ઉત્તર ગુજરાતના આ ગામોમાં ભાજપને 'નો એન્ટ્રી'


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 22:27:44



800 કરોડના કૌભાંડમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે તે બાબતે ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. વીસનગરના 20થી વધુ ગામોમાં લોકોએ ભાજપને નો એન્ટ્રીના બેનરો લગાવ્યા છે. આ ગામો વિપુલ ચૌધરીના સમર્થનમાં છે અને વિપુલ ચૌધરીની ગુજરાત સરકારે ધરપકડ કરી છે તે મામલે વિરોધ નોંધાવ્યો છે. 


કોણે ભાજપ સામે વિરોધ નોંધાવ્યો ?

વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના અને ચૌધરી સમાજે ભાજપના નો એન્ટ્રીના બેનરો લગાવ્યા છે. સમગ્ર મામલે અર્બુદા ધામમાં મોટી સભાનું આયોજન થવા જઈ રહ્યું છે. ચૌધરી સમાજના લોકો આ સભામાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. 


વીસનગરના લોકોની શું છે માગણી?

અર્બુદા સેના અને આંજણા ચૌધરી સમાજના લોકોની બહુમતિ ધરાવતા વીસનગરના 20થી વધુ ગામોમાં ભાજપના વિરોધમાં બોર્ડ લગાવાયા છે. તમામ લોકોની માગણી છે કે વિપુલ ચૌધરીને ભાજપ મુક્ત કરાવે. જો વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં નહીં આવે તો ભાજપના નેતાઓને ગામોમાં પ્રવેશ આપવામાં નહીં આવે.  


અર્બુદા સેનાનું શું કહેવું છે?

જમાવટે જ્યારે અબુર્દા સેનાના રાકેશ ચૌધરી સાથે વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "અમારા સમાજના નેતા વિપુલ ચૌધરીને જેલમુક્તિ કરવામાં આવે તે અમારી પ્રાથમિક માગણી છે. ભાજપ સરકાર વિપુલ ચૌધરી પર લગાવેલા ખોટા કેસ પાછા કેસ પાછા ખેંચે એવી અમારી માગણી છે. આવતીકાલે અર્બુદા ધામ વીસનગર રોડ ખાતે સમગ્ર મામલે મહાસંમેલન યોજવામાં આવશે જેમાં 25 હજારથી વધુ લોકો હાજર રહેશે. જો ભાજપ વિપુલ ચૌધરીને જેલમુક્ત નહીં કરે તો ભોગવવાનું રહેશે. 


વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?

દૂધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 800 કરોડથી વધુ રૂપિયાની વિપુલ ચૌધરીએ ઉચાપત કરી હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા.        






ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે