નીતિન ગડકરીને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે ધમકી આપનાર વ્યક્તિની કરી ઓળખ


  • Published By :
  • Published Date : 2023-01-15 11:12:56

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. એક વાર નહીં પરંતુ ત્રણ વખત ધમકી ભરેલા ફોન આવ્યા હતા. જે બાદ તેમની સુરક્ષામાં વધારો કરાયો હતો. ફોન આવવાને કારણે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી. ધમકી ભર્યો ફોન કોણે કર્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. ધમકી ભરેલા ફોન કરનાર વ્યક્તિની ઓળખાણ થઈ ગઈ છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જેલમાં બંધ ગૈંગસ્ટર જયેશ કાંથાએ ધમકી ભર્યા ફોન કર્યા હતા.

  

ત્રણ વખત આવ્યા હતા ધમકીભર્યા ફોન 

અનેક વખત નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી વાળા ફોન આવતા હોય છે. ત્યારે ધમકી ભરેલો ફોન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓફિસમાં આવ્યો હતો. ત્રણ વખત ધમકી ભર્યા ફોન આવ્યા હતા. જેને કારણે તેમની સુરક્ષાને વધારવામાં આવી હતી. ઉપરાંત જે કાર્યક્રમમાં સામેલ થવાના હતા ત્યાંની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. 


જેલમાં બંધ ગૈંગસ્ટરે આપી હતી ધમકી 

તેમના જનસંપર્ક કાર્યલયમાં સવારે 11.25 વાગ્યાથી લઈ 12.30 વાગ્યા સુધી ધમકી ભર્યા ફોન આવ્યા હતા. પહેલો ફોન 11.25 વાગ્યે આવ્યો, બીજો ફોન 11.32 વાગ્યે આવ્યો જ્યારે ત્રીજો ફોન 12.32 વાગ્યે આવ્યો હતો. જેને કારણે તેમની સુરક્ષામાં વધારો કરાયો છે. ઉપરાંત પોલીસે ધમકી ભર્યો ફોન કરનાર વ્યક્તિની ઓળખ પણ કરી લીધી છે. નાગપુર પોલીસ કમિશ્નરે જાણકારી આપતા કહ્યું કે જેલમાંથી ધમકી ભર્યા ફોન આવતા હતા. કર્ણાટકના બેલગાવી જેલમાં બંધ ગૈંગસ્ટર તેમજ હત્યાનો આરોપી જયેશ કાંથાએ કર્યો હતો.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.