખત ધમકી ભર્યા ફોન આવ્યા હતા. જેને કારણે તેમની સુરક્ષાને વધારવામાં આવી હતી. ઉપરાંત જે કાર્યક્રમમાં સામેલ થવાના હતા ત્યાંની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. 


જેલમાં બંધ ગૈંગસ્ટરે આપી હતી ધમકી 

તેમના જનસંપર્ક કાર્યલયમાં સવારે 11.25 વાગ્યાથી લઈ 12.30 વાગ્યા સુધી ધમકી ભર્યા ફોન આવ્યા હતા. પહેલો ફોન 11.25 વાગ્યે આવ્યો, બીજો ફોન 11.32 વાગ્યે આવ્યો જ્યારે ત્રીજો ફોન 12.32 વાગ્યે આવ્યો હતો. જેને કારણે તેમની સુરક્ષામાં વધારો કરાયો છે. ઉપરાંત પોલીસે ધમકી ભર્યો ફોન કરનાર વ્યક્તિની ઓળખ પણ કરી લીધી છે. નાગપુર પોલીસ કમિશ્નરે જાણકારી આપતા કહ્યું કે જેલમાંથી ધમકી ભર્યા ફોન આવતા હતા. કર્ણાટકના બેલગાવી જેલમાં બંધ ગૈંગસ્ટર તેમજ હત્યાનો આરોપી જયેશ કાંથાએ કર્યો હતો.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.