ગુજરાત ભાજપના બે નેતાઓને મળી મોટી જવાબદારી, નીતિન પટેલની રાજસ્થાનના અને મનસુખ માંડવિયાની છત્તીસગઢના સહચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-07-07 18:28:58

દેશમાં આગામી 2024ની લોકસભાની ચૂંટણી તથા વિવિધ રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને પગલે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આના પગલે ચૂંટણી રાજ્યોમાં દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી પ્રદેશ ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે. ખાસ કરીને, ગુજરાત ભાજપના સીનિયર નેતા અને પૂર્વ  ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને રાજસ્થાનના સહ-ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.


આ નેતાઓને મળી મોટી જવાબદારી


ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં પ્રભારી અને સહપ્રભારીને નિમણૂક કરવામાં આવી છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણા માટે પ્રદેશ ચૂંટણી પ્રભારી અને સહ-ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરાઇ છે. ભાજપ દ્વારા રાજસ્થાનના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે પ્રહલાદ જોશીની રાજસ્થાનના સહ ચૂંટણી પ્રભારી તરીકે નીતિન પટેલ, કુલદીપ બિશ્નોઇની નિમણૂક કરવામાં આવી છે. છત્તીસગઢના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે ઓમ પ્રકાશ માથુર, જ્યારે સહ ચૂંટણી પ્રભારી તરીકે મનસુખ માંડવિયાની નિમણૂક કરવામાં આવી છે. મધ્યપ્રદેશના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ અને સહ ચૂંટણી પ્રભારી તરીકે અશ્વિની વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે. તેલંગાણાના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે પ્રકાશ જાવડેકર અને સહ ચૂંટણી પ્રભારી તરીકે સુનીલ બંસલની નિમણૂક કરવામાં આવી છે.


તાજેતરમાં જ ભાજપે 4 રાજ્યોમાં બદલ્યા હતા પ્રદેશ પ્રમુખ


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા હતા. તેમાં ભાજપે ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા હતા. જે રાજ્યોને નવા અધ્યક્ષ મળ્યા તેમાં પંજાબ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશમાં પી પુરંદેશ્વરી, ઝારખંડમાં બાબૂલાલ મરાંડી, પંજાબમાં સુનીલ જાખડ અને તેલંગાણામાં જી કિશન રેડ્ડીને જવાબદારી સોંપવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.