તોફાની તત્વો સામે DGCAની કડક કાર્યવાહી, એક વર્ષમાં 63 લોકો "નો ફ્લાય લિસ્ટ"માં


  • Published By :
  • Published Date : 2023-02-08 17:00:20

વિમાન મુસાફરી દરમિયાન તોફાન મચાવતા તોફાની તત્વો સામે DGCA કડડ કાર્યવાહી કરી રહ્યું છે. આવા લોકો ફરી મુસાફરી ન કરી શકે તે માટે તેમને નો ફ્લાય લિસ્ટમાં મુકી રહી છે. જેમ કે છેલ્લા એક વર્ષ દરમિયાન DGCAએ 63 મુસાફરોને નો ફ્લાય લિસ્ટમાં મુક્યા છે. 


 નાગરિક ઉડ્ડયન મંત્રીએ માહિતી આપી 


નાગરિક રાજ્યમંત્રી જનરલ (રિ.) વીકે સિંહે રાજ્યસભામાં એક સવાલમાં જવાબ આપ્યો કે 63 તોફાની મુસાફરોને "નો ફ્લાય યાદી"માં મુકવા આવ્યા છે. તે ઉપરાંત ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ સંજ્ઞાનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન પેશાબ કરવાની બે ઘટનાઓ બની છે. આ કાર્યવાહી એરલાઈનની આંતરિક સમિતિઓની ભલામણોના આધાર પર કરવામાં આવી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.