મોદી સામે મોરચો, નીતીશ કુમારે દિલ્લીમાં વિવિધ પાર્ટીઓના અગ્રણીઓ સાથે કરી મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 16:42:41

દેશના તમામ રાજકિય પક્ષો ભાજપ સામે એકજુથ થઈ રહ્યા છે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે વિરોધ પક્ષોને સંગઠિત કરવા પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાતના એક દિવસ બાદ આજે મંગળવારે માકપા મહાસચિવ સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી.


બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે અમે ચર્ચા કરી કે જો ડાબેરી પક્ષો, રાજ્યોમાં સ્થાનિક પક્ષો અને કોંગ્રેસ સહિત તમામ રાજકિય પાર્ટીઓ એક સાથે આવે તો એક મોટું રાજનૈતિક ગઠબંધન બનશે.  જો કે નીતીશ કુમારે પોતે પીએમ ઉમેદવાર હોવાનો ઈન્કાર કર્યો હતો. યેચુરીએ પણ કહ્યું કે આ એક સકારાત્મક સંકેત છે, જેનાથી દેશમાં સારો રાજકિય વિકાસ થશે.તેમણે પણ તમામ ધર્મનિરપેક્ષ પાર્ટીઓને એક સાથે આવવાનું આહવાન કર્યું હતું અને નીતીશ કુમારનું વિપક્ષના સમર્થનમાં આવવું તેને એક સુખદ સંદેશ ગણાવ્યો હતો. 


નીતીશ કુમાર ભાજપ સામે એક સંગઠિત મોરચો બનાવવા વિવિધ રાજકિય પક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છે. નીતીશ કુમાર દિલ્લીમાં દેશના અગ્રણી નેતાઓ સાથે ચર્ચા  કરી રહ્યા છે, તેમણે રાહુલ ગાંધી સાથે પણ લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હતી. તેમણે દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ સહિત વિવિધ નેતાઓ સાથે મુલાકાતની યોજના બનાવી છે. તે ઉપરાંત નિતિશ કુમાર NCP નેતા શરદ પવાર,  SP નેતા અખિલેશ યાદવ, CPI નેતા ડી રાજા, અને INLD નેતા ઓમ પ્રકાશ ચૌટાલા સાથે પણ કરશે. નીતીશ કુમાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ બેઠક યોજશે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.