મોદી સામે મોરચો, નીતીશ કુમારે દિલ્લીમાં વિવિધ પાર્ટીઓના અગ્રણીઓ સાથે કરી મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 16:42:41

દેશના તમામ રાજકિય પક્ષો ભાજપ સામે એકજુથ થઈ રહ્યા છે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે વિરોધ પક્ષોને સંગઠિત કરવા પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાતના એક દિવસ બાદ આજે મંગળવારે માકપા મહાસચિવ સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી.


બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે અમે ચર્ચા કરી કે જો ડાબેરી પક્ષો, રાજ્યોમાં સ્થાનિક પક્ષો અને કોંગ્રેસ સહિત તમામ રાજકિય પાર્ટીઓ એક સાથે આવે તો એક મોટું રાજનૈતિક ગઠબંધન બનશે.  જો કે નીતીશ કુમારે પોતે પીએમ ઉમેદવાર હોવાનો ઈન્કાર કર્યો હતો. યેચુરીએ પણ કહ્યું કે આ એક સકારાત્મક સંકેત છે, જેનાથી દેશમાં સારો રાજકિય વિકાસ થશે.તેમણે પણ તમામ ધર્મનિરપેક્ષ પાર્ટીઓને એક સાથે આવવાનું આહવાન કર્યું હતું અને નીતીશ કુમારનું વિપક્ષના સમર્થનમાં આવવું તેને એક સુખદ સંદેશ ગણાવ્યો હતો. 


નીતીશ કુમાર ભાજપ સામે એક સંગઠિત મોરચો બનાવવા વિવિધ રાજકિય પક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છે. નીતીશ કુમાર દિલ્લીમાં દેશના અગ્રણી નેતાઓ સાથે ચર્ચા  કરી રહ્યા છે, તેમણે રાહુલ ગાંધી સાથે પણ લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હતી. તેમણે દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ સહિત વિવિધ નેતાઓ સાથે મુલાકાતની યોજના બનાવી છે. તે ઉપરાંત નિતિશ કુમાર NCP નેતા શરદ પવાર,  SP નેતા અખિલેશ યાદવ, CPI નેતા ડી રાજા, અને INLD નેતા ઓમ પ્રકાશ ચૌટાલા સાથે પણ કરશે. નીતીશ કુમાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ બેઠક યોજશે.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે