મોદી સામે મોરચો, નીતીશ કુમારે દિલ્લીમાં વિવિધ પાર્ટીઓના અગ્રણીઓ સાથે કરી મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 16:42:41

દેશના તમામ રાજકિય પક્ષો ભાજપ સામે એકજુથ થઈ રહ્યા છે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે વિરોધ પક્ષોને સંગઠિત કરવા પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાતના એક દિવસ બાદ આજે મંગળવારે માકપા મહાસચિવ સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી.


બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે અમે ચર્ચા કરી કે જો ડાબેરી પક્ષો, રાજ્યોમાં સ્થાનિક પક્ષો અને કોંગ્રેસ સહિત તમામ રાજકિય પાર્ટીઓ એક સાથે આવે તો એક મોટું રાજનૈતિક ગઠબંધન બનશે.  જો કે નીતીશ કુમારે પોતે પીએમ ઉમેદવાર હોવાનો ઈન્કાર કર્યો હતો. યેચુરીએ પણ કહ્યું કે આ એક સકારાત્મક સંકેત છે, જેનાથી દેશમાં સારો રાજકિય વિકાસ થશે.તેમણે પણ તમામ ધર્મનિરપેક્ષ પાર્ટીઓને એક સાથે આવવાનું આહવાન કર્યું હતું અને નીતીશ કુમારનું વિપક્ષના સમર્થનમાં આવવું તેને એક સુખદ સંદેશ ગણાવ્યો હતો. 


નીતીશ કુમાર ભાજપ સામે એક સંગઠિત મોરચો બનાવવા વિવિધ રાજકિય પક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છે. નીતીશ કુમાર દિલ્લીમાં દેશના અગ્રણી નેતાઓ સાથે ચર્ચા  કરી રહ્યા છે, તેમણે રાહુલ ગાંધી સાથે પણ લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હતી. તેમણે દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ સહિત વિવિધ નેતાઓ સાથે મુલાકાતની યોજના બનાવી છે. તે ઉપરાંત નિતિશ કુમાર NCP નેતા શરદ પવાર,  SP નેતા અખિલેશ યાદવ, CPI નેતા ડી રાજા, અને INLD નેતા ઓમ પ્રકાશ ચૌટાલા સાથે પણ કરશે. નીતીશ કુમાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ બેઠક યોજશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.