તોફાની તત્વો સામે DGCAની કડક કાર્યવાહી, એક વર્ષમાં 63 લોકો "નો ફ્લાય લિસ્ટ"માં


  • Published By :
  • Published Date : 2023-02-08 17:00:20

વિમાન મુસાફરી દરમિયાન તોફાન મચાવતા તોફાની તત્વો સામે DGCA કડડ કાર્યવાહી કરી રહ્યું છે. આવા લોકો ફરી મુસાફરી ન કરી શકે તે માટે તેમને નો ફ્લાય લિસ્ટમાં મુકી રહી છે. જેમ કે છેલ્લા એક વર્ષ દરમિયાન DGCAએ 63 મુસાફરોને નો ફ્લાય લિસ્ટમાં મુક્યા છે. 


 નાગરિક ઉડ્ડયન મંત્રીએ માહિતી આપી 


નાગરિક રાજ્યમંત્રી જનરલ (રિ.) વીકે સિંહે રાજ્યસભામાં એક સવાલમાં જવાબ આપ્યો કે 63 તોફાની મુસાફરોને "નો ફ્લાય યાદી"માં મુકવા આવ્યા છે. તે ઉપરાંત ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ સંજ્ઞાનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન પેશાબ કરવાની બે ઘટનાઓ બની છે. આ કાર્યવાહી એરલાઈનની આંતરિક સમિતિઓની ભલામણોના આધાર પર કરવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે