નીતિન ગડકરીને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે ધમકી આપનાર વ્યક્તિની કરી ઓળખ


  • Published By :
  • Published Date : 2023-01-15 11:12:56

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. એક વાર નહીં પરંતુ ત્રણ વખત ધમકી ભરેલા ફોન આવ્યા હતા. જે બાદ તેમની સુરક્ષામાં વધારો કરાયો હતો. ફોન આવવાને કારણે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી. ધમકી ભર્યો ફોન કોણે કર્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. ધમકી ભરેલા ફોન કરનાર વ્યક્તિની ઓળખાણ થઈ ગઈ છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જેલમાં બંધ ગૈંગસ્ટર જયેશ કાંથાએ ધમકી ભર્યા ફોન કર્યા હતા.

  

ત્રણ વખત આવ્યા હતા ધમકીભર્યા ફોન 

અનેક વખત નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી વાળા ફોન આવતા હોય છે. ત્યારે ધમકી ભરેલો ફોન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓફિસમાં આવ્યો હતો. ત્રણ વખત ધમકી ભર્યા ફોન આવ્યા હતા. જેને કારણે તેમની સુરક્ષાને વધારવામાં આવી હતી. ઉપરાંત જે કાર્યક્રમમાં સામેલ થવાના હતા ત્યાંની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. 


જેલમાં બંધ ગૈંગસ્ટરે આપી હતી ધમકી 

તેમના જનસંપર્ક કાર્યલયમાં સવારે 11.25 વાગ્યાથી લઈ 12.30 વાગ્યા સુધી ધમકી ભર્યા ફોન આવ્યા હતા. પહેલો ફોન 11.25 વાગ્યે આવ્યો, બીજો ફોન 11.32 વાગ્યે આવ્યો જ્યારે ત્રીજો ફોન 12.32 વાગ્યે આવ્યો હતો. જેને કારણે તેમની સુરક્ષામાં વધારો કરાયો છે. ઉપરાંત પોલીસે ધમકી ભર્યો ફોન કરનાર વ્યક્તિની ઓળખ પણ કરી લીધી છે. નાગપુર પોલીસ કમિશ્નરે જાણકારી આપતા કહ્યું કે જેલમાંથી ધમકી ભર્યા ફોન આવતા હતા. કર્ણાટકના બેલગાવી જેલમાં બંધ ગૈંગસ્ટર તેમજ હત્યાનો આરોપી જયેશ કાંથાએ કર્યો હતો.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.