તોફાની તત્વો સામે DGCAની કડક કાર્યવાહી, એક વર્ષમાં 63 લોકો "નો ફ્લાય લિસ્ટ"માં


  • Published By :
  • Published Date : 2023-02-08 17:00:20

વિમાન મુસાફરી દરમિયાન તોફાન મચાવતા તોફાની તત્વો સામે DGCA કડડ કાર્યવાહી કરી રહ્યું છે. આવા લોકો ફરી મુસાફરી ન કરી શકે તે માટે તેમને નો ફ્લાય લિસ્ટમાં મુકી રહી છે. જેમ કે છેલ્લા એક વર્ષ દરમિયાન DGCAએ 63 મુસાફરોને નો ફ્લાય લિસ્ટમાં મુક્યા છે. 


 નાગરિક ઉડ્ડયન મંત્રીએ માહિતી આપી 


નાગરિક રાજ્યમંત્રી જનરલ (રિ.) વીકે સિંહે રાજ્યસભામાં એક સવાલમાં જવાબ આપ્યો કે 63 તોફાની મુસાફરોને "નો ફ્લાય યાદી"માં મુકવા આવ્યા છે. તે ઉપરાંત ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ સંજ્ઞાનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન પેશાબ કરવાની બે ઘટનાઓ બની છે. આ કાર્યવાહી એરલાઈનની આંતરિક સમિતિઓની ભલામણોના આધાર પર કરવામાં આવી છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.