ગુજરાત ભાજપના બે નેતાઓને મળી મોટી જવાબદારી, નીતિન પટેલની રાજસ્થાનના અને મનસુખ માંડવિયાની છત્તીસગઢના સહચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-07-07 18:28:58

દેશમાં આગામી 2024ની લોકસભાની ચૂંટણી તથા વિવિધ રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને પગલે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આના પગલે ચૂંટણી રાજ્યોમાં દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી પ્રદેશ ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે. ખાસ કરીને, ગુજરાત ભાજપના સીનિયર નેતા અને પૂર્વ  ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને રાજસ્થાનના સહ-ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.


આ નેતાઓને મળી મોટી જવાબદારી


ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં પ્રભારી અને સહપ્રભારીને નિમણૂક કરવામાં આવી છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણા માટે પ્રદેશ ચૂંટણી પ્રભારી અને સહ-ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરાઇ છે. ભાજપ દ્વારા રાજસ્થાનના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે પ્રહલાદ જોશીની રાજસ્થાનના સહ ચૂંટણી પ્રભારી તરીકે નીતિન પટેલ, કુલદીપ બિશ્નોઇની નિમણૂક કરવામાં આવી છે. છત્તીસગઢના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે ઓમ પ્રકાશ માથુર, જ્યારે સહ ચૂંટણી પ્રભારી તરીકે મનસુખ માંડવિયાની નિમણૂક કરવામાં આવી છે. મધ્યપ્રદેશના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ અને સહ ચૂંટણી પ્રભારી તરીકે અશ્વિની વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે. તેલંગાણાના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે પ્રકાશ જાવડેકર અને સહ ચૂંટણી પ્રભારી તરીકે સુનીલ બંસલની નિમણૂક કરવામાં આવી છે.


તાજેતરમાં જ ભાજપે 4 રાજ્યોમાં બદલ્યા હતા પ્રદેશ પ્રમુખ


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા હતા. તેમાં ભાજપે ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા હતા. જે રાજ્યોને નવા અધ્યક્ષ મળ્યા તેમાં પંજાબ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશમાં પી પુરંદેશ્વરી, ઝારખંડમાં બાબૂલાલ મરાંડી, પંજાબમાં સુનીલ જાખડ અને તેલંગાણામાં જી કિશન રેડ્ડીને જવાબદારી સોંપવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.